સોશિયલ મીડિયા પર અભિનેત્રી અમિષા પટેલે ગદર-2 ફિલ્મના ડાયરેક્ટરની ઝાટકણી કાઢી! જાણો એવું તો શું લખ્યું કે થઈ ગયો વિવાદ?


  • Published By :
  • Published Date : 2023-07-04 13:31:31

અમિષા પટેલ અને સની દેઓલની ગદર-2 આવતા મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મનું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ફેન્સ તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.. જો કે ફિલ્મ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે. અમિષા પટેલે ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટ કરી લખ્યું કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું.. અનિલ શર્માએ ફિલ્મના ક્રૂ મેમ્બરોને પૈસા ચૂકવ્યા નથી અમીશાએ ટ્વિટમાં લખ્યું છે કે ચાહકોની જાણકારી માટે હું કહી દઉં કે અનિલ શર્મા પ્રોડક્શન તરફથી  'ગદર 2'ના છેલ્લા શેડ્યૂલ દરમિયાન ઘણા ટેકનિશિયન, મેક-અપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનરને ડિરેક્ટર અને તેની પ્રોડક્શન કંપની પાસેથી તેમના પૂરા પૈસા મળ્યા નથી.

 

ફિલ્મના ડિરેક્ટરને લઈ અમિષા પટેલે કહી આ વાત

છેલ્લા ઘણા સમયથી અમિષા પટેલ અને સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ગદરને લઈ ચર્ચામાં રહ્યા છે. ગદર-2 રિલીઝ થાય ચે પહેલા સિનેમાઘરોમાં ગદર ફિલ્મ ઘણા વર્ષો બાદ રિલીઝ કરવામાં આવી હતી. અનેક એવી ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ જાય. ત્યારે આ ફિલ્મને લઈ પણ વિવાદ છેડાયો છે કારણે કે ફિલ્મની અભિનેત્રી અમિષા પટેલે ટ્વિટ કરી હતી. આ બિલકુલ સાચી વાત છે. અમિષાએ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટમાં લખ્યું છે કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું..



ઝી સ્ટૂડિયોના કર્યા વખાણ

ઝી સ્ટુડિયોના વખાણ કરતા અમિષાએ કહ્યું- 'ઝી સ્ટુડિયોએ એક મોટું પગલું ભર્યું અને તમામ લોકોના બાકી પૈસા પરત કરી દીધા, કારણ કે તે એક પ્રોફેશનલ કંપની છે.' અન્ય એક ટ્વિટમાં અમિષાએ લખ્યું- 'છેલ્લા દિવસે નિવાસ સ્થાનથી ચંદીગઢ એરપોર્ટ સુધી અને ફૂડ બિલ પ્રોડક્શન કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું ન હતું. આ સિવાય કેટલાક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને કાર પણ મળી ન હતી, જેના કારણે તેઓ ચંદીગઢમાં ખૂબ જ પરેશાન હતા. પછી ઝી સ્ટુડિયો વચ્ચે આવ્યો અને અનિલ શર્માની સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢ્યો.


અમિષા પટેલને ચાહકોએ કરી હતી ટ્રોલ 

આ પહેલા પણ અમીશાએ આ ફિલ્મને લઇને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.. અમીષા પટેલે પોતાની જ ફિલ્મનો એક સ્પોઈલર ડ્રોપ કર્યો હતો. જેના માટે ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. આ સ્પોઇલરમાં એક સીન બતાવવામાં આવ્યો હતો, જેમાં તારા એટલે કે સની દેઓલ એક કબર પાસે રડતો જોવા મળ્યો. ટીઝર રીલીઝ થયું ત્યારથી જ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે અમીષા એટલે કે સકીના ફિલ્મના અંતમાં મૃત્યુ પામે છે. જો કે અમીશાએ સસપેન્સ ખોલી નાખ્યું અને કહ્યું કે આ કબર સકીનાની નથી અને સકીના ફિલ્મમાં મરવાની નથી.. ગદર-2 માં હવે વધુ એક સરપ્રાઇઝ ફેક્ટર ઉમેરાયું છે.. આ ફિલ્મમાં નાના પાટેકર પણ જોડાયા છે.. જો કે નાના પાટેકર ઓનસ્ક્રીન નહી જોડાય તે આ ફિલ્મમાં પોતાનો અવાજ આપી રહ્યા છે. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.