હરિયાણાના ગુરુગ્રામથી સામે આવ્યો ચોરીનો વીડિયો, G20 સંમેલનમાં જે ફૂલોથી શહેરને શણગારવાનું હતું તે ફૂલોની થઈ ચોરી


  • Published By :
  • Published Date : 2023-02-28 17:16:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જી20 સંમેલનમાં ઉપયોગ લેવામાં આવનારા ફૂલોની ચોરી કરવામાં આવી રહી છે. આ વીડિયો હરિયાણાના ગુરૂગ્રામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 40 લાખની કારમાં આવેલા બે ચોરો 400 રુપિયાના છોડની ચોરી કરતા નજરે પડ્યા હતા. આ છોડને જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવામાં આવવાનું હતું. લક્ઝરી ગાડીની નંબર પ્લેટ પણ વીઆઈપી હતી.

જી-20માં આવનાર મહેમાનોને ઈમ્પ્રેસ કરવા થવાનો હતો છોડનો ઉપયોગ 

જી-20 સંમેલનનું આયોજન દેશના અલગ અલગ રાજ્યોમાં થઈ રહ્યું છે. હરિયાણામાં પણ જી-20 સંમેલનનું આયોજન થયું છે. ત્યારે ગુરૂગ્રામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં 40 લાખની કારમાં ચોર આવે છે અને જી-20 સંમેલન માટે શહેરને શણગારવા માટે ઉપયોમાં લેનાર ફૂલો ચોરીને જતા રહે છે. 1 મીનિટ અને 7 સેકેન્ડનો આ વીડિયો છે. જે ગુરૂગ્રામના શંકર ચોકનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક કાર આવીને ઉભી રહે છે. આ કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરે છે. અને ખાસ પ્રકારના ફૂલોને કારની ડેકીમાં મૂકી રહ્યા છે. ફૂલ છોડની ચોરી કોણ કરે છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાતું નથી. ફૂલ છોડને કારની ડેકીમાં મૂકીને જતા રહે છે. હજી સુધી ચોરની ઓળખ થઈ નથી. 


ભાજપના નેતાએ ચોરીનો વીડિયો કર્યો શેર 

આ વીડિયો સામે આવતા વાયરલ થઈ રહ્યો છે. હરિયાણાના ભાજપના પ્રવક્તા રમન મલિકે આ વીડિયો શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરી તેમણે ગુરુગ્રામ પોલીસ તંત્ર અને હરિયાણાના મુખ્યમંત્રીને આ અંગે તપાસ કરવા અપીલ કરી છે. રમન મલિકે કહ્યું કે આ વ્યક્તિ 40 લાખની કારમાં આવ્યા હતા અને જી-20 સંમેલન માટે મુકવામાં આવેલા ફૂલ છોડની ચોરી કરી રહ્યા છે. ફૂલ છોડની આ રીતે ચોરી થવી શરમજનક ઘટના છે.   


પોલીસ મથકે આ ઘટનાને લઈ લખાઈ ફરિયાદ

આ વીડિયો સામે આવ્યા બાદ ગુરૂગ્રામ મહાનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઅીઓ એસકે ચહલે કહ્યું કે જી-20 કાર્યક્રમ માટે મુકવામાં આવેલા ફૂલ-છોડને કથીત રીતે ચોરી કરતા બે લોકોનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. પોલીસ મથકે આરોપી કારચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.