આમ આદમી પાર્ટી બની રાષ્ટ્રીય પાર્ટી


  • Published By :
  • Published Date : 2022-12-09 14:01:14

10 વર્ષ પહેલા બનેલી આમ આદમી પાર્ટીએ, રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી લીધો છે. દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ અનેક રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આપને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.

આમ આદમી પાર્ટીને મળ્યું રાષ્ટ્રીય પાર્ટીનું બિરૂદ

ગુજરાત વિધાનસભામાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટીને સારી સીટો ન મળી પરંતુ આપના વોટ શેરમાં વધારો થયો છે. વિધાનસભાની ચૂંટણી્માં માપદંડ પ્રમાણે 12 ટકા વોટશેર હાંસિલ કરી નેશનલ પાર્ટીનું ટેગ મેળવ્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વીડિયો મેસેજ શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હવે નેશનલ પાર્ટી બની ગઈ છે.

દિલ્હીમાં પૂર્ણ બહુમતીની સરકાર હતી જે બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બની ગોવામાં પણ 6 ટકા વોટ શેર મળ્યા હતા જે બે સીટો જીતવાનો મુદ્દો પૂરો કરે છે. અને ત્યારબાદ ગુજરાતની ચૂંટણીમાં આપે 12.92 ટકા વોટ શેર મેળ્યો હતો.  

AAP announces five candidates for 2019 Lok Sabha polls; Sukhpal Singh  Khaira group upset - The Economic Times

રાષ્ટ્રીય પાર્ટી બન્યા બાદ મળતા ફાયદા 

નેશનલ પાર્ટી બન્યા બાદ પાર્ટીના થતા ફાયદાની વાત કરીએ તો ચૂંટણી નિશાન કોઈ અન્યથી નહીં વપરાય. ઝાડુ નિશાન સમગ્ર દેશમાં સરખો રહેશે. એને હવેથી ચૂંટણી ચિન્હ નહીં બદલાય. ઉપરાંત દુરદર્શન તેમજ ઓલ ઈન્ડિયા રેડિયો પર પોતાની પાર્ટીનો પ્રચાર કરી શકશે. પક્ષનું મુખ્યાલય બનાવા સરકારી જમીન પણ મળે છે. ઉપરાંત રાષ્ટ્રીય પાર્ટી 40 સ્ટાર પ્રચારકો ઉતારી શકે છે. સ્ટાર પ્રચારકો દ્વારા ચૂંટણી પ્રચાર પાછળ કરવામાં આવતો ખર્ચ કેન્ડિડેટ પાછળ વપરાતા ખર્ચમાં ઉમેરો નહીં થાય.

બીજા અનેક છે માપદંડ

આ સિવાય બીજા માપદંડ છે જેને કારણે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી શકે છે. જો કોઈ પાર્ટી 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટી તરીકે ઉભરી આવે છે તો પણ રાષ્ટ્રીય પક્ષ બની શકે છે. રાજ્યપક્ષની શ્રેણીમાં જોડાવા માટે કોઈપણ પક્ષને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 6 ટકા મત અથવા બે બેઠકો મેળવી પડે છે. અને જો વોટ શેરિંગ 6 ટકા ઓછી હોય તો 3 સીટો મેળવવી પડે છે. અથવા તો પાર્ટી પાસે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની 2 ટકા બેઠકો હોવી જોઈએ.

આ પાર્ટીને મળેલી છે રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા

આમ આદમી પાર્ટી સિવાય ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, નેશનિલ્ટ કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મળી છે.         




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે