લગ્નના બંધનમાં બંધાયા AAPના Raghav Chadha અને Parineeti Chopra, સામે આવી લગ્નની સુંદર તસવીરો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:59:08

છેલ્લા ઘણા સમયથી લોકો આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ અને બોલિવૂડ એક્ટ્રેસ પરીણીતિ ચોપરાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે બંને જણા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં તેમના લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. સામાન્ય રીતે જાન લઈને આવતા જાનૈયાઓ ઘોડા પર અથવા તો ગાડીમાં જાન લઈને આવતા હોય છે પરંતુ રાઘવ ચઢ્ઢાની જાન બોટમાં આવી હતી. લગ્નની જાણ 18 બોટમાં બેન્ડ સાથે આવી ત્યારે પરિણીતીના પરિવારના સભ્યોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું અને ફૂલોની વર્ષા કરી હતી. 

18 બોટમાં જાન લઈને આવ્યા રાઘવ ચઢ્ઢા 

જ્યારે પણ સેલિબ્રિટી લગ્નના બંધાનમાં બંધાય છે ત્યારે તેમના ફેન્સમાં તેમના લગ્નને લઈ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આતુરતાથી ફેન્સ તેમના લગ્નની રાહ જોતા હોય છે. ત્યારે રાઘવ અને પરિણીતી ચોપરાના લગ્નની રાહ તેમના ફેન્સ અને તેમને ચાહનારા ઘણા સમયથી જોઈ રહ્યા હતા. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી.આ પહેલાં રવિવારે બપોરે 3 વાગ્યે રાઘવ તેમના પરિવાર અને મિત્રો સાથે હોટલ લીલા માટે બોટમાં જાનૈયાઓ સાથે નીકળ્યા હતા. જ્યારે લગ્નની જાન 18 બોટમાં બેન્ડ સાથે આવી હતી લગ્નના ફોટો આવ્યા તે પહેલા લગ્નના ફંક્શન બાદ રાઘવ અને પરિણીતીએ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા રાઘવ અને પરિણીતિ

લગ્ન ભલે કાલે થઈ ગયા હતા પરંતુ તેમના લગ્નની તસવીરો આજે સામે આવી છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરવામાં આવી છે. આ ફોટામાં પરિણીતીએ પિંક કલરની સાડી પહેરી છે. આજે સવારે જ કપલે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટો શેર કરતાં લખ્યું છે કે : બ્રેકફાસ્ટના ટેબલ પરની પહેલી ચેટથી જ અમારા દિલની ખબર પડી ગઈ. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા..બધાના આશીર્વાદથી હવે mr and mrs બન્યા. જેવા જ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા ટ્વિટર પર રાઘવ તેમજ પરિણીતી ટ્રેન્ડ થવા લાગ્યા છે. 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.