આમ આદમી પાર્ટી બની રાષ્ટ્રીય પાર્ટી


  • Published By :
  • Published Date : 2022-12-09 14:01:14

10 વર્ષ પહેલા બનેલી આમ આદમી પાર્ટીએ, રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી લીધો છે. દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ અનેક રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આપને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.

આમ આદમી પાર્ટીને મળ્યું રાષ્ટ્રીય પાર્ટીનું બિરૂદ

ગુજરાત વિધાનસભામાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટીને સારી સીટો ન મળી પરંતુ આપના વોટ શેરમાં વધારો થયો છે. વિધાનસભાની ચૂંટણી્માં માપદંડ પ્રમાણે 12 ટકા વોટશેર હાંસિલ કરી નેશનલ પાર્ટીનું ટેગ મેળવ્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વીડિયો મેસેજ શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હવે નેશનલ પાર્ટી બની ગઈ છે.

દિલ્હીમાં પૂર્ણ બહુમતીની સરકાર હતી જે બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બની ગોવામાં પણ 6 ટકા વોટ શેર મળ્યા હતા જે બે સીટો જીતવાનો મુદ્દો પૂરો કરે છે. અને ત્યારબાદ ગુજરાતની ચૂંટણીમાં આપે 12.92 ટકા વોટ શેર મેળ્યો હતો.  

AAP announces five candidates for 2019 Lok Sabha polls; Sukhpal Singh  Khaira group upset - The Economic Times

રાષ્ટ્રીય પાર્ટી બન્યા બાદ મળતા ફાયદા 

નેશનલ પાર્ટી બન્યા બાદ પાર્ટીના થતા ફાયદાની વાત કરીએ તો ચૂંટણી નિશાન કોઈ અન્યથી નહીં વપરાય. ઝાડુ નિશાન સમગ્ર દેશમાં સરખો રહેશે. એને હવેથી ચૂંટણી ચિન્હ નહીં બદલાય. ઉપરાંત દુરદર્શન તેમજ ઓલ ઈન્ડિયા રેડિયો પર પોતાની પાર્ટીનો પ્રચાર કરી શકશે. પક્ષનું મુખ્યાલય બનાવા સરકારી જમીન પણ મળે છે. ઉપરાંત રાષ્ટ્રીય પાર્ટી 40 સ્ટાર પ્રચારકો ઉતારી શકે છે. સ્ટાર પ્રચારકો દ્વારા ચૂંટણી પ્રચાર પાછળ કરવામાં આવતો ખર્ચ કેન્ડિડેટ પાછળ વપરાતા ખર્ચમાં ઉમેરો નહીં થાય.

બીજા અનેક છે માપદંડ

આ સિવાય બીજા માપદંડ છે જેને કારણે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી શકે છે. જો કોઈ પાર્ટી 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટી તરીકે ઉભરી આવે છે તો પણ રાષ્ટ્રીય પક્ષ બની શકે છે. રાજ્યપક્ષની શ્રેણીમાં જોડાવા માટે કોઈપણ પક્ષને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 6 ટકા મત અથવા બે બેઠકો મેળવી પડે છે. અને જો વોટ શેરિંગ 6 ટકા ઓછી હોય તો 3 સીટો મેળવવી પડે છે. અથવા તો પાર્ટી પાસે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની 2 ટકા બેઠકો હોવી જોઈએ.

આ પાર્ટીને મળેલી છે રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા

આમ આદમી પાર્ટી સિવાય ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, નેશનિલ્ટ કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મળી છે.         




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.