કાનપુરમાં બની દુ:ખદ ઘટના, જમીન પર કબજો હટાવવા પહોંચેલી ટીમ સામે માતા-પુત્રી મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-02-14 11:42:19

અનેક રાજ્યોમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં દબાણ હટાવતી વખતે એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર કાનપુર દેહતમાં અતિક્રમણ હટાવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન માતા-પુત્રી જીવતા સળગી ગયા હતા. દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. મહિલા અને તેમની પુત્રી અંદર હતા અને પોલીસની સામે બંને લોકો જીવતા બળી જાય છે અને મોતને ભેટે છે.

  

આ ઘટનાનો વીડિયો આવ્યો સામે 

ઉત્તરપ્રદેશના કાનપુરના એક નાનકડા ગામમાં જમીન પરથી કબજો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. કબજો હટાવવા પોલીસ અને પ્રશાસનની ટીમ ચાહલા પહોંચી હતી. તે દરમિયાન એક કરૂણ ઘટના બની છે જેમાં માતા અને પુત્રીનું મોત થયું છે. કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મહિલા બુમો પાડતી ઝુંપડીની અંદર જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. પોલીસ પણ ત્યાં પહોંચે છે. દરવાજો તોડવામાં આવે છે અને આ બધા વચ્ચે ઝુંપડીમાં આગ લાગી જાય છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.   


ઘટનાને પગલે સ્થાનિકોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

આ ઘટના સોમવાર સાંજે બની હતી અને આ ઘટનાના થોડા વીડિયો સામે આવ્યા છે. જેમાં આગ પર કાબુ મેળવવા પોલીસ બુલડોઝર મંગાવે છે અને ઝુંપડીને પાડી નાખે છે. પછી મહિલાના પુત્રનો અવાજ આવે છે જેમાં રોતા રોતા કહી રહ્યો છે કે જુઓ, મારી મમ્મી બળી રહી છે. પત્ની તેમજ પુત્રીને બચાવતી વખતે તેમના પિતા પણ ખરાબ રીતે દાઝી જાય છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  


આગ લગાડવાનો લગાવવામાં આવ્યો આરોપ 

રોષે ભરાયેલા લોકોએ ઓફિસરને કુહાડી મારીને ઘાયલ કર્યા છે. લોકોમાં ગુસ્સો જોઈ ઓફિસરો ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિકોએ ઓફિસરો પર ગામના 10 લોકોની હત્યા કરવાના ગુના સાથે ફરિયાદ કરવાની માગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કબજો હટાવતા ગામના લોકોએ ઝૂંપડીને આગ લગાવી દીધી હતી. જ્યાં સુધી મહેસુલ અને પોલીસ અધિકારી તેમજ ગામના કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. 


ડીએમએ આ અંગે આપ્યો ખુલાસો   

બીજી તરફ ડીએમ નેહા જૈને કહ્યું તે ગામડાની સોસાયટીનું 1642 નંબર જમીન કૃષ્ણ ગોપાલના કબજામાં છે. ગામના લોકોની ફરિયાદના આધારે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસડીએમ પોલીસની ટીમ સાથે દબાણ હટાવવા ગયા હતા. ત્યારે જ માતા અને પુત્રીએ ઝુંપડીની અંદર જઈને પોતાને આગ ચાંપી દીધી હચ. આગને કાબુમાં લેવા પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર દાઝી ગયા. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.