લગ્નના બંધનમાં બંધાયા AAPના Raghav Chadha અને Parineeti Chopra, સામે આવી લગ્નની સુંદર તસવીરો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:59:08

છેલ્લા ઘણા સમયથી લોકો આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ અને બોલિવૂડ એક્ટ્રેસ પરીણીતિ ચોપરાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે બંને જણા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં તેમના લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. સામાન્ય રીતે જાન લઈને આવતા જાનૈયાઓ ઘોડા પર અથવા તો ગાડીમાં જાન લઈને આવતા હોય છે પરંતુ રાઘવ ચઢ્ઢાની જાન બોટમાં આવી હતી. લગ્નની જાણ 18 બોટમાં બેન્ડ સાથે આવી ત્યારે પરિણીતીના પરિવારના સભ્યોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું અને ફૂલોની વર્ષા કરી હતી. 

18 બોટમાં જાન લઈને આવ્યા રાઘવ ચઢ્ઢા 

જ્યારે પણ સેલિબ્રિટી લગ્નના બંધાનમાં બંધાય છે ત્યારે તેમના ફેન્સમાં તેમના લગ્નને લઈ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આતુરતાથી ફેન્સ તેમના લગ્નની રાહ જોતા હોય છે. ત્યારે રાઘવ અને પરિણીતી ચોપરાના લગ્નની રાહ તેમના ફેન્સ અને તેમને ચાહનારા ઘણા સમયથી જોઈ રહ્યા હતા. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી.આ પહેલાં રવિવારે બપોરે 3 વાગ્યે રાઘવ તેમના પરિવાર અને મિત્રો સાથે હોટલ લીલા માટે બોટમાં જાનૈયાઓ સાથે નીકળ્યા હતા. જ્યારે લગ્નની જાન 18 બોટમાં બેન્ડ સાથે આવી હતી લગ્નના ફોટો આવ્યા તે પહેલા લગ્નના ફંક્શન બાદ રાઘવ અને પરિણીતીએ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા રાઘવ અને પરિણીતિ

લગ્ન ભલે કાલે થઈ ગયા હતા પરંતુ તેમના લગ્નની તસવીરો આજે સામે આવી છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરવામાં આવી છે. આ ફોટામાં પરિણીતીએ પિંક કલરની સાડી પહેરી છે. આજે સવારે જ કપલે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટો શેર કરતાં લખ્યું છે કે : બ્રેકફાસ્ટના ટેબલ પરની પહેલી ચેટથી જ અમારા દિલની ખબર પડી ગઈ. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા..બધાના આશીર્વાદથી હવે mr and mrs બન્યા. જેવા જ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા ટ્વિટર પર રાઘવ તેમજ પરિણીતી ટ્રેન્ડ થવા લાગ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.