વગર હેલ્મેટએ વાહન ચલાવી રહ્યો હતો યુવક, પોલીસને જોતા જ ચલાણથી બચવા અપનાવ્યો આવ્યો રસ્તો કે ટ્રીક થઈ ગઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:32:59

ટ્રાફિકની વ્યવસ્થા જળવાય તે માટે ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે. જો તમે ટ્રાફિકનો નિયમ તોડો છો તો  ટ્રાફિક તમને સાઈડ બોલાવી દેતી હોય છે ડોક્યુમેન્ટ બતાવવાનું કહેતી હોય છે. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. પરંતુ અનેક વાહન ચાલકો એવા હોય છે જે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા હોય છે અને જ્યાં પોલીસ દેખાતી હોય છે ત્યારે વાહનને ભગાડે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલ્મેટ પહેર્યા વગર નિકળેલા યુવાને પોલીસથી બચવા આ રસ્તો અપનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

  

પોલીસથી બચવા યુવકે કર્યો આ જુગાડ!

પોલીસથી બચવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપવાનતા હોય છે. ટ્રાફિક પોલીસ જ્યારે પકડે છે ત્યારે અનેક લોકો ઝડપથી વાહન ચલાવી પોલીસથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર પોલીસથી બચવા માટે વ્યક્તિએ કરેલો જુગાડ વાયરલ થઈ રહ્યો છે. વગર હેલમેટે વાહન ચલાવતા વ્યક્તિને ખબર પડી જાય છે કે હવે ચલાણ કપાશે. જે બાદ તે પોતાનું દિમાગ લગાવી સ્કુટી બંધ કરી નીચે ઉતરી એક્ટિવાને ધક્કો મારવાનું શરૂ કરી દે છે. જ્યારે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ ગયું ત્યારે જે રીતે ધક્કો મારતા હોઈએ છીએ એવી રીતે. ધક્કા મારી યુવક પોલીસ સામેથી નિકળી જાય છે.અને આગળ જઈને વાહનને ચાલુ કરી દે છે અને સડસડાટ કરતો આગળ નીકળી જાય છે.


વાહન ચલાવતી વખતે આપણી સલામતી માટે હોય છે હેલ્મેટ!    

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસથી બચવા માટે અપનાવામાં આવેલી ટેક્નીક લોકોને પસંદ આવી રહી છે. પરંતુ એટલું કહેવું છે કે હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે. ઉપરાંત જે પણ ટ્રાફિકના નિયમો બનાવવામાં આવ્યા છે તે આપણા હિત માટે હોય છે. તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન ચલાવતી વખતે આપણી સલામતી મુખ્ય હોય છે.    




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.