અમેરિકામાં પીએમ મોદીની થઈ આગતા સ્વાગતા, જો બાઈડને પીએમ મોદી માટે કર્યું ડિનર પાર્ટીનું આયોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-22 09:44:31

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર  મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. બુધવારે યોગ દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં સામેલ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મળવા વોશિંગટન પહોંચ્યા હતા. વોશિંગટન પહોંચતા તેમનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. પીએમ મોદી માટે વ્હાઈટ હાઉસમાં જો બાઈડેને પ્રાઈવેટ ડિનર હોસ્ટ કર્યું હતું જેમાં વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી. આ ડિનર પાર્ટીમાં પ્રથમ મહિલા પણ ઉપસ્થિત હતા.

   


પીએમ મોદી માટે કરાયું ડિનર પાર્ટીનું આયોજન

અમેરિકાના પ્રવાસે આમ તો અનેક વખત પીએમ મોદી ગયા છે પરંતુ આ વખતનો પ્રવાસ ખાસ માનવામાં આવે છે. જ્યારે પીએમ મોદી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા ત્યાં ઉપસ્થિત હતા .વિશ્વ યોગ દિવસ નિમિત્તે તેમણે યુએન હેડક્વાટર્સમાં અનેક દેશના પ્રતિનિધીઓ સાથે યોગ કર્યો હતો. તે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા વોશિંગટન ડીસી જવા રવાના થયા હતા. જ્યારે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે ભારે વરસાદ થઈ રહ્યો હતો. જેને લઈ પીએમ મોદીએ કહ્યું કે ભગવાન ઈન્દ્રએ આ યાત્રાને વધારે સારી બનાવી દીધી.  

જો બાઈડનને પીએમ મોદીએ આપ્યા ખાસ ઉપહાર

તે બાદ પીએમ મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા જ્યાં તેમના માટે ડિનર પાર્ટી આયોજીત કરવામાં આવી હતી. ડિનર પાર્ટીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા ઉપસ્થિત હતા. વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ ડિનરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુલિવાન પણ હાજર હતા. પીએમ મોદીએ જો બાઈડેનને અનેક શાનદાર વસ્તુઓની ભેટ આપી છે. સોગાદમાં પંજાબનું ઘી, રાજસ્થાનમાંથી હાથબનાવટનો24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો સહિતની અનેક વસ્તુઓ સામેલ છે. તો સામે જો બાઈડેને પણ પીએમ મોદીને વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પરનું પુસ્તક સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

     


ડિનર બદલ પીએમ મોદીએ માન્યો આભાર!

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ હું કે મને અહીં આવતાની સાથે જ ઘણા યુવા અને સર્જનાત્મક લોકો સાથે જોડાવવાનો મોકો મળ્યો. જિલ બાઈડેન આટલા વ્યસ્ત હોવા છતાં આ કાર્યક્રમનું આયોજન કર્યું, તેના માટે હું આભારી છું. ડિનર બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે વ્હાઈટ હાઉસમાં મારૂં સ્વાગત કરવા બદલ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડનનો આભારી છું. અમે અનેક વિષયો પર વાતચીત કરી. મહત્વનું છે કે પીએમ મોદી આજે અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરશે. અને તે બાદ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.