આરોન ફિન્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સન્યાસ લેવાની કરી જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-07 12:23:48

9 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ યોજાવાની છે. નાગપુર ખાતે આ મેચ યોજાવાની છે. તે બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના ટી-20 કેપ્ટન આરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં તેમણે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે મેચ રમવા ભારત આવી છે. આ બધા વચ્ચે સંન્યાસની જાહેરાતે બધાને હેરાન કરી દીધા છે. પોતાના કેરિયરમાં તેમણે ઓવરઓલ 254 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેજેન્ટ કર્યું હતું. જેમાં 5 ટેસ્ટ મેચ, 146 વનડે અને 103 T20Iનો સમાવેશ થાય છે.  


નિવેદનમાં કહી આ વાત 

એરોન ફ્રીંચની કેપ્ટનશીપમાં જ ઓસ્ટેલિયન ટીમે વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપ પહેલીવાર પોતાના નામે કર્યો હતો. ફિંચે નિવેદન બહાર પાડી કહ્યું, મનેએ વાતનો અફસોસ છે કે હું 2024 ટી-20 વર્લ્ડકપ નહીં રમી શકું. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેનાથી ટીમ આગળની રણનીતિ પર કામ કરી શકશે. હું મારા પરિવાર, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સનો આભાર માનું છું. 2021માં ટી-20 વર્લ્ડકપ જીતવો અને 2015માં વન ડે વર્લ્ડકપ જીતવો મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ છે.      




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.