વગર હેલ્મેટએ વાહન ચલાવી રહ્યો હતો યુવક, પોલીસને જોતા જ ચલાણથી બચવા અપનાવ્યો આવ્યો રસ્તો કે ટ્રીક થઈ ગઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:32:59

ટ્રાફિકની વ્યવસ્થા જળવાય તે માટે ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે. જો તમે ટ્રાફિકનો નિયમ તોડો છો તો  ટ્રાફિક તમને સાઈડ બોલાવી દેતી હોય છે ડોક્યુમેન્ટ બતાવવાનું કહેતી હોય છે. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. પરંતુ અનેક વાહન ચાલકો એવા હોય છે જે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા હોય છે અને જ્યાં પોલીસ દેખાતી હોય છે ત્યારે વાહનને ભગાડે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલ્મેટ પહેર્યા વગર નિકળેલા યુવાને પોલીસથી બચવા આ રસ્તો અપનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

  

પોલીસથી બચવા યુવકે કર્યો આ જુગાડ!

પોલીસથી બચવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપવાનતા હોય છે. ટ્રાફિક પોલીસ જ્યારે પકડે છે ત્યારે અનેક લોકો ઝડપથી વાહન ચલાવી પોલીસથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર પોલીસથી બચવા માટે વ્યક્તિએ કરેલો જુગાડ વાયરલ થઈ રહ્યો છે. વગર હેલમેટે વાહન ચલાવતા વ્યક્તિને ખબર પડી જાય છે કે હવે ચલાણ કપાશે. જે બાદ તે પોતાનું દિમાગ લગાવી સ્કુટી બંધ કરી નીચે ઉતરી એક્ટિવાને ધક્કો મારવાનું શરૂ કરી દે છે. જ્યારે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ ગયું ત્યારે જે રીતે ધક્કો મારતા હોઈએ છીએ એવી રીતે. ધક્કા મારી યુવક પોલીસ સામેથી નિકળી જાય છે.અને આગળ જઈને વાહનને ચાલુ કરી દે છે અને સડસડાટ કરતો આગળ નીકળી જાય છે.


વાહન ચલાવતી વખતે આપણી સલામતી માટે હોય છે હેલ્મેટ!    

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસથી બચવા માટે અપનાવામાં આવેલી ટેક્નીક લોકોને પસંદ આવી રહી છે. પરંતુ એટલું કહેવું છે કે હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે. ઉપરાંત જે પણ ટ્રાફિકના નિયમો બનાવવામાં આવ્યા છે તે આપણા હિત માટે હોય છે. તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન ચલાવતી વખતે આપણી સલામતી મુખ્ય હોય છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.