અમેરિકામાં થયેલા પ્લેન ક્રેશમાં થયું મહિલાનું મોત, ઇન્ટ્રોડક્ટરી લેસન દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-07 16:14:02

અમેરિકાના ન્યુયોર્કમાં રવિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર બંને મહિલાઓ પ્લેન ઉડાવવાનું શીખવા માગતી હતી. આ પ્લેન ક્રેશમાં ભારતીય મૂળની મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે મહિલાની પુત્રી અને પાયલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના પ્લેનના કોકપિટમાં આગ લાગવાને કારણે સર્જાઈ છે. લોન્ગ આઈલૈંડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.    


પ્લેન ક્રેશને કારણે થયું મહિલાની મોત 

પ્લેન ઉડાવવાની તાલીમ લઈ રહેલી હતી. આ ઉડાન પછી તેઓ નક્કી કરવાના હતા કે પ્લેન ઉડાવવાની તાલીમ લેવી કે ન લેવી તેનો નિર્ણય લેવાના હતા. પરંતુ આ દુર્ઘટના સર્જાઈ જેને કારણે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. પોલીસે જાણકારી આપી કે તાલીમ આપી રહેલા પાઈલોટ પૂર્ણ રીતે ટ્રેન હતા. કોકપિટમાં પાયલટને ધુમાડો દેખાયો હતો. ધૂમાડો દેખાતા આ જાણકારી ટ્રાફિક કંટ્રોલને આપી. ઘટના બાદ પ્લેનના માલિકે જણાવ્યું કે પ્લેને ઉડાન ભરી તે પહેલા પ્લેનની સારી રીતે ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે પ્લેનમાં કોઈ ખામી દેખાઈ ન હતી. 


કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે અકબંધ 

અમેરિકાના નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારીએ કહ્યું કે પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવી રહી છે. સાઈટની મુલાકાત પણ લેવામાં આવી રહી છે. કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે કારણો જાણી શકાયા નથી. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની પુત્રી દાઝી ગઈ હતી.        




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.