એબીપી સી વોટર સર્વેમાં ચોંકાવનારા પરિણામો, કર્ણાટકમાં ભાજપને ફટકો, CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2023-03-29 19:08:51

ચૂંટણી પંચે બુધવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 24 હજાર 759 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સી વોટરે ઓપિનિયન પોલમાં લોકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે કર્ણાટકમાં કઈ પાર્ટી સરકાર બનાવી શકે છે? આ સર્વેના  પરિણામો ખૂબ જ રસપ્રદ છે. આ ઓપિનિયન પોલમાં માર્જીન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. 


સત્તાધારી ભાજપને ફટકો


રાજયમાં કઈ પાર્ટીની સરકાર બનશે આ પ્રશ્નના ખૂબ જ ચોંકાવનારા પરિણામો સર્વેમાં સામે આવ્યા છે. ઓપિનિયન પોલમાં 39 ટકા લોકો માને છે કે કોંગ્રેસની સરકાર બનશે. ભાજપને 34 ટકા લોકોએ પસંદ કર્યો હતો જ્યારે 17 ટકા લોકોએ જેડીએસની તરફેણમાં મતદાન કર્યું હતું. 3 ટકા લોકોનું કહેવું છે કે રાજ્યમાં ત્રિશંકુ સરકાર બનશે.


CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


કર્ણાટકના સીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોંગ્રેસના નેતા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તે 39 ટકા લોકોની પહેલી પસંદ છે. તેમના પછી વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ  (31%), કુમારસ્વામી (21%) અને ડીકે શિવકુમાર (3%)નો નંબર આવે છે.


ચૂંટણીમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો શું છે? આ પ્રશ્નના જવાબમાં 29 ટકા લોકોએ કહ્યું કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (22%), શિક્ષણ (19%), ભ્રષ્ટાચાર (13%), કાયદો અને વ્યવસ્થા (3%) અને અન્ય (14%)ને પણ મુખ્ય મુદ્દાઓ તરીકે ગણવામાં આવ્યા છે.


કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર


કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 13મી મેના રોજ પરિણામ જાહેર થશે. આ જાહેરાત સાથે જ દક્ષિણના આ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય હરીફ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગનું બ્યુગલ વાગી ગયું છે. જનતા દળ (સેક્યુલર) રાજ્યનો ત્રીજો મોટો પક્ષ છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા છે. હાલમાં ભાજપ પાસે 119 બેઠકો છે. કોંગ્રેસ પાસે 75 બેઠકો છે. જેડી(એસ) પાસે 28 ધારાસભ્યો છે, બે બેઠકો ખાલી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.