બિપોરજોયનું કવરેજ કરતા પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થયો વાયરલ! વીડિયો જોઈ લોકો કેમ ચાંદ નવાબને કરી રહ્યા છે યાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:23:17

બિપોરજોય વાવાઝોડાની અસર ન માત્ર ગુજરાત પર થઈ રહી છે પરંતુ પાકિસ્તાન પર પણ થવાની છે. જેમ અહિંયા રિપોર્ટર દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહી છે તેમ પાકિસ્તાન મીડિયા દ્વારા પણ વાવાઝોડાને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનના એક રિપોર્ટરનો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાના કવરેજ દરમિયાન તે અચાનક દરિયામાં કૂદી પડે છે. પાણીમાં કુદીને તે બતાવે છે કે પાણી કેટલું ઉંડુ છે અને કેટલું નીચું છે. આ વીડિયો જોઈને દર્શકો હસી હસીને લોતપોત થઈ જશે.


પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!

સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ચાંદ નવાબ પાર્ટ 2 ગણાવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મમાં પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબે જે પ્રકારે રિપોર્ટિંગ કર્યું હતું તે જ પ્રમાણે આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો ગણી રહ્યા છે. બિપોરજોયનું સંકટ ન માત્ર ગુજરાત પર પરંતુ પાકિસ્તાનમાં પણ તોળાઈ રહ્યું છે. જેટલો ખતરો ગુજરાત પર છે તેટલો જ સંકટ પાકિસ્તાન પર પણ છે. જેમ અહિંયા રિપોર્ટરો દ્વારા વાવાઝોડાની અપડેટ આપવામાં આવી રહી છે તેમ ત્યાંના રિપોર્ટરો પણ સતત અપડેટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરની રિપોર્ટીંગ સ્ટાઈલનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


લોકોને ખૂબ પસંદ આવી રહી છે રિપોર્ટિંગ સ્ટાઈલ!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પત્રકાર પોતાનું નામ અબ્દુર રહેમાન જણાવી રહ્યા છે. વીડિયોમાં રિપોર્ટર એમ કહેતા સાંભળી શકાય છે કે આજે પણ સમુદ્ર કેવો છે તે અમારો કેમેરામેન તમને દેખાડશે કે કેવી રીતે માછીમારોએ પોતાની બોટને કિનારા પર લાવી દીધી છે. હું તમને પાણીમાં કૂદીને બતાવીશ કે પાણી કેટલું ઊંડુ છે અને આમ કહેતા કહેતા પત્રકાર અચાનક ડુબકી મારે છે અને પાણીમાંથી વાવાઝોડાની અપડેટ આપવાની શરૂ કરી દે છે. રિપોર્ટની આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તમે વાયરલ વીડિયો વિશે શું કહેશો? 



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.