આમ આદમી પાર્ટીની ચાર ચોપડી પાસ રાજાની વાર્તા સામે ભાજપની નમકહરામની વાર્તા! વાર્તાનો સહારો લઈ કરાઈ રહ્યા છે પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-04-18 12:30:47

નાના હતા ત્યારે દાદીમાં આપણને વાર્તા કહેતા હતા. રાજા રાણીની વાર્તા હોય કે પરીઓની વાર્તા હોય. પરંતુ મોટા થયા ત્યારથી આ વાર્તાઓ આપણને ભૂલાઈ રહી છે. આજે વાર્તાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે રાજકારણમાં આજકાલ વાર્તાનો સહારો લઈ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા સંભળાવી હતી જેના જવાબમાં ભાજપે પણ એક વાર્તા લાવી દીધી હતી.

વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહી વાર્તા!

અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી ચર્ચામાં છે. સીબીઆઈ દ્વારા પૂછપરછની વાત હોય કે પછી વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈ કરવામાં આવેલી વાત હોય. આ બધા વચ્ચે ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા કહી હતી. વાર્તાનો ઉપયોગ કરી તેમણે આડકતરી રીતે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. વાર્તાનું શિર્ષક હતું ચોથી ફેલ રાજા. આ વાર્તામાં તેમણે નામ લીધા વગર વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. 


ભાજપ લઈને આવ્યું નમકહરામની વાર્તા!

આ વાર્તાના જવાબમાં ભાજપ પોતાની વાર્તા લઈને આવી. કપિલ મિશ્રાએ એક વાર્તા ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે 'કહાની એક નમકહરામની. જેણે પૈસા અને સત્તા માટે આંદોલનથી, પોતાના ગુરૂથી, પોતાના મિત્રોથી, જનતાથી અને પોતાના દેશથી નમકહરામી કરી. આજે આ નમકહરામ જેલમાં જવાથી ડરી રહ્યા છે. શું તમે જાણો છો નમકહરામનું નામ?'  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.