પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાને તમિલનાડુની એગ્મોર કોર્ટે ફટકારી 6 મહિનાની સજા, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:39:54

તમિલનાડુની એગ્મોર કોર્ટે અભિનેત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ જયાપ્રદાને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.  મળતી માહિતી મુજબ, જયાપ્રદાના થિયેટર વર્કરોએ તેમની વિરુદ્ધ રાજ્ય વીમા નિગમને ESI ન ચૂકવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ચેન્નાઈના રાયપેટામાં જયાપ્રદાની માલિકીના એક મૂવી થીયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે તેમના પર 5 હજારનો દંડ પણ લગાવ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જયાપ્રદા સહિત ત્રણને છ મહિનાની કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. 


શું હતો સમગ્ર મામલો?


તે ચેન્નાઈના રામ કુમાર અને રાજ બાબુ સાથે રાજ્યની રાજધાની ચેન્નાઈના અન્ના સલાઈમાં થિયેટર ચલાવતી હતી. મળતી માહિતી મુજબ આ થિયેટર હવે અસ્તિત્વમાં નથી. તે છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. આ કિસ્સામાં, ત્યાં કામ કરતા તેમના થિયેટર કર્મચારીઓ પાસેથી એકત્ર કરાયેલ ESI કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ને ચૂકવવામાં આવ્યું ન હતું. આ સંદર્ભે ESIC એ ચેન્નાઈની એગ્મોર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ સામે જયાપ્રદા અને અન્યો દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી 3 અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આ મામલો એગ્મોર કોર્ટના ન્યાયાધીશ સમક્ષ સુનાવણી માટે આવ્યો ત્યારે જયાપ્રદાએ કહ્યું કે તે મજૂરો પાસેથી મળેલી રકમ ચૂકવશે. પરંતુ ESICના વકીલે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.


કેવું રહ્યું સિનેમા અને રાજકીય કેરિયર? 


અભિનેત્રી જયાપ્રદા 80ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. કમલ હાસન અભિનીત સલંગાઈ ઓલી જયાપ્રદાની પ્રખ્યાત ફિલ્મ છે. તેણે કોલીવુડ, ટોલીવુડ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ પછી તે રાજકારણમાં આવી અને સાંસદનું પદ પણ સંભાળ્યું હતું.


જયાપ્રદા વર્ષ 2004 અને 2009માં બે વખત લોકસભામાં સમાજવાદી પાર્ટી તરફથી રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. રસપ્રદ બાબત એ છે કે રામપુરથી સાંસદ રહી ચુકી જયાપ્રદાનું રાજકીય કેરિયર 1994માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થયું હતું. જયા પ્રદા 1996માં આંધ્રપ્રદેશથી અગાઉ રાજ્યસભા માટે ચુંટાઈ હતી. ત્યાર બાદ વર્ષ 2004માં તેમણે સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો હતો. તેમણે રાષ્ટ્રિય લોકદળથી લોકસભાની ચૂંટણી લડી પણ હારી ગયા હતા.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.