અમેરિકામાં થયેલા પ્લેન ક્રેશમાં થયું મહિલાનું મોત, ઇન્ટ્રોડક્ટરી લેસન દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-07 16:14:02

અમેરિકાના ન્યુયોર્કમાં રવિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર બંને મહિલાઓ પ્લેન ઉડાવવાનું શીખવા માગતી હતી. આ પ્લેન ક્રેશમાં ભારતીય મૂળની મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે મહિલાની પુત્રી અને પાયલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના પ્લેનના કોકપિટમાં આગ લાગવાને કારણે સર્જાઈ છે. લોન્ગ આઈલૈંડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.    


પ્લેન ક્રેશને કારણે થયું મહિલાની મોત 

પ્લેન ઉડાવવાની તાલીમ લઈ રહેલી હતી. આ ઉડાન પછી તેઓ નક્કી કરવાના હતા કે પ્લેન ઉડાવવાની તાલીમ લેવી કે ન લેવી તેનો નિર્ણય લેવાના હતા. પરંતુ આ દુર્ઘટના સર્જાઈ જેને કારણે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. પોલીસે જાણકારી આપી કે તાલીમ આપી રહેલા પાઈલોટ પૂર્ણ રીતે ટ્રેન હતા. કોકપિટમાં પાયલટને ધુમાડો દેખાયો હતો. ધૂમાડો દેખાતા આ જાણકારી ટ્રાફિક કંટ્રોલને આપી. ઘટના બાદ પ્લેનના માલિકે જણાવ્યું કે પ્લેને ઉડાન ભરી તે પહેલા પ્લેનની સારી રીતે ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે પ્લેનમાં કોઈ ખામી દેખાઈ ન હતી. 


કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે અકબંધ 

અમેરિકાના નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારીએ કહ્યું કે પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવી રહી છે. સાઈટની મુલાકાત પણ લેવામાં આવી રહી છે. કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે કારણો જાણી શકાયા નથી. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની પુત્રી દાઝી ગઈ હતી.        




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.