દિલ્હીમાં યોજાઈ AAPની મહારેલી, કેજરીવાલે કહ્યું આજે એક સરમુખત્યારને સત્તા પરથી હટાવવા એકઠા થયા છીએ


  • Published By :
  • Published Date : 2023-06-11 14:36:13


દિલ્હી સરકારમાં અધિકારીઓની નિમણૂક અને બદલીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દ્વારા AAP પોતાનું શક્તિ પ્રદર્શન રહી છે. દિલ્હીમાં 8 વર્ષથી સત્તારૂઢ AAPની આ પ્રથમ મહારેલી છે. તેને સફળ બનાવવા માટે પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રેલીમાં પહોંચ્યા છે.


વટહુકમને નિરસ્ત કરાવીને રહીશું: દિલ્હીના CM


દિલ્હીના સીએમએ કહ્યું કે બીજેપીના લોકો દરરોજ મારી સાથે દુર્વ્યવહાર કરે છે. હું દિલ્હીનું અપમાન સહન કરી શકતો નથી. દેશની તમામ જનતા દિલ્હીની સાથે છે.અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. અમે વટહુકમનો અસ્વીકાર કરતા રહીશું. મને ખબર પડી છે કે મોદીજીનો આ પહેલો હુમલો છે. આવતીકાલે અન્ય રાજ્યો માટે પણ આ જ વટહુકમ લાવવામાં આવશે.


સરમુખત્યારશાહીને હટાવવા એકઠા થયા - કેજરીવાલ


આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આ ગરમીમાં દિલ્હીના દરેક ખૂણેથી આવેલા લોકોનો આભાર માનું છું, આ લોકો આ ગરમીમાં આવ્યા છે.તેમણે દાવો કર્યો કે અહીં એક લાખથી વધુ લોકો આવ્યા છે. દરેક વ્યક્તિ ફેસબુક પર લાઇવ કરે. અમે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અહીં ભેગા થયા હતા, આજે અમે એક સરમુખત્યારશાહીને દૂર કરવા માટે ભેગા થયા છીએ. તે આંદોલન સફળ રહ્યું છે, આજથી શરૂ થયેલું આ આંદોલન પણ સફળ થશે.


નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનું પાલન કેમ નથી કરતાઃ કેજરીવાલ


અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં નિર્ણય આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેમ સ્વીકારતા નથી? ચૂંટાયેલી સરકારને કામ કરવાનો અધિકાર હોવો જોઈએ. આજે બંધારણ બચાવવાનું આંદોલન શરૂ થઈ રહ્યું છે.






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.