આમ આદમી પાર્ટીની ચાર ચોપડી પાસ રાજાની વાર્તા સામે ભાજપની નમકહરામની વાર્તા! વાર્તાનો સહારો લઈ કરાઈ રહ્યા છે પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-04-18 12:30:47

નાના હતા ત્યારે દાદીમાં આપણને વાર્તા કહેતા હતા. રાજા રાણીની વાર્તા હોય કે પરીઓની વાર્તા હોય. પરંતુ મોટા થયા ત્યારથી આ વાર્તાઓ આપણને ભૂલાઈ રહી છે. આજે વાર્તાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે રાજકારણમાં આજકાલ વાર્તાનો સહારો લઈ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા સંભળાવી હતી જેના જવાબમાં ભાજપે પણ એક વાર્તા લાવી દીધી હતી.

વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહી વાર્તા!

અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી ચર્ચામાં છે. સીબીઆઈ દ્વારા પૂછપરછની વાત હોય કે પછી વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈ કરવામાં આવેલી વાત હોય. આ બધા વચ્ચે ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા કહી હતી. વાર્તાનો ઉપયોગ કરી તેમણે આડકતરી રીતે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. વાર્તાનું શિર્ષક હતું ચોથી ફેલ રાજા. આ વાર્તામાં તેમણે નામ લીધા વગર વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. 


ભાજપ લઈને આવ્યું નમકહરામની વાર્તા!

આ વાર્તાના જવાબમાં ભાજપ પોતાની વાર્તા લઈને આવી. કપિલ મિશ્રાએ એક વાર્તા ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે 'કહાની એક નમકહરામની. જેણે પૈસા અને સત્તા માટે આંદોલનથી, પોતાના ગુરૂથી, પોતાના મિત્રોથી, જનતાથી અને પોતાના દેશથી નમકહરામી કરી. આજે આ નમકહરામ જેલમાં જવાથી ડરી રહ્યા છે. શું તમે જાણો છો નમકહરામનું નામ?'  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.