એબીપી સી વોટર સર્વેમાં ચોંકાવનારા પરિણામો, કર્ણાટકમાં ભાજપને ફટકો, CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2023-03-29 19:08:51

ચૂંટણી પંચે બુધવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 24 હજાર 759 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સી વોટરે ઓપિનિયન પોલમાં લોકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે કર્ણાટકમાં કઈ પાર્ટી સરકાર બનાવી શકે છે? આ સર્વેના  પરિણામો ખૂબ જ રસપ્રદ છે. આ ઓપિનિયન પોલમાં માર્જીન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. 


સત્તાધારી ભાજપને ફટકો


રાજયમાં કઈ પાર્ટીની સરકાર બનશે આ પ્રશ્નના ખૂબ જ ચોંકાવનારા પરિણામો સર્વેમાં સામે આવ્યા છે. ઓપિનિયન પોલમાં 39 ટકા લોકો માને છે કે કોંગ્રેસની સરકાર બનશે. ભાજપને 34 ટકા લોકોએ પસંદ કર્યો હતો જ્યારે 17 ટકા લોકોએ જેડીએસની તરફેણમાં મતદાન કર્યું હતું. 3 ટકા લોકોનું કહેવું છે કે રાજ્યમાં ત્રિશંકુ સરકાર બનશે.


CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


કર્ણાટકના સીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોંગ્રેસના નેતા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તે 39 ટકા લોકોની પહેલી પસંદ છે. તેમના પછી વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ  (31%), કુમારસ્વામી (21%) અને ડીકે શિવકુમાર (3%)નો નંબર આવે છે.


ચૂંટણીમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો શું છે? આ પ્રશ્નના જવાબમાં 29 ટકા લોકોએ કહ્યું કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (22%), શિક્ષણ (19%), ભ્રષ્ટાચાર (13%), કાયદો અને વ્યવસ્થા (3%) અને અન્ય (14%)ને પણ મુખ્ય મુદ્દાઓ તરીકે ગણવામાં આવ્યા છે.


કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર


કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 13મી મેના રોજ પરિણામ જાહેર થશે. આ જાહેરાત સાથે જ દક્ષિણના આ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય હરીફ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગનું બ્યુગલ વાગી ગયું છે. જનતા દળ (સેક્યુલર) રાજ્યનો ત્રીજો મોટો પક્ષ છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા છે. હાલમાં ભાજપ પાસે 119 બેઠકો છે. કોંગ્રેસ પાસે 75 બેઠકો છે. જેડી(એસ) પાસે 28 ધારાસભ્યો છે, બે બેઠકો ખાલી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.