ફ્રાન્સ સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં અબાયા નહીં પહેરી શકે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ


  • Published By :
  • Published Date : 2023-08-28 15:42:15

ફ્રાન્સ સરકારે મહત્વનો નિર્ણય લેતા મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રીએ સરકારના આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે ફ્રાન્સની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના અબાયા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં 4 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, ત્યારથી જ તે નિયમ અમલી બની જશે. ફ્રાન્સમાં અગાઉથી જ શાળાઓમાં અને સરકારી ભવનોમાં ધાર્મિક સંકેતો પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો જ છે. તેમનું કહેવું છે કે આ સંકેત ધર્મનિરપેક્ષ કાનુનોનું ઉલ્લંઘન કરે છે. વર્ષ 2004થી જ શાળાઓમાં હેડસ્કાર્ફ કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો?


ફ્રાન્સમાં કેટલાક લોકોનું માનવું છે કે અબાયા અને બુરખો એક જ છે, જો કે તે અલગ-અલગ છે. અબાયા એક ઢીલુ પરિધાન છે. જેનાથી શરીરને ખભાથી લઈને પગ સુધી ઢાંકી શકાય છે. બુરખો આખા શરીરને ઢાંકતું એક કપડું છે, જેમાં આંખોના ઉપર એક જાળીવાળો પડદો હોય છે. બંને પરિધાન મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, પરંતુ બંને અલગ છે.


શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલે સરકારના આ નિર્ણય અંગે વિસ્તારથી માહિતી જાણકારી આપી. તેમણે કહ્યું જ્યારે તમે શાળામાં પ્રવેશ કરો છો, ત્યારે તમે માત્ર વિદ્યાર્થીઓને જોઈને જ તેમના ધર્મની ઓળખ કરી શકવા ન જોઈએ. તેથી અમે નિર્ણય કર્યો છે કે શાળામાં હવે અબાયા પર પ્રતિબંધ લગાવવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી દેશમાં આ બાબત પર ચર્ચા ચાલી રહી હતી કે શું દેશની શાળાઓમાં યુવતીઓને અબાયા પહેરવું કેટલું યોગ્ય છે?



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી