રાજકોટમાં એક યુવાનનું થયું મોત, રાજકોટ મનપાની ઘોર બેદરકારીના કારણે ખાડામાં પડ્યો યુવક


  • Published By :
  • Published Date : 2023-01-27 15:22:37

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે. વિકાસલક્ષી કામો કરવા અનેક રસ્તાઓ પર ખાડા ખોડવામાં આવે છે. પરંતુ અનેક વખત આ ખાડાઓ મોતનું કારણ બની જતા હોય છે. રાજકોટમાં બાઈક લઈને જતો યુવક ખુલ્લા ખાડામાં પડતાં તેનું મોત થઈ ગયું છે. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી બેદકરકારીને કારણે આ યુવકનું મોત થયું છે તેવું લોકોનું માનવું છે. 


ઘટનાસ્થળે થયું યુવકનું મોત 

વરસાદના સમયે ખરાબ રસ્તાને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ખરાબ રસ્તાને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા કરવામાં આવતા ખાડા માથાનો દુખાવો બન્યા છે. ખોદકામને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઉપરાંત અનેક વખત આ ખોદકામ જીવલેણ પણ સાબિત થાય છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર એક અકસ્માત સર્જાયો છે જેમાં ઘટનાસ્થળ પર હર્ષ નામના યુવકનું મોત થયું છે.    

યુવાનના મૃતદેહને પીએમ માટે રિક્ષામાં લઈ જવાયો.

ખોદકામ આગળ ન હોતું મૂકવામાં આવ્યું બોર્ડ  

ઓવરબ્રિજ નજીક મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈ ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવ્યું હતું જેને કારણે અકસ્માત સર્જાયો છે. બાઈક સવાર હર્ષ ખાડામાં પડી ગયો જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. એકના એક દિકરાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.   

લોકોએ યુવાન અને બાઇક બન્નેને બહાર કાઢ્યા હતા.

આ ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ 

મળતી માહિતી અનુસાર રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઈન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર આ ઘટના બની હતી. ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય તે માટે ગડર મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને તે બાદ પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.