બિપોરજોયનું કવરેજ કરતા પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થયો વાયરલ! વીડિયો જોઈ લોકો કેમ ચાંદ નવાબને કરી રહ્યા છે યાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:23:17

બિપોરજોય વાવાઝોડાની અસર ન માત્ર ગુજરાત પર થઈ રહી છે પરંતુ પાકિસ્તાન પર પણ થવાની છે. જેમ અહિંયા રિપોર્ટર દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહી છે તેમ પાકિસ્તાન મીડિયા દ્વારા પણ વાવાઝોડાને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનના એક રિપોર્ટરનો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાના કવરેજ દરમિયાન તે અચાનક દરિયામાં કૂદી પડે છે. પાણીમાં કુદીને તે બતાવે છે કે પાણી કેટલું ઉંડુ છે અને કેટલું નીચું છે. આ વીડિયો જોઈને દર્શકો હસી હસીને લોતપોત થઈ જશે.


પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!

સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ચાંદ નવાબ પાર્ટ 2 ગણાવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મમાં પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબે જે પ્રકારે રિપોર્ટિંગ કર્યું હતું તે જ પ્રમાણે આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો ગણી રહ્યા છે. બિપોરજોયનું સંકટ ન માત્ર ગુજરાત પર પરંતુ પાકિસ્તાનમાં પણ તોળાઈ રહ્યું છે. જેટલો ખતરો ગુજરાત પર છે તેટલો જ સંકટ પાકિસ્તાન પર પણ છે. જેમ અહિંયા રિપોર્ટરો દ્વારા વાવાઝોડાની અપડેટ આપવામાં આવી રહી છે તેમ ત્યાંના રિપોર્ટરો પણ સતત અપડેટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરની રિપોર્ટીંગ સ્ટાઈલનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


લોકોને ખૂબ પસંદ આવી રહી છે રિપોર્ટિંગ સ્ટાઈલ!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પત્રકાર પોતાનું નામ અબ્દુર રહેમાન જણાવી રહ્યા છે. વીડિયોમાં રિપોર્ટર એમ કહેતા સાંભળી શકાય છે કે આજે પણ સમુદ્ર કેવો છે તે અમારો કેમેરામેન તમને દેખાડશે કે કેવી રીતે માછીમારોએ પોતાની બોટને કિનારા પર લાવી દીધી છે. હું તમને પાણીમાં કૂદીને બતાવીશ કે પાણી કેટલું ઊંડુ છે અને આમ કહેતા કહેતા પત્રકાર અચાનક ડુબકી મારે છે અને પાણીમાંથી વાવાઝોડાની અપડેટ આપવાની શરૂ કરી દે છે. રિપોર્ટની આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તમે વાયરલ વીડિયો વિશે શું કહેશો? 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.