મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીનને રાહત, વચગાળાના જામીન 10 નવેમ્બર સુધી લંબાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 17:22:58

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને રાહત આપી છે. કોર્ટે જેકલીનની વચગાળાની સુરક્ષા 10 નવેમ્બર સુધી લંબાવી છે. જેકલીન શનિવારે બપોરે 2 વાગે પોતાના વકીલો સાથે કોર્ટમાં પહોંચી હતી. ગત સુનાવણીમાં પણ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા.


આ કેસમાં નિયમિત જામીન અને અન્ય પેન્ડિંગ અરજીઓની સુનાવણી 10 નવેમ્બરે થવાની છે. આ દરમિયાન, કોર્ટે EDને તમામ પક્ષકારો પાસેથી ચાર્જશીટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે.

jacqueline fernandez wallpapers hd cute smile image HD 1024×768

સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની નિયમિત જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે 26 સપ્ટેમ્બરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા.


સુકેશે જેકલીનને મોંઘી ભેટ આપી હતી

સુકેશે જેકલીનને મોંઘી કાર અને મોંઘી ભેટ આપી હતી. તેણે અભિનેત્રીના પરિવારને કાર પણ ભેટમાં આપી હતી. પિંકીએ સુકેશને જેકલીન સાથે પરિચય કરાવ્યો હતો. તે બંનેની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ ગઈ હતી અને તેણે લગ્ન કરવાનું મન પણ બનાવી લીધું હતું.


સુકેશ જેલમાં મોડલને મળતો હતો

Sukesh Chandrashekhar: 5 Facts On Millionaire Conman

મુંબઈમાં રહેતી પિંકી ઈરાનીને સુકેશ પોતાના એજન્ટ તરીકે બોલાવતો હતો અને તેના મારફત માઈન્ડ બ્લોઈંગ મોડેલિંગ કરતી યુવતીઓને પણ જેલમાં બોલાવીને રૂમમાં મળતી હતી. મળ્યા પછી, તેણે દરેકને મોંઘી ભેટ પણ આપી.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે