કાનપુરમાં બની દુ:ખદ ઘટના, જમીન પર કબજો હટાવવા પહોંચેલી ટીમ સામે માતા-પુત્રી મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-02-14 11:42:19

અનેક રાજ્યોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં દબાણ હટાવતી વખતે એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર કાનપુર દેહતમાં અતિક્રમણ હટાવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન માતા-પુત્રી જીવતા સળગી ગયા હતા. દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. મહિલા અને તેમની પુત્રી અંદર હતા અને પોલીસની સામે બંને લોકો જીવતા બળી જાય છે અને મોતને ભેટે છે.

  

આ ઘટનાનો વીડિયો આવ્યો સામે 

ઉત્તરપ્રદેશના કાનપુરના એક નાનકડા ગામમાં જમીન પરથી કબજો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. કબજો હટાવવા પોલીસ અને પ્રશાસનની ટીમ ચાહલા પહોંચી હતી. તે દરમિયાન એક કરૂણ ઘટના બની છે જેમાં માતા અને પુત્રીનું મોત થયું છે. કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.   


ઘટનાને પગલે સ્થાનિકોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

આ ઘટના સોમવાર સાંજે બની હતી અને આ ઘટનાના થોડા વીડિયો સામે આવ્યા છે. જેમાં આગ પર કાબુ મેળવવા પોલીસ બુલડોઝર મંગાવે છે અને ઝુંપડીને પાડી નાખે છે. પછી મહિલાના પુત્રનો અવાજ આવે છે જેમાં રોતા રોતા કહી રહ્યો છે કે જુઓ, મારી મમ્મી બળી રહી છે. પત્ની તેમજ પુત્રીને બચાવતી વખતે તેમના પિતા પણ ખરાબ રીતે દાઝી જાય છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  


આગ લગાડવાનો લગાવવામાં આવ્યો આરોપ 

રોષે ભરાયેલા લોકોએ ઓફિસરને કુહાડી મારીને ઘાયલ કર્યા છે. લોકોમાં ગુસ્સો જોઈ ઓફિસરો ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિકોએ ઓફિસરો પર ગામના 10 લોકોની હત્યા કરવાના ગુના સાથે ફરિયાદ કરવાની માગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કબજો હટાવતા ગામના લોકોએ ઝૂંપડીને આગ લગાવી દીધી હતી. જ્યાં સુધી મહેસુલ અને પોલીસ અધિકારી તેમજ ગામના કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. 


ડીએમએ આ અંગે આપ્યો ખુલાસો   

બીજી તરફ ડીએમ નેહા જૈને કહ્યું તે ગામડાની સોસાયટીનું 1642 નંબર જમીન કૃષ્ણ ગોપાલના કબજામાં છે. ગામના લોકોની ફરિયાદના આધારે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસડીએમ પોલીસની ટીમ સાથે દબાણ હટાવવા ગયા હતા. ત્યારે જ માતા અને પુત્રીએ ઝુંપડીની અંદર જઈને પોતાને આગ ચાંપી દીધી હચ. આગને કાબુમાં લેવા પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર દાઝી ગયા. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.