Election માટે Aam Aadmi Partyએ લોન્ચ કર્યું Campaign, અભિયાન અંતર્ગત પોસ્ટરમાં લખાયું - જેલ કા જવાબ વોટ સે.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-08 17:38:29

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. પાર્ટી પોત પોતાની રીતે ચૂંટણી પ્રચાર કરશે, વિવિધ કેમ્પેઈન લોન્ચ કરશે વગેરે વગેરે... આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ કેમ્પેઈન લોન્ચ કરી દીધું છે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ નવા સ્લોગન સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. જે નવો સ્લોગન છે તેની વાત કરીએ તો જેલ કા જવાબ વોટ સે... આ કેમ્પેઈનની અનેક તસવીરો સામે આવી છે. પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને જેલની પાછળ દર્શાવવામાં આવ્યા છે અને નીચે લખવામાં આવ્યું છે જેલનો જવાબ વોટ થી...

અરવિંદ કેજરીવાલ હાલ છે જેલમાં! 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓને ઉઠાવવામાં આવતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી કેમ્પેઈનની શરૂઆત કરી દીધી છે અને તેમાં અરવિંદ કેજરીવાલ જેલમાં તે મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડને લઈ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ માટે તેમને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું પરંતુ તે હાજર થયા ના હતા ત્યારે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી અને અનેક કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. 

લોકસભા ચૂંટણી માટે પ્રચારની કરી આમ આદમી પાર્ટીએ શરૂઆત 

ના માત્ર અરવિંદ કેજરીવાલ પરંતુ મનીષ સિસોદિયા પણ જેલમાં છે. અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યા બાદ આપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે કહ્યું કે દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા તો તેમના વિના ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે.? જેઓ અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે, તેમની જવાબદારી બને છે કે તેઓ કેજરીવાલ માટે કામ કરે.. તે ઉપરાંત સંજયસિંહ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે દિલ્હીના લોકોને અપીલ કરી હતી કે વોટ કરતી વખતે આ જરૂર જોઈને જજો... ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાનની શું અસર પડે છે.?  



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.