શાકભાજી વેચતા વેપારીને ટામેટા ચોરી થવાનો ડર! શાકની ટોકરીમાં મૂક્યો સીસીટીવી કેમેરો, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-07 16:37:35

આપણે જ્યારે મોટી દુકાનોમાં, સુપર મોલમાં અથવા તો સોના ચાંદીની દુકાનમાં ખરીદી કરવા જતા હોઈએ ત્યારે ત્યાં લખવામાં  આવતું હોય છે કે U are under CCTV Surveillance. દુકાનની તેમજ સામાનની સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે છે. પરંતુ શું તમે શાકભાજીની લારી પર સીસીટીવી કેમેરા મૂકેલા જોયા છે? જવાબ હશે કે ના, ઉલટાનું તમે સામે પ્રશ્ન કરશો કે શાકભાજીની દુકાનમાં કેમેરા કોણ રાખે? પરંતુ મોંઘવારીએ હદે વધી ગઈ છે કે કે શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ પણ કેમેરા રાખતા થઈ ગયા છે.  

 આ દરમ્યાન હાસન જિલ્લાના ધરણી, બેલૂર નજીક ગોની સોમનહલ્લી ગામમાં એક ટામેટા ઉત્પાદન આજે સવારે આઘાતમાં હતા. તેમણે આજે સવારમાં પોતાના ખેતરમાંથી ટામેટા ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, અમુક ચોર લોકોએ લાખો રૂપિયાની કિંમતના 50થી 60 બોરી ટામેટા લૂંટીને જતા રહ્યા હતા. તેમણે છોડ પરથી ટામેટા ઉતારીને ભાગી ગયા હતા.

ટામેટાના ઢગલા માટે લગાવ્યા કેમેરા

ચોમાસાના આગમનની સાથે શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા, બટાકા સહિતના શાકભાજીના ભાવોએ સદી ફટકારી દીધી છે. ટામેટાના ભાવ 160 રુપિયાની આસપાસ પહોંચી ગયા છે. તે સિવાય મરચાના ભાવ પણ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવ વધતા શાકભાજીના વેપારીઓ કેમેરા રાખતા થઈ ગયા છે. વધતા ભાવને જોતા વેપારીઓને સામાન ચોરાવાનો ડર ઉભો થઈ ગયો છે. શાકભાજીની ડિમાન્ડ વધતા કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કર્ણાટકના હાવેરીના અક્કી અલુરુમાં એક વેપારીએ પોતાના ટામેટાના ઢગલા માટે ટાઈટ સિક્યોરિટી ગોઠવી છે. 

 ખેડૂતનું કહેવું છે કે, લોકો આવે છે અને મારી પાસેથી ટામેટા ખરીદે છે, કારણ કે તે આ બજારમાં સૌથી સારા છે. જો કે,જ્યારે હું અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોવ છું ત્યારે અમુક લોકો છુટક ટામેટા લઈ લેતા હોય છે, જે મને ખબર નથી રહેતી. હું મારી મહેનતનું જરાં પણ જવા દેવા નથી માગતો. એટલા માટે સીસી કેમેરાની વ્યવસ્થા કરી છે. આ મારી પોતાની સુરક્ષા માટે છે.

પેટ્રોલના ભાવ કરતા પણ વધારે મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે ટામેટા

ટામેટાને સુરક્ષિત રાખવા કેમેરા લગાવનારા ખેડૂતે કહ્યું કે મારી દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ રહે છે. જો હું અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોવું તો અમુક લોકો છુટક ટામેટા લઈને જતા રહે છે. જે મને ખબર નથી પડતી. હું મારી મહેનતનું જરા પણ જવા દેવા નથી માગતો, એટલા માટે સીસીટીવીની વ્યવસ્થા કરી છે. મહત્વનું છે કે ટામેટા આજે પેટ્રોલ કરતા પણ મોંઘા વેચાઈ રહ્યા છે. દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  

 આ દરમ્યાન હાસન જિલ્લાના ધરણી, બેલૂર નજીક ગોની સોમનહલ્લી ગામમાં એક ટામેટા ઉત્પાદન આજે સવારે આઘાતમાં હતા. તેમણે આજે સવારમાં પોતાના ખેતરમાંથી ટામેટા ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, અમુક ચોર લોકોએ લાખો રૂપિયાની કિંમતના 50થી 60 બોરી ટામેટા લૂંટીને જતા રહ્યા હતા. તેમણે છોડ પરથી ટામેટા ઉતારીને ભાગી ગયા હતા.


 મુતપ્પા નામના ખેડૂત, જેણે હાલમાં જ પોતાના ખેતરમાંથી ટામેટા ઉતાર્યા હતા. સ્થાનિક બજારમાંથી તે એક સીસી કેમેરા લાવ્યો. તે અન્ય ખેડૂતની માફક ટામેટા વેચવા માટે લાઈનમાં બેસી ગયો. તેણે ટામેટાનો ઢગલો કર્યો, તેની સાથે અમુક બીજી શાકભાજી પણ વેચવા લાવ્યો. જો કે, અહીં તેણે શાકભાજીની માટે એક ટોકરીમાં સીસી કેમેરા લગાવ્યા હતા, જે એક બેટરી સાથે જોડાયેલ હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે