રાજકોટમાં એક યુવાનનું થયું મોત, રાજકોટ મનપાની ઘોર બેદરકારીના કારણે ખાડામાં પડ્યો યુવક


  • Published By :
  • Published Date : 2023-01-27 15:22:37

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે. વિકાસલક્ષી કામો કરવા અનેક રસ્તાઓ પર ખાડા ખોડવામાં આવે છે. પરંતુ અનેક વખત આ ખાડાઓ મોતનું કારણ બની જતા હોય છે. રાજકોટમાં બાઈક લઈને જતો યુવક ખુલ્લા ખાડામાં પડતાં તેનું મોત થઈ ગયું છે. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી બેદકરકારીને કારણે આ યુવકનું મોત થયું છે તેવું લોકોનું માનવું છે. 


ઘટનાસ્થળે થયું યુવકનું મોત 

વરસાદના સમયે ખરાબ રસ્તાને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ખરાબ રસ્તાને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા કરવામાં આવતા ખાડા માથાનો દુખાવો બન્યા છે. ખોદકામને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઉપરાંત અનેક વખત આ ખોદકામ જીવલેણ પણ સાબિત થાય છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર એક અકસ્માત સર્જાયો છે જેમાં ઘટનાસ્થળ પર હર્ષ નામના યુવકનું મોત થયું છે.    

યુવાનના મૃતદેહને પીએમ માટે રિક્ષામાં લઈ જવાયો.

ખોદકામ આગળ ન હોતું મૂકવામાં આવ્યું બોર્ડ  

ઓવરબ્રિજ નજીક મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈ ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવ્યું હતું જેને કારણે અકસ્માત સર્જાયો છે. બાઈક સવાર હર્ષ ખાડામાં પડી ગયો જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. એકના એક દિકરાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.   

લોકોએ યુવાન અને બાઇક બન્નેને બહાર કાઢ્યા હતા.

આ ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ 

મળતી માહિતી અનુસાર રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઈન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર આ ઘટના બની હતી. ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય તે માટે ગડર મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને તે બાદ પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.