અમેરિકામાં પીએમ મોદીની થઈ આગતા સ્વાગતા, જો બાઈડને પીએમ મોદી માટે કર્યું ડિનર પાર્ટીનું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-22 09:44:31

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર  મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. બુધવારે યોગ દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં સામેલ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મળવા વોશિંગટન પહોંચ્યા હતા. વોશિંગટન પહોંચતા તેમનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. પીએમ મોદી માટે વ્હાઈટ હાઉસમાં જો બાઈડેને પ્રાઈવેટ ડિનર હોસ્ટ કર્યું હતું જેમાં વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી. આ ડિનર પાર્ટીમાં પ્રથમ મહિલા પણ ઉપસ્થિત હતા.

   


પીએમ મોદી માટે કરાયું ડિનર પાર્ટીનું આયોજન

અમેરિકાના પ્રવાસે આમ તો અનેક વખત પીએમ મોદી ગયા છે પરંતુ આ વખતનો પ્રવાસ ખાસ માનવામાં આવે છે. જ્યારે પીએમ મોદી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા ત્યાં ઉપસ્થિત હતા .વિશ્વ યોગ દિવસ નિમિત્તે તેમણે યુએન હેડક્વાટર્સમાં અનેક દેશના પ્રતિનિધીઓ સાથે યોગ કર્યો હતો. તે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા વોશિંગટન ડીસી જવા રવાના થયા હતા. જ્યારે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે ભારે વરસાદ થઈ રહ્યો હતો. જેને લઈ પીએમ મોદીએ કહ્યું કે ભગવાન ઈન્દ્રએ આ યાત્રાને વધારે સારી બનાવી દીધી.  

જો બાઈડનને પીએમ મોદીએ આપ્યા ખાસ ઉપહાર

તે બાદ પીએમ મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા જ્યાં તેમના માટે ડિનર પાર્ટી આયોજીત કરવામાં આવી હતી. ડિનર પાર્ટીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા ઉપસ્થિત હતા. વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ ડિનરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુલિવાન પણ હાજર હતા. પીએમ મોદીએ જો બાઈડેનને અનેક શાનદાર વસ્તુઓની ભેટ આપી છે. સોગાદમાં પંજાબનું ઘી, રાજસ્થાનમાંથી હાથબનાવટનો24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો સહિતની અનેક વસ્તુઓ સામેલ છે. તો સામે જો બાઈડેને પણ પીએમ મોદીને વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પરનું પુસ્તક સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

     


ડિનર બદલ પીએમ મોદીએ માન્યો આભાર!

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ હું કે મને અહીં આવતાની સાથે જ ઘણા યુવા અને સર્જનાત્મક લોકો સાથે જોડાવવાનો મોકો મળ્યો. જિલ બાઈડેન આટલા વ્યસ્ત હોવા છતાં આ કાર્યક્રમનું આયોજન કર્યું, તેના માટે હું આભારી છું. ડિનર બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે વ્હાઈટ હાઉસમાં મારૂં સ્વાગત કરવા બદલ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડનનો આભારી છું. અમે અનેક વિષયો પર વાતચીત કરી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરશે. અને તે બાદ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?