હરિયાણાના ગુરુગ્રામથી સામે આવ્યો ચોરીનો વીડિયો, G20 સંમેલનમાં જે ફૂલોથી શહેરને શણગારવાનું હતું તે ફૂલોની થઈ ચોરી


  • Published By :
  • Published Date : 2023-02-28 17:16:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જી20 સંમેલનમાં ઉપયોગ લેવામાં આવનારા ફૂલોની ચોરી કરવામાં આવી રહી છે. આ વીડિયો હરિયાણાના ગુરૂગ્રામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 40 લાખની કારમાં આવેલા બે ચોરો 400 રુપિયાના છોડની ચોરી કરતા નજરે પડ્યા હતા. આ છોડને જી-20 સંમેલન દરમિયાન શહેરને શણગારવામાં આવવાનું હતું. લક્ઝરી ગાડીની નંબર પ્લેટ પણ વીઆઈપી હતી.

જી-20માં આવનાર મહેમાનોને ઈમ્પ્રેસ કરવા થવાનો હતો છોડનો ઉપયોગ 

જી-20 સંમેલનનું આયોજન દેશના અલગ અલગ રાજ્યોમાં થઈ રહ્યું છે. હરિયાણામાં પણ જી-20 સંમેલનનું આયોજન થયું છે. ત્યારે ગુરૂગ્રામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં 40 લાખની કારમાં ચોર આવે છે અને જી-20 સંમેલન માટે શહેરને શણગારવા માટે ઉપયોમાં લેનાર ફૂલો ચોરીને જતા રહે છે. 1 મીનિટ અને 7 સેકેન્ડનો આ વીડિયો છે. જે ગુરૂગ્રામના શંકર ચોકનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક કાર આવીને ઉભી રહે છે. આ કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરે છે. અને ખાસ પ્રકારના ફૂલોને કારની ડેકીમાં મૂકી રહ્યા છે. ફૂલ છોડની ચોરી કોણ કરે છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાતું નથી. ફૂલ છોડને કારની ડેકીમાં મૂકીને જતા રહે છે. હજી સુધી ચોરની ઓળખ થઈ નથી. 


ભાજપના નેતાએ ચોરીનો વીડિયો કર્યો શેર 

આ વીડિયો સામે આવતા વાયરલ થઈ રહ્યો છે. હરિયાણાના ભાજપના પ્રવક્તા રમન મલિકે આ વીડિયો શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરી તેમણે ગુરુગ્રામ પોલીસ તંત્ર અને હરિયાણાના મુખ્યમંત્રીને આ અંગે તપાસ કરવા અપીલ કરી છે. રમન મલિકે કહ્યું કે આ વ્યક્તિ 40 લાખની કારમાં આવ્યા હતા અને જી-20 સંમેલન માટે મુકવામાં આવેલા ફૂલ છોડની ચોરી કરી રહ્યા છે. ફૂલ છોડની આ રીતે ચોરી થવી શરમજનક ઘટના છે.   


પોલીસ મથકે આ ઘટનાને લઈ લખાઈ ફરિયાદ

આ વીડિયો સામે આવ્યા બાદ ગુરૂગ્રામ મહાનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઅીઓ એસકે ચહલે કહ્યું કે જી-20 કાર્યક્રમ માટે મુકવામાં આવેલા ફૂલ-છોડને કથીત રીતે ચોરી કરતા બે લોકોનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. પોલીસ મથકે આરોપી કારચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.