ફ્રાન્સ સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં અબાયા નહીં પહેરી શકે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ


  • Published By :
  • Published Date : 2023-08-28 15:42:15

ફ્રાન્સ સરકારે મહત્વનો નિર્ણય લેતા મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રીએ સરકારના આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે ફ્રાન્સની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના અબાયા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં 4 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, ત્યારથી જ તે નિયમ અમલી બની જશે. ફ્રાન્સમાં અગાઉથી જ શાળાઓમાં અને સરકારી ભવનોમાં ધાર્મિક સંકેતો પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો જ છે. તેમનું કહેવું છે કે આ સંકેત ધર્મનિરપેક્ષ કાનુનોનું ઉલ્લંઘન કરે છે. વર્ષ 2004થી જ શાળાઓમાં હેડસ્કાર્ફ કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો?


ફ્રાન્સમાં કેટલાક લોકોનું માનવું છે કે અબાયા અને બુરખો એક જ છે, જો કે તે અલગ-અલગ છે. અબાયા એક ઢીલુ પરિધાન છે. જેનાથી શરીરને ખભાથી લઈને પગ સુધી ઢાંકી શકાય છે. બુરખો આખા શરીરને ઢાંકતું એક કપડું છે, જેમાં આંખોના ઉપર એક જાળીવાળો પડદો હોય છે. બંને પરિધાન મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, પરંતુ બંને અલગ છે.


શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલે સરકારના આ નિર્ણય અંગે વિસ્તારથી માહિતી જાણકારી આપી. તેમણે કહ્યું જ્યારે તમે શાળામાં પ્રવેશ કરો છો, ત્યારે તમે માત્ર વિદ્યાર્થીઓને જોઈને જ તેમના ધર્મની ઓળખ કરી શકવા ન જોઈએ. તેથી અમે નિર્ણય કર્યો છે કે શાળામાં હવે અબાયા પર પ્રતિબંધ લગાવવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી દેશમાં આ બાબત પર ચર્ચા ચાલી રહી હતી કે શું દેશની શાળાઓમાં યુવતીઓને અબાયા પહેરવું કેટલું યોગ્ય છે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.