કાનપુરમાં બની દુ:ખદ ઘટના, જમીન પર કબજો હટાવવા પહોંચેલી ટીમ સામે માતા-પુત્રી મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-02-14 11:42:19

અનેક રાજ્યોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં દબાણ હટાવતી વખતે એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર કાનપુર દેહતમાં અતિક્રમણ હટાવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન માતા-પુત્રી જીવતા સળગી ગયા હતા. દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. મહિલા અને તેમની પુત્રી અંદર હતા અને પોલીસની સામે બંને લોકો જીવતા બળી જાય છે અને મોતને ભેટે છે.

  

આ ઘટનાનો વીડિયો આવ્યો સામે 

ઉત્તરપ્રદેશના કાનપુરના એક નાનકડા ગામમાં જમીન પરથી કબજો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. કબજો હટાવવા પોલીસ અને પ્રશાસનની ટીમ ચાહલા પહોંચી હતી. તે દરમિયાન એક કરૂણ ઘટના બની છે જેમાં માતા અને પુત્રીનું મોત થયું છે. કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.   


ઘટનાને પગલે સ્થાનિકોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

આ ઘટના સોમવાર સાંજે બની હતી અને આ ઘટનાના થોડા વીડિયો સામે આવ્યા છે. જેમાં આગ પર કાબુ મેળવવા પોલીસ બુલડોઝર મંગાવે છે અને ઝુંપડીને પાડી નાખે છે. પછી મહિલાના પુત્રનો અવાજ આવે છે જેમાં રોતા રોતા કહી રહ્યો છે કે જુઓ, મારી મમ્મી બળી રહી છે. પત્ની તેમજ પુત્રીને બચાવતી વખતે તેમના પિતા પણ ખરાબ રીતે દાઝી જાય છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  


આગ લગાડવાનો લગાવવામાં આવ્યો આરોપ 

રોષે ભરાયેલા લોકોએ ઓફિસરને કુહાડી મારીને ઘાયલ કર્યા છે. લોકોમાં ગુસ્સો જોઈ ઓફિસરો ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિકોએ ઓફિસરો પર ગામના 10 લોકોની હત્યા કરવાના ગુના સાથે ફરિયાદ કરવાની માગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કબજો હટાવતા ગામના લોકોએ ઝૂંપડીને આગ લગાવી દીધી હતી. જ્યાં સુધી મહેસુલ અને પોલીસ અધિકારી તેમજ ગામના કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. 


ડીએમએ આ અંગે આપ્યો ખુલાસો   

બીજી તરફ ડીએમ નેહા જૈને કહ્યું તે ગામડાની સોસાયટીનું 1642 નંબર જમીન કૃષ્ણ ગોપાલના કબજામાં છે. ગામના લોકોની ફરિયાદના આધારે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસડીએમ પોલીસની ટીમ સાથે દબાણ હટાવવા ગયા હતા. ત્યારે જ માતા અને પુત્રીએ ઝુંપડીની અંદર જઈને પોતાને આગ ચાંપી દીધી હચ. આગને કાબુમાં લેવા પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર દાઝી ગયા. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.