બિપોરજોયનું કવરેજ કરતા પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થયો વાયરલ! વીડિયો જોઈ લોકો કેમ ચાંદ નવાબને કરી રહ્યા છે યાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:23:17

બિપોરજોય વાવાઝોડાની અસર ન માત્ર ગુજરાત પર થઈ રહી છે પરંતુ પાકિસ્તાન પર પણ થવાની છે. જેમ અહિંયા રિપોર્ટર દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહી છે તેમ પાકિસ્તાન મીડિયા દ્વારા પણ વાવાઝોડાને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનના એક રિપોર્ટરનો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાના કવરેજ દરમિયાન તે અચાનક દરિયામાં કૂદી પડે છે. પાણીમાં કુદીને તે બતાવે છે કે પાણી કેટલું ઉંડુ છે અને કેટલું નીચું છે. આ વીડિયો જોઈને દર્શકો હસી હસીને લોતપોત થઈ જશે.


પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!

સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ચાંદ નવાબ પાર્ટ 2 ગણાવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મમાં પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબે જે પ્રકારે રિપોર્ટિંગ કર્યું હતું તે જ પ્રમાણે આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો ગણી રહ્યા છે. બિપોરજોયનું સંકટ ન માત્ર ગુજરાત પર પરંતુ પાકિસ્તાનમાં પણ તોળાઈ રહ્યું છે. જેટલો ખતરો ગુજરાત પર છે તેટલો જ સંકટ પાકિસ્તાન પર પણ છે. જેમ અહિંયા રિપોર્ટરો દ્વારા વાવાઝોડાની અપડેટ આપવામાં આવી રહી છે તેમ ત્યાંના રિપોર્ટરો પણ સતત અપડેટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરની રિપોર્ટીંગ સ્ટાઈલનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


લોકોને ખૂબ પસંદ આવી રહી છે રિપોર્ટિંગ સ્ટાઈલ!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પત્રકાર પોતાનું નામ અબ્દુર રહેમાન જણાવી રહ્યા છે. વીડિયોમાં રિપોર્ટર એમ કહેતા સાંભળી શકાય છે કે આજે પણ સમુદ્ર કેવો છે તે અમારો કેમેરામેન તમને દેખાડશે કે કેવી રીતે માછીમારોએ પોતાની બોટને કિનારા પર લાવી દીધી છે. હું તમને પાણીમાં કૂદીને બતાવીશ કે પાણી કેટલું ઊંડુ છે અને આમ કહેતા કહેતા પત્રકાર અચાનક ડુબકી મારે છે અને પાણીમાંથી વાવાઝોડાની અપડેટ આપવાની શરૂ કરી દે છે. રિપોર્ટની આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તમે વાયરલ વીડિયો વિશે શું કહેશો? 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.