દિલ્હીમાં યોજાઈ AAPની મહારેલી, કેજરીવાલે કહ્યું આજે એક સરમુખત્યારને સત્તા પરથી હટાવવા એકઠા થયા છીએ


  • Published By :
  • Published Date : 2023-06-11 14:36:13


દિલ્હી સરકારમાં અધિકારીઓની નિમણૂક અને બદલીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દ્વારા AAP પોતાનું શક્તિ પ્રદર્શન રહી છે. દિલ્હીમાં 8 વર્ષથી સત્તારૂઢ AAPની આ પ્રથમ મહારેલી છે. તેને સફળ બનાવવા માટે પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રેલીમાં પહોંચ્યા છે.


વટહુકમને નિરસ્ત કરાવીને રહીશું: દિલ્હીના CM


દિલ્હીના સીએમએ કહ્યું કે બીજેપીના લોકો દરરોજ મારી સાથે દુર્વ્યવહાર કરે છે. હું દિલ્હીનું અપમાન સહન કરી શકતો નથી. દેશની તમામ જનતા દિલ્હીની સાથે છે.અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. અમે વટહુકમનો અસ્વીકાર કરતા રહીશું. મને ખબર પડી છે કે મોદીજીનો આ પહેલો હુમલો છે. આવતીકાલે અન્ય રાજ્યો માટે પણ આ જ વટહુકમ લાવવામાં આવશે.


સરમુખત્યારશાહીને હટાવવા એકઠા થયા - કેજરીવાલ


આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આ ગરમીમાં દિલ્હીના દરેક ખૂણેથી આવેલા લોકોનો આભાર માનું છું, આ લોકો આ ગરમીમાં આવ્યા છે.તેમણે દાવો કર્યો કે અહીં એક લાખથી વધુ લોકો આવ્યા છે. દરેક વ્યક્તિ ફેસબુક પર લાઇવ કરે. અમે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અહીં ભેગા થયા હતા, આજે અમે એક સરમુખત્યારશાહીને દૂર કરવા માટે ભેગા થયા છીએ. તે આંદોલન સફળ રહ્યું છે, આજથી શરૂ થયેલું આ આંદોલન પણ સફળ થશે.


નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનું પાલન કેમ નથી કરતાઃ કેજરીવાલ


અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં નિર્ણય આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેમ સ્વીકારતા નથી? ચૂંટાયેલી સરકારને કામ કરવાનો અધિકાર હોવો જોઈએ. આજે બંધારણ બચાવવાનું આંદોલન શરૂ થઈ રહ્યું છે.






રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.