શાકભાજી વેચતા વેપારીને ટામેટા ચોરી થવાનો ડર! શાકની ટોકરીમાં મૂક્યો સીસીટીવી કેમેરો, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-07 16:37:35

આપણે જ્યારે મોટી દુકાનોમાં, સુપર મોલમાં અથવા તો સોના ચાંદીની દુકાનમાં ખરીદી કરવા જતા હોઈએ ત્યારે ત્યાં લખવામાં  આવતું હોય છે કે U are under CCTV Surveillance. દુકાનની તેમજ સામાનની સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે છે. પરંતુ શું તમે શાકભાજીની લારી પર સીસીટીવી કેમેરા મૂકેલા જોયા છે? જવાબ હશે કે ના, ઉલટાનું તમે સામે પ્રશ્ન કરશો કે શાકભાજીની દુકાનમાં કેમેરા કોણ રાખે? પરંતુ મોંઘવારીએ હદે વધી ગઈ છે કે કે શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ પણ કેમેરા રાખતા થઈ ગયા છે.  

 આ દરમ્યાન હાસન જિલ્લાના ધરણી, બેલૂર નજીક ગોની સોમનહલ્લી ગામમાં એક ટામેટા ઉત્પાદન આજે સવારે આઘાતમાં હતા. તેમણે આજે સવારમાં પોતાના ખેતરમાંથી ટામેટા ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, અમુક ચોર લોકોએ લાખો રૂપિયાની કિંમતના 50થી 60 બોરી ટામેટા લૂંટીને જતા રહ્યા હતા. તેમણે છોડ પરથી ટામેટા ઉતારીને ભાગી ગયા હતા.

ટામેટાના ઢગલા માટે લગાવ્યા કેમેરા

ચોમાસાના આગમનની સાથે શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા, બટાકા સહિતના શાકભાજીના ભાવોએ સદી ફટકારી દીધી છે. ટામેટાના ભાવ 160 રુપિયાની આસપાસ પહોંચી ગયા છે. તે સિવાય મરચાના ભાવ પણ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવ વધતા શાકભાજીના વેપારીઓ કેમેરા રાખતા થઈ ગયા છે. વધતા ભાવને જોતા વેપારીઓને સામાન ચોરાવાનો ડર ઉભો થઈ ગયો છે. શાકભાજીની ડિમાન્ડ વધતા કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કર્ણાટકના હાવેરીના અક્કી અલુરુમાં એક વેપારીએ પોતાના ટામેટાના ઢગલા માટે ટાઈટ સિક્યોરિટી ગોઠવી છે. 

 ખેડૂતનું કહેવું છે કે, લોકો આવે છે અને મારી પાસેથી ટામેટા ખરીદે છે, કારણ કે તે આ બજારમાં સૌથી સારા છે. જો કે,જ્યારે હું અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોવ છું ત્યારે અમુક લોકો છુટક ટામેટા લઈ લેતા હોય છે, જે મને ખબર નથી રહેતી. હું મારી મહેનતનું જરાં પણ જવા દેવા નથી માગતો. એટલા માટે સીસી કેમેરાની વ્યવસ્થા કરી છે. આ મારી પોતાની સુરક્ષા માટે છે.

પેટ્રોલના ભાવ કરતા પણ વધારે મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે ટામેટા

ટામેટાને સુરક્ષિત રાખવા કેમેરા લગાવનારા ખેડૂતે કહ્યું કે મારી દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ રહે છે. જો હું અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોવું તો અમુક લોકો છુટક ટામેટા લઈને જતા રહે છે. જે મને ખબર નથી પડતી. હું મારી મહેનતનું જરા પણ જવા દેવા નથી માગતો, એટલા માટે સીસીટીવીની વ્યવસ્થા કરી છે. મહત્વનું છે કે ટામેટા આજે પેટ્રોલ કરતા પણ મોંઘા વેચાઈ રહ્યા છે. દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  

 આ દરમ્યાન હાસન જિલ્લાના ધરણી, બેલૂર નજીક ગોની સોમનહલ્લી ગામમાં એક ટામેટા ઉત્પાદન આજે સવારે આઘાતમાં હતા. તેમણે આજે સવારમાં પોતાના ખેતરમાંથી ટામેટા ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, અમુક ચોર લોકોએ લાખો રૂપિયાની કિંમતના 50થી 60 બોરી ટામેટા લૂંટીને જતા રહ્યા હતા. તેમણે છોડ પરથી ટામેટા ઉતારીને ભાગી ગયા હતા.


 મુતપ્પા નામના ખેડૂત, જેણે હાલમાં જ પોતાના ખેતરમાંથી ટામેટા ઉતાર્યા હતા. સ્થાનિક બજારમાંથી તે એક સીસી કેમેરા લાવ્યો. તે અન્ય ખેડૂતની માફક ટામેટા વેચવા માટે લાઈનમાં બેસી ગયો. તેણે ટામેટાનો ઢગલો કર્યો, તેની સાથે અમુક બીજી શાકભાજી પણ વેચવા લાવ્યો. જો કે, અહીં તેણે શાકભાજીની માટે એક ટોકરીમાં સીસી કેમેરા લગાવ્યા હતા, જે એક બેટરી સાથે જોડાયેલ હતો.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.