એબીપી સી વોટર સર્વેમાં ચોંકાવનારા પરિણામો, કર્ણાટકમાં ભાજપને ફટકો, CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2023-03-29 19:08:51

ચૂંટણી પંચે બુધવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 24 હજાર 759 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સી વોટરે ઓપિનિયન પોલમાં લોકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે કર્ણાટકમાં કઈ પાર્ટી સરકાર બનાવી શકે છે? આ સર્વેના  પરિણામો ખૂબ જ રસપ્રદ છે. આ ઓપિનિયન પોલમાં માર્જીન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. 


સત્તાધારી ભાજપને ફટકો


રાજયમાં કઈ પાર્ટીની સરકાર બનશે આ પ્રશ્નના ખૂબ જ ચોંકાવનારા પરિણામો સર્વેમાં સામે આવ્યા છે. ઓપિનિયન પોલમાં 39 ટકા લોકો માને છે કે કોંગ્રેસની સરકાર બનશે. ભાજપને 34 ટકા લોકોએ પસંદ કર્યો હતો જ્યારે 17 ટકા લોકોએ જેડીએસની તરફેણમાં મતદાન કર્યું હતું. 3 ટકા લોકોનું કહેવું છે કે રાજ્યમાં ત્રિશંકુ સરકાર બનશે.


CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


કર્ણાટકના સીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોંગ્રેસના નેતા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તે 39 ટકા લોકોની પહેલી પસંદ છે. તેમના પછી વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ  (31%), કુમારસ્વામી (21%) અને ડીકે શિવકુમાર (3%)નો નંબર આવે છે.


ચૂંટણીમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો શું છે? આ પ્રશ્નના જવાબમાં 29 ટકા લોકોએ કહ્યું કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (22%), શિક્ષણ (19%), ભ્રષ્ટાચાર (13%), કાયદો અને વ્યવસ્થા (3%) અને અન્ય (14%)ને પણ મુખ્ય મુદ્દાઓ તરીકે ગણવામાં આવ્યા છે.


કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર


કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 13મી મેના રોજ પરિણામ જાહેર થશે. આ જાહેરાત સાથે જ દક્ષિણના આ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય હરીફ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગનું બ્યુગલ વાગી ગયું છે. જનતા દળ (સેક્યુલર) રાજ્યનો ત્રીજો મોટો પક્ષ છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા છે. હાલમાં ભાજપ પાસે 119 બેઠકો છે. કોંગ્રેસ પાસે 75 બેઠકો છે. જેડી(એસ) પાસે 28 ધારાસભ્યો છે, બે બેઠકો ખાલી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.