યમનની રાજધાનીમાં આયોજીત એક ચેરિટી કાર્યક્રમ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, નાસભાગ થવાને કારણે થયા 80 જેટલા લોકોના મોત! જાણો કેમ સર્જાઈ નાસભાગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-20 09:14:03

યમનની રાજધાની સનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે યમનની રાજધાની સનામાં રમઝાન મહિના માટે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં નાસભાગ થઈ હતી જેમાં 80 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 300થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમાંથી 13 જેટલા લોકોની હાલત નાજુક છે.    

stampede-in-yemen-over-80-killed-during-financial-aid-distribution-program-during-ramadan-118874


સ્થાનિક વહીવટીતંત્રની સહાય વિના આ કાર્યક્રમનું કરાયું હતું આયોજન!

રમઝાન મહિનાના છેલ્લા દિવસે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવતું હોય છે. બુધવારે મોડી રાત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક સહાયના વિતરણ દરમિયાન નાસભાગ મચી હતી જેને કારણે 85 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 330થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મામલે હૂતિ સેનાના ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ સાથે સંકલન વિના અયોગ્ય રીતે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.     


લોકો ગભરાઈને આમ તેમ નાસવા લાગ્યા! 

આ ભીડને કાબુમાં લેવા હવામાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે પાવર લાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર લોકો ડરી ગયા હતા અને આમ-તેમ ભાગવા લાગ્યા હતા. નાસભાગ થવાને કારણે લોકો એકબીજાને અથડાતા ગયા અને એકબીજાને કચડતા ગયા. જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. 




પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.

જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.