AAP-BJPના કાઉન્સિલરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી, દિલ્હીમાં મેયરની ચૂંટણી બાદ આખી રાત ચાલ્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-23 10:44:47

બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં મેયર માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં મેયર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની હતી. જેને લઈ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. પ્રક્રિયા દરમિયાન કાઉન્સિલરો વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા અને હાથમાં જે આવ્યું તે ફેંકવાની શરૂઆત કરી. એકબીજા પર બોટલો ફેંકી, બંને પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ. જેને કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.


શુક્રવારે યોજાશે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી 

બુધવારે દિલ્હી નગર નિગમમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં આપના ઉમેદવારની જીત થઈ હતી. જે બાદ બુધવાર સાંજે સ્ટેંડિંગ કમિટીની ચૂંટણીની શરૂઆત થઈ. ચૂંટણીની શરૂઆત થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ અને ચૂંટણીમાં જબરદસ્ત હંગામો શરૂ થયો. જેને પગલે ચૂંટણી ગુરુવારે સવારે કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ ગુરુવારે પણ હોબાળો શરૂ થયો જેને કારણે કાર્યવાહીને શુક્રવાર સવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી શુક્રવારે યોજાશે.     


એક બીજા પર કાઉન્સિલરોએ ફેંકી બોટલ 

ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી પણ થઈ. મહિલા કાઉન્સિલરો પણ લડતા દેખાયા હતા. એક બીજા પર લાતો અને મુક્કા મારવાની શરૂઆત થઈ. ભારે હોબાળો થવાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ગૃહની કાર્યવાહી કોઈ વખત એક કલાક માટે તો કોઈ વખત અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.કાઉન્સિલરો એક બીજા પર બોટલો ફેંકતા હતા.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.