અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકે લીધા અંતિમ શ્વાસ, બોલિવૂડમાં છવાઈ શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-03-09 09:08:35

66 વર્ષે મશહુર અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર અનુપમ ખેરે આપ્યા છે. અભિનેતા અનુપમ ખેર સતીશ કૌશિકના નજીકના મિત્ર માનવામાં આવે છે. ખેરે ટ્વિટ કરતા લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will never be the same without you SATISH!

Satish Kaushik, Actor And Director Dies At 66, Anupam Kher Says Life Will  Never Be The Same

આ રીતે બોલિવૂડમાં સતીશ કૌશિકે કરી એન્ટ્રી      

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956માં થયો હતો. હરિયાણાના મહેન્દ્રગઢમાં તેમનો જન્મ થયો હતો જ્યારે તેમણે દિલ્હી ખાતે અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએશન તેમણે કિરોડીમલ કોલેજમાં કર્યું અને તે બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ 1983માં તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યો હતો, મિસ્ટર ઈન્ડિયામાં રોલ કર્યા બાદ તેમને લોકો ઓળખવા લાગ્યા. તે બાદ દિવાના મસ્તાના ફિલ્મમાં રોલ મળ્યો. તેઓ અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, નિર્દેશક તેમજ નિર્માતા હતા. તેમની આમ અચાનક વિદાય લેવાથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. બપોરના સમયે મુબંઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 



 હોળી પાર્ટીમાં લીધો હતો ભાગ    

મહત્વનું છે કે 7 માર્ચે જાવેદ અખ્તરે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ ફિટ દેખાતા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનનાં ફોટો શેર કર્યા હતા જેમાં તેમણે લખ્યું કે જાવેદ અખ્તર, શબાના આજમી, બાબા આજમી, તન્વી આજમી તરફથી આયોજીત હોળી પાર્ટીમાં રંગબેરંગી ખુશનુમા હોળીની મજા માણી. સતીશ કૌશિકના નિધન પર કંગના રનૌતે દુ:ખ વ્યક્ત કર્યું છે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .