દિલ્હીમાં યોજાઈ AAPની મહારેલી, કેજરીવાલે કહ્યું આજે એક સરમુખત્યારને સત્તા પરથી હટાવવા એકઠા થયા છીએ


  • Published By :
  • Published Date : 2023-06-11 14:36:13


દિલ્હી સરકારમાં અધિકારીઓની નિમણૂક અને બદલીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દ્વારા AAP પોતાનું શક્તિ પ્રદર્શન રહી છે. દિલ્હીમાં 8 વર્ષથી સત્તારૂઢ AAPની આ પ્રથમ મહારેલી છે. તેને સફળ બનાવવા માટે પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રેલીમાં પહોંચ્યા છે.


વટહુકમને નિરસ્ત કરાવીને રહીશું: દિલ્હીના CM


દિલ્હીના સીએમએ કહ્યું કે બીજેપીના લોકો દરરોજ મારી સાથે દુર્વ્યવહાર કરે છે. હું દિલ્હીનું અપમાન સહન કરી શકતો નથી. દેશની તમામ જનતા દિલ્હીની સાથે છે.અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. અમે વટહુકમનો અસ્વીકાર કરતા રહીશું. મને ખબર પડી છે કે મોદીજીનો આ પહેલો હુમલો છે. આવતીકાલે અન્ય રાજ્યો માટે પણ આ જ વટહુકમ લાવવામાં આવશે.


સરમુખત્યારશાહીને હટાવવા એકઠા થયા - કેજરીવાલ


આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આ ગરમીમાં દિલ્હીના દરેક ખૂણેથી આવેલા લોકોનો આભાર માનું છું, આ લોકો આ ગરમીમાં આવ્યા છે.તેમણે દાવો કર્યો કે અહીં એક લાખથી વધુ લોકો આવ્યા છે. દરેક વ્યક્તિ ફેસબુક પર લાઇવ કરે. અમે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અહીં ભેગા થયા હતા, આજે અમે એક સરમુખત્યારશાહીને દૂર કરવા માટે ભેગા થયા છીએ. તે આંદોલન સફળ રહ્યું છે, આજથી શરૂ થયેલું આ આંદોલન પણ સફળ થશે.


નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનું પાલન કેમ નથી કરતાઃ કેજરીવાલ


અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં નિર્ણય આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેમ સ્વીકારતા નથી? ચૂંટાયેલી સરકારને કામ કરવાનો અધિકાર હોવો જોઈએ. આજે બંધારણ બચાવવાનું આંદોલન શરૂ થઈ રહ્યું છે.






આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.