રાજકોટમાં એક યુવાનનું થયું મોત, રાજકોટ મનપાની ઘોર બેદરકારીના કારણે ખાડામાં પડ્યો યુવક


  • Published By :
  • Published Date : 2023-01-27 15:22:37

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે. વિકાસલક્ષી કામો કરવા અનેક રસ્તાઓ પર ખાડા ખોડવામાં આવે છે. પરંતુ અનેક વખત આ ખાડાઓ મોતનું કારણ બની જતા હોય છે. રાજકોટમાં બાઈક લઈને જતો યુવક ખુલ્લા ખાડામાં પડતાં તેનું મોત થઈ ગયું છે. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી બેદકરકારીને કારણે આ યુવકનું મોત થયું છે તેવું લોકોનું માનવું છે. 


ઘટનાસ્થળે થયું યુવકનું મોત 

વરસાદના સમયે ખરાબ રસ્તાને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ખરાબ રસ્તાને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા કરવામાં આવતા ખાડા માથાનો દુખાવો બન્યા છે. ખોદકામને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઉપરાંત અનેક વખત આ ખોદકામ જીવલેણ પણ સાબિત થાય છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર એક અકસ્માત સર્જાયો છે જેમાં ઘટનાસ્થળ પર હર્ષ નામના યુવકનું મોત થયું છે.    

યુવાનના મૃતદેહને પીએમ માટે રિક્ષામાં લઈ જવાયો.

ખોદકામ આગળ ન હોતું મૂકવામાં આવ્યું બોર્ડ  

ઓવરબ્રિજ નજીક મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈ ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવ્યું હતું જેને કારણે અકસ્માત સર્જાયો છે. બાઈક સવાર હર્ષ ખાડામાં પડી ગયો જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. એકના એક દિકરાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.   

લોકોએ યુવાન અને બાઇક બન્નેને બહાર કાઢ્યા હતા.

આ ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ 

મળતી માહિતી અનુસાર રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઈન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર આ ઘટના બની હતી. ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય તે માટે ગડર મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને તે બાદ પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.