MCD ચૂંટણીમાં વિજય મળતા આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું કામ


  • Published By :
  • Published Date : 2022-12-11 12:13:29

MCD ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. આમ આદમી પાર્ટીને આ પરિણામમાં પૂર્ણ બહુમતી મળી છે. ત્યારે લોકોએ આમ આદમી પાર્ટી પર કરેલા વિશ્વાસને સાચો પાડવા આમ આદમી પાર્ટીએ કેવી કાર્ય કરવું તે અંગે વિતારવાનું શરૂ કરી દીધું છે. પ્લાનિંગ સાથે આપ કાર્ય કરવા માગે છે. જેને લઈ અરવિંદ કેજરીવાલે દિલ્હીને 12 ઝોનમાં વિભાજીત કરી દીધું છે. અને આ 12 ઝોન પર ધ્યાન રાખવા ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે.

હું કોઈ ગુનેગાર નથી', આખરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ભાજપને પરાસ્ત કરી મેળવી છે જીત

આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં અને પંજાબમાં છે. અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ત્યારે થોડા સમય પૂર્વે MCD ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી દીધી છે. આપને પૂર્ણ બહુમતી મળી છે. 


12 ઝોનમાં દિલ્હીનું કર્યું વિભાજન 

દિલ્હીમાં તો પહેલેથી જ આપની સરકાર હતી. ત્યારે MCDમાં પણ આપને બહુમતી મળી છે. ત્યારે આમ આદમી પાર્ટી પર લોકોએ રાખેલા વિશ્વાસને કાયમ રાખવા અરવિંદ કેજરીવાલ રણનીતિથી આગળ વધી રહ્યા છે. બહુમતી મળતા દિલ્હીને 12 ઝોનમાં વહેંચી દીધી છે. સિવિલ લાઈન્સ, રોહિણી, નજફગઢ, નરેલા, કેશવપુરમ, વેસ્ટ ઝોન, સદર, કરોલ બાગ, શહદરા નોર્થ, સેંટ્રલ, સાઉથ અને શહદરા સાઉથનો સમાવેશ થાય છે. 


સ્થાનિકો સાથે સંપર્ક કરી સમસ્યાનું લવાશે નિરાકરણ

દિલ્હીને આ ઝોનમાં વહેંચી દીધા બાદ ચાર નેતાઓને નિયુક્ત કર્યા છે. જે 3 ઝોનની કામગીરી પર નજર રાખશે. અને સ્થાનિક લોકોના સંપર્કમાં રહી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે. સ્થાનિકોની સમસ્યાને સમજશે અને તેમની સમસ્યાને દુર કરવાનો પ્રયત્ન કરશે.       




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે