મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીનને રાહત, વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 17:22:58

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને રાહત આપી છે. કોર્ટે જેકલીનની વચગાળાની સુરક્ષા 10 નવેમ્બર સુધી લંબાવી છે. જેકલીન શનિવારે બપોરે 2 વાગે પોતાના વકીલો સાથે કોર્ટમાં પહોંચી હતી. ગત સુનાવણીમાં પણ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા.


આ કેસમાં નિયમિત જામીન અને અન્ય પેન્ડિંગ અરજીઓની સુનાવણી 10 નવેમ્બરે થવાની છે. આ દરમિયાન, કોર્ટે EDને તમામ પક્ષકારો પાસેથી ચાર્જશીટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે.

jacqueline fernandez wallpapers hd cute smile image HD 1024×768

સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની નિયમિત જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે 26 સપ્ટેમ્બરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા.


સુકેશે જેકલીનને મોંઘી ભેટ આપી હતી

સુકેશે જેકલીનને મોંઘી કાર અને મોંઘી ભેટ આપી હતી. તેણે અભિનેત્રીના પરિવારને કાર પણ ભેટમાં આપી હતી. પિંકીએ સુકેશને જેકલીન સાથે પરિચય કરાવ્યો હતો. તે બંનેની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ ગઈ હતી અને તેણે લગ્ન કરવાનું મન પણ બનાવી લીધું હતું.


સુકેશ જેલમાં મોડલને મળતો હતો

Sukesh Chandrashekhar: 5 Facts On Millionaire Conman

મુંબઈમાં રહેતી પિંકી ઈરાનીને સુકેશ પોતાના એજન્ટ તરીકે બોલાવતો હતો અને તેના મારફત માઈન્ડ બ્લોઈંગ મોડેલિંગ કરતી યુવતીઓને પણ જેલમાં બોલાવીને રૂમમાં મળતી હતી. મળ્યા પછી, તેણે દરેકને મોંઘી ભેટ પણ આપી.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.