MCD ચૂંટણીમાં વિજય મળતા આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું કામ


  • Published By :
  • Published Date : 2022-12-11 12:13:29

MCD ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. આમ આદમી પાર્ટીને આ પરિણામમાં પૂર્ણ બહુમતી મળી છે. ત્યારે લોકોએ આમ આદમી પાર્ટી પર કરેલા વિશ્વાસને સાચો પાડવા આમ આદમી પાર્ટીએ કેવી કાર્ય કરવું તે અંગે વિતારવાનું શરૂ કરી દીધું છે. પ્લાનિંગ સાથે આપ કાર્ય કરવા માગે છે. જેને લઈ અરવિંદ કેજરીવાલે દિલ્હીને 12 ઝોનમાં વિભાજીત કરી દીધું છે. અને આ 12 ઝોન પર ધ્યાન રાખવા ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે.

હું કોઈ ગુનેગાર નથી', આખરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ભાજપને પરાસ્ત કરી મેળવી છે જીત

આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં અને પંજાબમાં છે. અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ત્યારે થોડા સમય પૂર્વે MCD ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી દીધી છે. આપને પૂર્ણ બહુમતી મળી છે. 


12 ઝોનમાં દિલ્હીનું કર્યું વિભાજન 

દિલ્હીમાં તો પહેલેથી જ આપની સરકાર હતી. ત્યારે MCDમાં પણ આપને બહુમતી મળી છે. ત્યારે આમ આદમી પાર્ટી પર લોકોએ રાખેલા વિશ્વાસને કાયમ રાખવા અરવિંદ કેજરીવાલ રણનીતિથી આગળ વધી રહ્યા છે. બહુમતી મળતા દિલ્હીને 12 ઝોનમાં વહેંચી દીધી છે. સિવિલ લાઈન્સ, રોહિણી, નજફગઢ, નરેલા, કેશવપુરમ, વેસ્ટ ઝોન, સદર, કરોલ બાગ, શહદરા નોર્થ, સેંટ્રલ, સાઉથ અને શહદરા સાઉથનો સમાવેશ થાય છે. 


સ્થાનિકો સાથે સંપર્ક કરી સમસ્યાનું લવાશે નિરાકરણ

દિલ્હીને આ ઝોનમાં વહેંચી દીધા બાદ ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે. જે 3 ઝોનની કામગીરી પર નજર રાખશે. અને સ્થાનિક લોકોના સંપર્કમાં રહી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે. સ્થાનિકોની સમસ્યાને સમજશે અને તેમની સમસ્યાને દુર કરવાનો પ્રયત્ન કરશે.       




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.