આરોન ફિન્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સન્યાસ લેવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-07 12:23:48

9 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ યોજાવાની છે. નાગપુર ખાતે આ મેચ યોજાવાની છે. તે બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના ટી-20 કેપ્ટન આરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં તેમણે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે મેચ રમવા ભારત આવી છે. આ બધા વચ્ચે સંન્યાસની જાહેરાતે બધાને હેરાન કરી દીધા છે. પોતાના કેરિયરમાં તેમણે ઓવરઓલ 254 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેજેન્ટ કર્યું હતું. જેમાં 5 ટેસ્ટ મેચ, 146 વનડે અને 103 T20Iનો સમાવેશ થાય છે.  


નિવેદનમાં કહી આ વાત 

એરોન ફ્રીંચની કેપ્ટનશીપમાં જ ઓસ્ટેલિયન ટીમે વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપ પહેલીવાર પોતાના નામે કર્યો હતો. ફિંચે નિવેદન બહાર પાડી કહ્યું, મનેએ વાતનો અફસોસ છે કે હું 2024 ટી-20 વર્લ્ડકપ નહીં રમી શકું. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેનાથી ટીમ આગળની રણનીતિ પર કામ કરી શકશે. હું મારા પરિવાર, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સનો આભાર માનું છું. 2021માં ટી-20 વર્લ્ડકપ જીતવો અને 2015માં વન ડે વર્લ્ડકપ જીતવો મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.