મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીનને રાહત, વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 17:22:58

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને રાહત આપી છે. કોર્ટે જેકલીનની વચગાળાની સુરક્ષા 10 નવેમ્બર સુધી લંબાવી છે. જેકલીન શનિવારે બપોરે 2 વાગે પોતાના વકીલો સાથે કોર્ટમાં પહોંચી હતી. ગત સુનાવણીમાં પણ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા.


આ કેસમાં નિયમિત જામીન અને અન્ય પેન્ડિંગ અરજીઓની સુનાવણી 10 નવેમ્બરે થવાની છે. આ દરમિયાન, કોર્ટે EDને તમામ પક્ષકારો પાસેથી ચાર્જશીટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે.

jacqueline fernandez wallpapers hd cute smile image HD 1024×768

સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની નિયમિત જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે 26 સપ્ટેમ્બરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા.


સુકેશે જેકલીનને મોંઘી ભેટ આપી હતી

સુકેશે જેકલીનને મોંઘી કાર અને મોંઘી ભેટ આપી હતી. તેણે અભિનેત્રીના પરિવારને કાર પણ ભેટમાં આપી હતી. પિંકીએ સુકેશને જેકલીન સાથે પરિચય કરાવ્યો હતો. તે બંનેની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ ગઈ હતી અને તેણે લગ્ન કરવાનું મન પણ બનાવી લીધું હતું.


સુકેશ જેલમાં મોડલને મળતો હતો

Sukesh Chandrashekhar: 5 Facts On Millionaire Conman

મુંબઈમાં રહેતી પિંકી ઈરાનીને સુકેશ પોતાના એજન્ટ તરીકે બોલાવતો હતો અને તેના મારફત માઈન્ડ બ્લોઈંગ મોડેલિંગ કરતી યુવતીઓને પણ જેલમાં બોલાવીને રૂમમાં મળતી હતી. મળ્યા પછી, તેણે દરેકને મોંઘી ભેટ પણ આપી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.