ફ્રાન્સ સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં અબાયા નહીં પહેરી શકે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ


  • Published By :
  • Published Date : 2023-08-28 15:42:15

ફ્રાન્સ સરકારે મહત્વનો નિર્ણય લેતા મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રીએ સરકારના આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે ફ્રાન્સની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના અબાયા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં 4 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, ત્યારથી જ તે નિયમ અમલી બની જશે. ફ્રાન્સમાં અગાઉથી જ શાળાઓમાં અને સરકારી ભવનોમાં ધાર્મિક સંકેતો પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો જ છે. તેમનું કહેવું છે કે આ સંકેત ધર્મનિરપેક્ષ કાનુનોનું ઉલ્લંઘન કરે છે. વર્ષ 2004થી જ શાળાઓમાં હેડસ્કાર્ફ કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો?


ફ્રાન્સમાં કેટલાક લોકોનું માનવું છે કે અબાયા અને બુરખો એક જ છે, જો કે તે અલગ-અલગ છે. અબાયા એક ઢીલુ પરિધાન છે. જેનાથી શરીરને ખભાથી લઈને પગ સુધી ઢાંકી શકાય છે. બુરખો આખા શરીરને ઢાંકતું એક કપડું છે, જેમાં આંખોના ઉપર એક જાળીવાળો પડદો હોય છે. બંને પરિધાન મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, પરંતુ બંને અલગ છે.


શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલે સરકારના આ નિર્ણય અંગે વિસ્તારથી માહિતી જાણકારી આપી. તેમણે કહ્યું જ્યારે તમે શાળામાં પ્રવેશ કરો છો, ત્યારે તમે માત્ર વિદ્યાર્થીઓને જોઈને જ તેમના ધર્મની ઓળખ કરી શકવા ન જોઈએ. તેથી અમે નિર્ણય કર્યો છે કે શાળામાં હવે અબાયા પર પ્રતિબંધ લગાવવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી દેશમાં આ બાબત પર ચર્ચા ચાલી રહી હતી કે શું દેશની શાળાઓમાં યુવતીઓને અબાયા પહેરવું કેટલું યોગ્ય છે?



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.