વગર હેલ્મેટએ વાહન ચલાવી રહ્યો હતો યુવક, પોલીસને જોતા જ ચલાણથી બચવા અપનાવ્યો આવ્યો રસ્તો કે ટ્રીક થઈ ગઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:32:59

ટ્રાફિકની વ્યવસ્થા જળવાય તે માટે ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે. જો તમે ટ્રાફિકનો નિયમ તોડો છો તો  ટ્રાફિક તમને સાઈડ બોલાવી દેતી હોય છે ડોક્યુમેન્ટ બતાવવાનું કહેતી હોય છે. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. પરંતુ અનેક વાહન ચાલકો એવા હોય છે જે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા હોય છે અને જ્યાં પોલીસ દેખાતી હોય છે ત્યારે વાહનને ભગાડે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલ્મેટ પહેર્યા વગર નિકળેલા યુવાને પોલીસથી બચવા આ રસ્તો અપનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

  

પોલીસથી બચવા યુવકે કર્યો આ જુગાડ!

પોલીસથી બચવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપવાનતા હોય છે. ટ્રાફિક પોલીસ જ્યારે પકડે છે ત્યારે અનેક લોકો ઝડપથી વાહન ચલાવી પોલીસથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર પોલીસથી બચવા માટે વ્યક્તિએ કરેલો જુગાડ વાયરલ થઈ રહ્યો છે. વગર હેલમેટે વાહન ચલાવતા વ્યક્તિને ખબર પડી જાય છે કે હવે ચલાણ કપાશે. જે બાદ તે પોતાનું દિમાગ લગાવી સ્કુટી બંધ કરી નીચે ઉતરી એક્ટિવાને ધક્કો મારવાનું શરૂ કરી દે છે. જ્યારે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ ગયું ત્યારે જે રીતે ધક્કો મારતા હોઈએ છીએ એવી રીતે. ધક્કા મારી યુવક પોલીસ સામેથી નિકળી જાય છે.અને આગળ જઈને વાહનને ચાલુ કરી દે છે અને સડસડાટ કરતો આગળ નીકળી જાય છે.


વાહન ચલાવતી વખતે આપણી સલામતી માટે હોય છે હેલ્મેટ!    

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસથી બચવા માટે અપનાવામાં આવેલી ટેક્નીક લોકોને પસંદ આવી રહી છે. પરંતુ એટલું કહેવું છે કે હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે. ઉપરાંત જે પણ ટ્રાફિકના નિયમો બનાવવામાં આવ્યા છે તે આપણા હિત માટે હોય છે. તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન ચલાવતી વખતે આપણી સલામતી મુખ્ય હોય છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.