અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકે લીધા અંતિમ શ્વાસ, બોલિવૂડમાં છવાઈ શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-03-09 09:08:35

66 વર્ષે મશહુર અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર અનુપમ ખેરે આપ્યા છે. અભિનેતા અનુપમ ખેર સતીશ કૌશિકના નજીકના મિત્ર માનવામાં આવે છે. ખેરે ટ્વિટ કરતા લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will never be the same without you SATISH!

Satish Kaushik, Actor And Director Dies At 66, Anupam Kher Says Life Will  Never Be The Same

આ રીતે બોલિવૂડમાં સતીશ કૌશિકે કરી એન્ટ્રી      

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956માં થયો હતો. હરિયાણાના મહેન્દ્રગઢમાં તેમનો જન્મ થયો હતો જ્યારે તેમણે દિલ્હી ખાતે અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએશન તેમણે કિરોડીમલ કોલેજમાં કર્યું અને તે બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ 1983માં તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યો હતો, મિસ્ટર ઈન્ડિયામાં રોલ કર્યા બાદ તેમને લોકો ઓળખવા લાગ્યા. તે બાદ દિવાના મસ્તાના ફિલ્મમાં રોલ મળ્યો. તેઓ અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, નિર્દેશક તેમજ નિર્માતા હતા. તેમની આમ અચાનક વિદાય લેવાથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. બપોરના સમયે મુબંઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 



 હોળી પાર્ટીમાં લીધો હતો ભાગ    

મહત્વનું છે કે 7 માર્ચે જાવેદ અખ્તરે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ ફિટ દેખાતા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનનાં ફોટો શેર કર્યા હતા જેમાં તેમણે લખ્યું કે જાવેદ અખ્તર, શબાના આજમી, બાબા આજમી, તન્વી આજમી તરફથી આયોજીત હોળી પાર્ટીમાં રંગબેરંગી ખુશનુમા હોળીની મજા માણી. સતીશ કૌશિકના નિધન પર કંગના રનૌતે દુ:ખ વ્યક્ત કર્યું છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી