MCD ચૂંટણીમાં વિજય મળતા આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું કામ


  • Published By :
  • Published Date : 2022-12-11 12:13:29

MCD ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. આમ આદમી પાર્ટીને આ પરિણામમાં પૂર્ણ બહુમતી મળી છે. ત્યારે લોકોએ આમ આદમી પાર્ટી પર કરેલા વિશ્વાસને સાચો પાડવા આમ આદમી પાર્ટીએ કેવી કાર્ય કરવું તે અંગે વિતારવાનું શરૂ કરી દીધું છે. પ્લાનિંગ સાથે આપ કાર્ય કરવા માગે છે. જેને લઈ અરવિંદ કેજરીવાલે દિલ્હીને 12 ઝોનમાં વિભાજીત કરી દીધું છે. અને આ 12 ઝોન પર ધ્યાન રાખવા ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે.

હું કોઈ ગુનેગાર નથી', આખરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ભાજપને પરાસ્ત કરી મેળવી છે જીત

આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં અને પંજાબમાં છે. અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ત્યારે થોડા સમય પૂર્વે MCD ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી દીધી છે. આપને પૂર્ણ બહુમતી મળી છે. 


12 ઝોનમાં દિલ્હીનું કર્યું વિભાજન 

દિલ્હીમાં તો પહેલેથી જ આપની સરકાર હતી. ત્યારે MCDમાં પણ આપને બહુમતી મળી છે. ત્યારે આમ આદમી પાર્ટી પર લોકોએ રાખેલા વિશ્વાસને કાયમ રાખવા અરવિંદ કેજરીવાલ રણનીતિથી આગળ વધી રહ્યા છે. બહુમતી મળતા દિલ્હીને 12 ઝોનમાં વહેંચી દીધી છે. સિવિલ લાઈન્સ, રોહિણી, નજફગઢ, નરેલા, કેશવપુરમ, વેસ્ટ ઝોન, સદર, કરોલ બાગ, શહદરા નોર્થ, સેંટ્રલ, સાઉથ અને શહદરા સાઉથનો સમાવેશ થાય છે. 


સ્થાનિકો સાથે સંપર્ક કરી સમસ્યાનું લવાશે નિરાકરણ

દિલ્હીને આ ઝોનમાં વહેંચી દીધા બાદ ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે. જે 3 ઝોનની કામગીરી પર નજર રાખશે. અને સ્થાનિક લોકોના સંપર્કમાં રહી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે. સ્થાનિકોની સમસ્યાને સમજશે અને તેમની સમસ્યાને દુર કરવાનો પ્રયત્ન કરશે.       




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.