AAP-BJPના કાઉન્સિલરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી, દિલ્હીમાં મેયરની ચૂંટણી બાદ આખી રાત ચાલ્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-23 10:44:47

બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં મેયર માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં મેયર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની હતી. જેને લઈ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. પ્રક્રિયા દરમિયાન કાઉન્સિલરો વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા અને હાથમાં જે આવ્યું તે ફેંકવાની શરૂઆત કરી. એકબીજા પર બોટલો ફેંકી, બંને પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ. જેને કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.


શુક્રવારે યોજાશે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી 

બુધવારે દિલ્હી નગર નિગમમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં આપના ઉમેદવારની જીત થઈ હતી. જે બાદ બુધવાર સાંજે સ્ટેંડિંગ કમિટીની ચૂંટણીની શરૂઆત થઈ. ચૂંટણીની શરૂઆત થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ અને ચૂંટણીમાં જબરદસ્ત હંગામો શરૂ થયો. જેને પગલે ચૂંટણી ગુરુવારે સવારે કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ ગુરુવારે પણ હોબાળો શરૂ થયો જેને કારણે કાર્યવાહીને શુક્રવાર સવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી શુક્રવારે યોજાશે.     


એક બીજા પર કાઉન્સિલરોએ ફેંકી બોટલ 

ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી પણ થઈ. મહિલા કાઉન્સિલરો પણ લડતા દેખાયા હતા. એક બીજા પર લાતો અને મુક્કા મારવાની શરૂઆત થઈ. ભારે હોબાળો થવાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ગૃહની કાર્યવાહી કોઈ વખત એક કલાક માટે તો કોઈ વખત અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.કાઉન્સિલરો એક બીજા પર બોટલો ફેંકતા હતા.       




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.