મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીનને રાહત, વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 17:22:58

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને રાહત આપી છે. કોર્ટે જેકલીનની વચગાળાની સુરક્ષા 10 નવેમ્બર સુધી લંબાવી છે. જેકલીન શનિવારે બપોરે 2 વાગે પોતાના વકીલો સાથે કોર્ટમાં પહોંચી હતી. ગત સુનાવણીમાં પણ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા.


આ કેસમાં નિયમિત જામીન અને અન્ય પેન્ડિંગ અરજીઓની સુનાવણી 10 નવેમ્બરે થવાની છે. આ દરમિયાન, કોર્ટે EDને તમામ પક્ષકારો પાસેથી ચાર્જશીટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે.

jacqueline fernandez wallpapers hd cute smile image HD 1024×768

સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની નિયમિત જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે 26 સપ્ટેમ્બરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા.


સુકેશે જેકલીનને મોંઘી ભેટ આપી હતી

સુકેશે જેકલીનને મોંઘી કાર અને મોંઘી ભેટ આપી હતી. તેણે અભિનેત્રીના પરિવારને કાર પણ ભેટમાં આપી હતી. પિંકીએ સુકેશને જેકલીન સાથે પરિચય કરાવ્યો હતો. તે બંનેની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ ગઈ હતી અને તેણે લગ્ન કરવાનું મન પણ બનાવી લીધું હતું.


સુકેશ જેલમાં મોડલને મળતો હતો

Sukesh Chandrashekhar: 5 Facts On Millionaire Conman

મુંબઈમાં રહેતી પિંકી ઈરાનીને સુકેશ પોતાના એજન્ટ તરીકે બોલાવતો હતો અને તેના મારફત માઈન્ડ બ્લોઈંગ મોડેલિંગ કરતી યુવતીઓને પણ જેલમાં બોલાવીને રૂમમાં મળતી હતી. મળ્યા પછી, તેણે દરેકને મોંઘી ભેટ પણ આપી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી