AAP-BJPના કાઉન્સિલરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી, દિલ્હીમાં મેયરની ચૂંટણી બાદ આખી રાત ચાલ્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-23 10:44:47

બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં મેયર માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં મેયર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની હતી. જેને લઈ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. પ્રક્રિયા દરમિયાન કાઉન્સિલરો વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા અને હાથમાં જે આવ્યું તે ફેંકવાની શરૂઆત કરી. એકબીજા પર બોટલો ફેંકી, બંને પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ. જેને કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.


શુક્રવારે યોજાશે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી 

બુધવારે દિલ્હી નગર નિગમમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં આપના ઉમેદવારની જીત થઈ હતી. જે બાદ બુધવાર સાંજે સ્ટેંડિંગ કમિટીની ચૂંટણીની શરૂઆત થઈ. ચૂંટણીની શરૂઆત થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ અને ચૂંટણીમાં જબરદસ્ત હંગામો શરૂ થયો. જેને પગલે ચૂંટણી ગુરુવારે સવારે કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ ગુરુવારે પણ હોબાળો શરૂ થયો જેને કારણે કાર્યવાહીને શુક્રવાર સવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી શુક્રવારે યોજાશે.     


એક બીજા પર કાઉન્સિલરોએ ફેંકી બોટલ 

ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી પણ થઈ. મહિલા કાઉન્સિલરો પણ લડતા દેખાયા હતા. એક બીજા પર લાતો અને મુક્કા મારવાની શરૂઆત થઈ. ભારે હોબાળો થવાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ગૃહની કાર્યવાહી કોઈ વખત એક કલાક માટે તો કોઈ વખત અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.કાઉન્સિલરો એક બીજા પર બોટલો ફેંકતા હતા.       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.