Election માટે Aam Aadmi Partyએ લોન્ચ કર્યું Campaign, અભિયાન અંતર્ગત પોસ્ટરમાં લખાયું - જેલ કા જવાબ વોટ સે.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-08 17:38:29

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. પાર્ટી પોત પોતાની રીતે ચૂંટણી પ્રચાર કરશે, વિવિધ કેમ્પેઈન લોન્ચ કરશે વગેરે વગેરે... આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ કેમ્પેઈન લોન્ચ કરી દીધું છે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ નવા સ્લોગન સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. જે નવો સ્લોગન છે તેની વાત કરીએ તો જેલ કા જવાબ વોટ સે... આ કેમ્પેઈનની અનેક તસવીરો સામે આવી છે. પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને જેલની પાછળ દર્શાવવામાં આવ્યા છે અને નીચે લખવામાં આવ્યું છે જેલનો જવાબ વોટ થી...

અરવિંદ કેજરીવાલ હાલ છે જેલમાં! 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓને ઉઠાવવામાં આવતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી કેમ્પેઈનની શરૂઆત કરી દીધી છે અને તેમાં અરવિંદ કેજરીવાલ જેલમાં તે મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડને લઈ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ માટે તેમને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું પરંતુ તે હાજર થયા ના હતા ત્યારે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી અને અનેક કલાકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. 

લોકસભા ચૂંટણી માટે પ્રચારની કરી આમ આદમી પાર્ટીએ શરૂઆત 

ના માત્ર અરવિંદ કેજરીવાલ પરંતુ મનીષ સિસોદિયા પણ જેલમાં છે. અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યા બાદ આપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે કહ્યું કે દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા તો તેમના વિના ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે.? જેઓ અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે, તેમની જવાબદારી બને છે કે તેઓ કેજરીવાલ માટે કામ કરે.. તે ઉપરાંત સંજયસિંહ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે દિલ્હીના લોકોને અપીલ કરી હતી કે વોટ કરતી વખતે આ જરૂર જોઈને જજો... ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાનની શું અસર પડે છે.?  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.