લગ્નના બંધનમાં બંધાયા AAPના Raghav Chadha અને Parineeti Chopra, સામે આવી લગ્નની સુંદર તસવીરો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:59:08

છેલ્લા ઘણા સમયથી લોકો આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ અને બોલિવૂડ એક્ટ્રેસ પરીણીતિ ચોપરાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે બંને જણા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં તેમના લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. સામાન્ય રીતે જાન લઈને આવતા જાનૈયાઓ ઘોડા પર અથવા તો ગાડીમાં જાન લઈને આવતા હોય છે પરંતુ રાઘવ ચઢ્ઢાની જાન બોટમાં આવી હતી. લગ્નની જાણ 18 બોટમાં બેન્ડ સાથે આવી ત્યારે પરિણીતીના પરિવારના સભ્યોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું અને ફૂલોની વર્ષા કરી હતી. 

18 બોટમાં જાન લઈને આવ્યા રાઘવ ચઢ્ઢા 

જ્યારે પણ સેલિબ્રિટી લગ્નના બંધાનમાં બંધાય છે ત્યારે તેમના ફેન્સમાં તેમના લગ્નને લઈ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આતુરતાથી ફેન્સ તેમના લગ્નની રાહ જોતા હોય છે. ત્યારે રાઘવ અને પરિણીતી ચોપરાના લગ્નની રાહ તેમના ફેન્સ અને તેમને ચાહનારા ઘણા સમયથી જોઈ રહ્યા હતા. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી.આ પહેલાં રવિવારે બપોરે 3 વાગ્યે રાઘવ તેમના પરિવાર અને મિત્રો સાથે હોટલ લીલા માટે બોટમાં જાનૈયાઓ સાથે નીકળ્યા હતા. જ્યારે લગ્નની જાન 18 બોટમાં બેન્ડ સાથે આવી હતી લગ્નના ફોટો આવ્યા તે પહેલા લગ્નના ફંક્શન બાદ રાઘવ અને પરિણીતીએ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા રાઘવ અને પરિણીતિ

લગ્ન ભલે કાલે થઈ ગયા હતા પરંતુ તેમના લગ્નની તસવીરો આજે સામે આવી છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરવામાં આવી છે. આ ફોટામાં પરિણીતીએ પિંક કલરની સાડી પહેરી છે. આજે સવારે જ કપલે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટો શેર કરતાં લખ્યું છે કે : બ્રેકફાસ્ટના ટેબલ પરની પહેલી ચેટથી જ અમારા દિલની ખબર પડી ગઈ. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા..બધાના આશીર્વાદથી હવે mr and mrs બન્યા. જેવા જ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા ટ્વિટર પર રાઘવ તેમજ પરિણીતી ટ્રેન્ડ થવા લાગ્યા છે. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.