આમ આદમી પાર્ટીની ચાર ચોપડી પાસ રાજાની વાર્તા સામે ભાજપની નમકહરામની વાર્તા! વાર્તાનો સહારો લઈ કરાઈ રહ્યા છે પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-04-18 12:30:47

નાના હતા ત્યારે દાદીમાં આપણને વાર્તા કહેતા હતા. રાજા રાણીની વાર્તા હોય કે પરીઓની વાર્તા હોય. પરંતુ મોટા થયા ત્યારથી આ વાર્તાઓ આપણને ભૂલાઈ રહી છે. આજે વાર્તાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે રાજકારણમાં આજકાલ વાર્તાનો સહારો લઈ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા સંભળાવી હતી જેના જવાબમાં ભાજપે પણ એક વાર્તા લાવી દીધી હતી.

વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહી વાર્તા!

અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી ચર્ચામાં છે. સીબીઆઈ દ્વારા પૂછપરછની વાત હોય કે પછી વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈ કરવામાં આવેલી વાત હોય. આ બધા વચ્ચે ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા કહી હતી. વાર્તાનો ઉપયોગ કરી તેમણે આડકતરી રીતે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. વાર્તાનું શિર્ષક હતું ચોથી ફેલ રાજા. આ વાર્તામાં તેમણે નામ લીધા વગર વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. 


ભાજપ લઈને આવ્યું નમકહરામની વાર્તા!

આ વાર્તાના જવાબમાં ભાજપ પોતાની વાર્તા લઈને આવી. કપિલ મિશ્રાએ એક વાર્તા ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે 'કહાની એક નમકહરામની. જેણે પૈસા અને સત્તા માટે આંદોલનથી, પોતાના ગુરૂથી, પોતાના મિત્રોથી, જનતાથી અને પોતાના દેશથી નમકહરામી કરી. આજે આ નમકહરામ જેલમાં જવાથી ડરી રહ્યા છે. શું તમે જાણો છો નમકહરામનું નામ?'  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.