Election માટે Aam Aadmi Partyએ લોન્ચ કર્યું Campaign, અભિયાન અંતર્ગત પોસ્ટરમાં લખાયું - જેલ કા જવાબ વોટ સે.. જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 17:38:29

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. પાર્ટી પોત પોતાની રીતે ચૂંટણી પ્રચાર કરશે, વિવિધ કેમ્પેઈન લોન્ચ કરશે વગેરે વગેરે... આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ કેમ્પેઈન લોન્ચ કરી દીધું છે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ નવા સ્લોગન સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. જે નવો સ્લોગન છે તેની વાત કરીએ તો જેલ કા જવાબ વોટ સે... આ કેમ્પેઈનની અનેક તસવીરો સામે આવી છે. પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને જેલની પાછળ દર્શાવવામાં આવ્યા છે અને નીચે લખવામાં આવ્યું છે જેલનો જવાબ વોટ થી...

અરવિંદ કેજરીવાલ હાલ છે જેલમાં! 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓને ઉઠાવવામાં આવતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી કેમ્પેઈનની શરૂઆત કરી દીધી છે અને તેમાં અરવિંદ કેજરીવાલ જેલમાં તે મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડને લઈ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ માટે તેમને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું પરંતુ તે હાજર થયા ના હતા ત્યારે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી અને અનેક કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. 

લોકસભા ચૂંટણી માટે પ્રચારની કરી આમ આદમી પાર્ટીએ શરૂઆત 

ના માત્ર અરવિંદ કેજરીવાલ પરંતુ મનીષ સિસોદિયા પણ જેલમાં છે. અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યા બાદ આપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે કહ્યું કે દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા તો તેમના વિના ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે.? જેઓ અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે, તેમની જવાબદારી બને છે કે તેઓ કેજરીવાલ માટે કામ કરે.. તે ઉપરાંત સંજયસિંહ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે દિલ્હીના લોકોને અપીલ કરી હતી કે વોટ કરતી વખતે આ જરૂર જોઈને જજો... ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાનની શું અસર પડે છે.?  



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.