વગર હેલ્મેટએ વાહન ચલાવી રહ્યો હતો યુવક, પોલીસને જોતા જ ચલાણથી બચવા અપનાવ્યો આવ્યો રસ્તો કે ટ્રીક થઈ ગઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:32:59

ટ્રાફિકની વ્યવસ્થા જળવાય તે માટે ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે. જો તમે ટ્રાફિકનો નિયમ તોડો છો તો  ટ્રાફિક તમને સાઈડ બોલાવી દેતી હોય છે ડોક્યુમેન્ટ બતાવવાનું કહેતી હોય છે. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. પરંતુ અનેક વાહન ચાલકો એવા હોય છે જે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા હોય છે અને જ્યાં પોલીસ દેખાતી હોય છે ત્યારે વાહનને ભગાડે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલ્મેટ પહેર્યા વગર નિકળેલા યુવાને પોલીસથી બચવા આ રસ્તો અપનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

  

પોલીસથી બચવા યુવકે કર્યો આ જુગાડ!

પોલીસથી બચવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપવાનતા હોય છે. ટ્રાફિક પોલીસ જ્યારે પકડે છે ત્યારે અનેક લોકો ઝડપથી વાહન ચલાવી પોલીસથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર પોલીસથી બચવા માટે વ્યક્તિએ કરેલો જુગાડ વાયરલ થઈ રહ્યો છે. વગર હેલમેટે વાહન ચલાવતા વ્યક્તિને ખબર પડી જાય છે કે હવે ચલાણ કપાશે. જે બાદ તે પોતાનું દિમાગ લગાવી સ્કુટી બંધ કરી નીચે ઉતરી એક્ટિવાને ધક્કો મારવાનું શરૂ કરી દે છે. જ્યારે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ ગયું ત્યારે જે રીતે ધક્કો મારતા હોઈએ છીએ એવી રીતે. ધક્કા મારી યુવક પોલીસ સામેથી નિકળી જાય છે.અને આગળ જઈને વાહનને ચાલુ કરી દે છે અને સડસડાટ કરતો આગળ નીકળી જાય છે.


વાહન ચલાવતી વખતે આપણી સલામતી માટે હોય છે હેલ્મેટ!    

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસથી બચવા માટે અપનાવામાં આવેલી ટેક્નીક લોકોને પસંદ આવી રહી છે. પરંતુ એટલું કહેવું છે કે હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે. ઉપરાંત જે પણ ટ્રાફિકના નિયમો બનાવવામાં આવ્યા છે તે આપણા હિત માટે હોય છે. તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન ચલાવતી વખતે આપણી સલામતી મુખ્ય હોય છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.