સોશિયલ મીડિયા પર અભિનેત્રી અમિષા પટેલે ગદર-2 ફિલ્મના ડાયરેક્ટરની ઝાટકણી કાઢી! જાણો એવું તો શું લખ્યું કે થઈ ગયો વિવાદ?


  • Published By :
  • Published Date : 2023-07-04 13:31:31

અમિષા પટેલ અને સની દેઓલની ગદર-2 આવતા મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મનું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ફેન્સ તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.. જો કે ફિલ્મ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે. અમિષા પટેલે ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટ કરી લખ્યું કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું.. અનિલ શર્માએ ફિલ્મના ક્રૂ મેમ્બરોને પૈસા ચૂકવ્યા નથી અમીશાએ ટ્વિટમાં લખ્યું છે કે ચાહકોની જાણકારી માટે હું કહી દઉં કે અનિલ શર્મા પ્રોડક્શન તરફથી  'ગદર 2'ના છેલ્લા શેડ્યૂલ દરમિયાન ઘણા ટેકનિશિયન, મેક-અપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનરને ડિરેક્ટર અને તેની પ્રોડક્શન કંપની પાસેથી તેમના પૂરા પૈસા મળ્યા નથી.

 

ફિલ્મના ડિરેક્ટરને લઈ અમિષા પટેલે કહી આ વાત

છેલ્લા ઘણા સમયથી અમિષા પટેલ અને સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ગદરને લઈ ચર્ચામાં રહ્યા છે. ગદર-2 રિલીઝ થાય ચે પહેલા સિનેમાઘરોમાં ગદર ફિલ્મ ઘણા વર્ષો બાદ રિલીઝ કરવામાં આવી હતી. અનેક એવી ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ જાય. ત્યારે આ ફિલ્મને લઈ પણ વિવાદ છેડાયો છે કારણે કે ફિલ્મની અભિનેત્રી અમિષા પટેલે ટ્વિટ કરી હતી. આ બિલકુલ સાચી વાત છે. અમિષાએ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટમાં લખ્યું છે કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું..



ઝી સ્ટૂડિયોના કર્યા વખાણ

ઝી સ્ટુડિયોના વખાણ કરતા અમિષાએ કહ્યું- 'ઝી સ્ટુડિયોએ એક મોટું પગલું ભર્યું અને તમામ લોકોના બાકી પૈસા પરત કરી દીધા, કારણ કે તે એક પ્રોફેશનલ કંપની છે.' અન્ય એક ટ્વિટમાં અમિષાએ લખ્યું- 'છેલ્લા દિવસે નિવાસ સ્થાનથી ચંદીગઢ એરપોર્ટ સુધી અને ફૂડ બિલ પ્રોડક્શન કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું ન હતું. આ સિવાય કેટલાક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને કાર પણ મળી ન હતી, જેના કારણે તેઓ ચંદીગઢમાં ખૂબ જ પરેશાન હતા. પછી ઝી સ્ટુડિયો વચ્ચે આવ્યો અને અનિલ શર્માની સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢ્યો.


અમિષા પટેલને ચાહકોએ કરી હતી ટ્રોલ 

આ પહેલા પણ અમીશાએ આ ફિલ્મને લઇને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.. અમીષા પટેલે પોતાની જ ફિલ્મનો એક સ્પોઈલર ડ્રોપ કર્યો હતો. જેના માટે ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. આ સ્પોઇલરમાં એક સીન બતાવવામાં આવ્યો હતો, જેમાં તારા એટલે કે સની દેઓલ એક કબર પાસે રડતો જોવા મળ્યો. ટીઝર રીલીઝ થયું ત્યારથી જ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે અમીષા એટલે કે સકીના ફિલ્મના અંતમાં મૃત્યુ પામે છે. જો કે અમીશાએ સસપેન્સ ખોલી નાખ્યું અને કહ્યું કે આ કબર સકીનાની નથી અને સકીના ફિલ્મમાં મરવાની નથી.. ગદર-2 માં હવે વધુ એક સરપ્રાઇઝ ફેક્ટર ઉમેરાયું છે.. આ ફિલ્મમાં નાના પાટેકર પણ જોડાયા છે.. જો કે નાના પાટેકર ઓનસ્ક્રીન નહી જોડાય તે આ ફિલ્મમાં પોતાનો અવાજ આપી રહ્યા છે. 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.