કાનપુરમાં બની દુ:ખદ ઘટના, જમીન પર કબજો હટાવવા પહોંચેલી ટીમ સામે માતા-પુત્રી મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-02-14 11:42:19

અનેક રાજ્યોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં દબાણ હટાવતી વખતે એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર કાનપુર દેહતમાં અતિક્રમણ હટાવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન માતા-પુત્રી જીવતા સળગી ગયા હતા. દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. મહિલા અને તેમની પુત્રી અંદર હતા અને પોલીસની સામે બંને લોકો જીવતા બળી જાય છે અને મોતને ભેટે છે.

  

આ ઘટનાનો વીડિયો આવ્યો સામે 

ઉત્તરપ્રદેશના કાનપુરના એક નાનકડા ગામમાં જમીન પરથી કબજો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. કબજો હટાવવા પોલીસ અને પ્રશાસનની ટીમ ચાહલા પહોંચી હતી. તે દરમિયાન એક કરૂણ ઘટના બની છે જેમાં માતા અને પુત્રીનું મોત થયું છે. કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.   


ઘટનાને પગલે સ્થાનિકોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

આ ઘટના સોમવાર સાંજે બની હતી અને આ ઘટનાના થોડા વીડિયો સામે આવ્યા છે. જેમાં આગ પર કાબુ મેળવવા પોલીસ બુલડોઝર મંગાવે છે અને ઝુંપડીને પાડી નાખે છે. પછી મહિલાના પુત્રનો અવાજ આવે છે જેમાં રોતા રોતા કહી રહ્યો છે કે જુઓ, મારી મમ્મી બળી રહી છે. પત્ની તેમજ પુત્રીને બચાવતી વખતે તેમના પિતા પણ ખરાબ રીતે દાઝી જાય છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  


આગ લગાડવાનો લગાવવામાં આવ્યો આરોપ 

રોષે ભરાયેલા લોકોએ ઓફિસરને કુહાડી મારીને ઘાયલ કર્યા છે. લોકોમાં ગુસ્સો જોઈ ઓફિસરો ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિકોએ ઓફિસરો પર ગામના 10 લોકોની હત્યા કરવાના ગુના સાથે ફરિયાદ કરવાની માગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કબજો હટાવતા ગામના લોકોએ ઝૂંપડીને આગ લગાવી દીધી હતી. જ્યાં સુધી મહેસુલ અને પોલીસ અધિકારી તેમજ ગામના કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. 


ડીએમએ આ અંગે આપ્યો ખુલાસો   

બીજી તરફ ડીએમ નેહા જૈને કહ્યું તે ગામડાની સોસાયટીનું 1642 નંબર જમીન કૃષ્ણ ગોપાલના કબજામાં છે. ગામના લોકોની ફરિયાદના આધારે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસડીએમ પોલીસની ટીમ સાથે દબાણ હટાવવા ગયા હતા. ત્યારે જ માતા અને પુત્રીએ ઝુંપડીની અંદર જઈને પોતાને આગ ચાંપી દીધી હચ. આગને કાબુમાં લેવા પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર દાઝી ગયા. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.   




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.