પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાને તમિલનાડુની એગ્મોર કોર્ટે ફટકારી 6 મહિનાની સજા, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:39:54

તમિલનાડુની એગ્મોર કોર્ટે અભિનેત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ જયાપ્રદાને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.  મળતી માહિતી મુજબ, જયાપ્રદાના થિયેટર વર્કરોએ તેમની વિરુદ્ધ રાજ્ય વીમા નિગમને ESI ન ચૂકવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ચેન્નાઈના રાયપેટામાં જયાપ્રદાની માલિકીના એક મૂવી થીયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે તેમના પર 5 હજારનો દંડ પણ લગાવ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જયાપ્રદા સહિત ત્રણને છ મહિનાની કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. 


શું હતો સમગ્ર મામલો?


તે ચેન્નાઈના રામ કુમાર અને રાજ બાબુ સાથે રાજ્યની રાજધાની ચેન્નાઈના અન્ના સલાઈમાં થિયેટર ચલાવતી હતી. મળતી માહિતી મુજબ આ થિયેટર હવે અસ્તિત્વમાં નથી. તે છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. આ કિસ્સામાં, ત્યાં કામ કરતા તેમના થિયેટર કર્મચારીઓ પાસેથી એકત્ર કરાયેલ ESI કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ને ચૂકવવામાં આવ્યું ન હતું. આ સંદર્ભે ESIC એ ચેન્નાઈની એગ્મોર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ સામે જયાપ્રદા અને અન્યો દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી 3 અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આ મામલો એગ્મોર કોર્ટના ન્યાયાધીશ સમક્ષ સુનાવણી માટે આવ્યો ત્યારે જયાપ્રદાએ કહ્યું કે તે મજૂરો પાસેથી મળેલી રકમ ચૂકવશે. પરંતુ ESICના વકીલે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.


કેવું રહ્યું સિનેમા અને રાજકીય કેરિયર? 


અભિનેત્રી જયાપ્રદા 80ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. કમલ હાસન અભિનીત સલંગાઈ ઓલી જયાપ્રદાની પ્રખ્યાત ફિલ્મ છે. તેણે કોલીવુડ, ટોલીવુડ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ પછી તે રાજકારણમાં આવી અને સાંસદનું પદ પણ સંભાળ્યું હતું.


જયાપ્રદા વર્ષ 2004 અને 2009માં બે વખત લોકસભામાં સમાજવાદી પાર્ટી તરફથી રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. રસપ્રદ બાબત એ છે કે રામપુરથી સાંસદ રહી ચુકી જયાપ્રદાનું રાજકીય કેરિયર 1994માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થયું હતું. જયા પ્રદા 1996માં આંધ્રપ્રદેશથી અગાઉ રાજ્યસભા માટે ચુંટાઈ હતી. ત્યાર બાદ વર્ષ 2004માં તેમણે સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો હતો. તેમણે રાષ્ટ્રિય લોકદળથી લોકસભાની ચૂંટણી લડી પણ હારી ગયા હતા.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.