યમનની રાજધાનીમાં આયોજીત એક ચેરિટી કાર્યક્રમ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, નાસભાગ થવાને કારણે થયા 80 જેટલા લોકોના મોત! જાણો કેમ સર્જાઈ નાસભાગ


  • Published By :
  • Published Date : 2023-04-20 09:14:03

યમનની રાજધાની સનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે યમનની રાજધાની સનામાં રમઝાન મહિના માટે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં નાસભાગ થઈ હતી જેમાં 80 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 300થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમાંથી 13 જેટલા લોકોની હાલત નાજુક છે.    

stampede-in-yemen-over-80-killed-during-financial-aid-distribution-program-during-ramadan-118874


સ્થાનિક વહીવટીતંત્રની સહાય વિના આ કાર્યક્રમનું કરાયું હતું આયોજન!

રમઝાન મહિનાના છેલ્લા દિવસે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવતું હોય છે. બુધવારે મોડી રાત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક સહાયના વિતરણ દરમિયાન નાસભાગ મચી હતી જેને કારણે 85 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 330થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મામલે હૂતિ સેનાના ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ સાથે સંકલન વિના અયોગ્ય રીતે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.     


લોકો ગભરાઈને આમ તેમ નાસવા લાગ્યા! 

આ ભીડને કાબુમાં લેવા હવામાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે પાવર લાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર લોકો ડરી ગયા હતા અને આમ-તેમ ભાગવા લાગ્યા હતા. નાસભાગ થવાને કારણે લોકો એકબીજાને અથડાતા ગયા અને એકબીજાને કચડતા ગયા. જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.