AAP-BJPના કાઉન્સિલરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી, દિલ્હીમાં મેયરની ચૂંટણી બાદ આખી રાત ચાલ્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-23 10:44:47

બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં મેયર માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં મેયર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની હતી. જેને લઈ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. પ્રક્રિયા દરમિયાન કાઉન્સિલરો વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા અને હાથમાં જે આવ્યું તે ફેંકવાની શરૂઆત કરી. એકબીજા પર બોટલો ફેંકી, બંને પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ. જેને કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.


શુક્રવારે યોજાશે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી 

બુધવારે દિલ્હી નગર નિગમમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં આપના ઉમેદવારની જીત થઈ હતી. જે બાદ બુધવાર સાંજે સ્ટેંડિંગ કમિટીની ચૂંટણીની શરૂઆત થઈ. ચૂંટણીની શરૂઆત થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ અને ચૂંટણીમાં જબરદસ્ત હંગામો શરૂ થયો. જેને પગલે ચૂંટણી ગુરુવારે સવારે કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ ગુરુવારે પણ હોબાળો શરૂ થયો જેને કારણે કાર્યવાહીને શુક્રવાર સવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી શુક્રવારે યોજાશે.     


એક બીજા પર કાઉન્સિલરોએ ફેંકી બોટલ 

ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી પણ થઈ. મહિલા કાઉન્સિલરો પણ લડતા દેખાયા હતા. એક બીજા પર લાતો અને મુક્કા મારવાની શરૂઆત થઈ. ભારે હોબાળો થવાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ગૃહની કાર્યવાહી કોઈ વખત એક કલાક માટે તો કોઈ વખત અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.કાઉન્સિલરો એક બીજા પર બોટલો ફેંકતા હતા.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.