પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાને તમિલનાડુની એગ્મોર કોર્ટે ફટકારી 6 મહિનાની સજા, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:39:54

તમિલનાડુની એગ્મોર કોર્ટે અભિનેત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ જયાપ્રદાને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.  મળતી માહિતી મુજબ, જયાપ્રદાના થિયેટર વર્કરોએ તેમની વિરુદ્ધ રાજ્ય વીમા નિગમને ESI ન ચૂકવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ચેન્નાઈના રાયપેટામાં જયાપ્રદાની માલિકીના એક મૂવી થીયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે તેમના પર 5 હજારનો દંડ પણ લગાવ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જયાપ્રદા સહિત ત્રણને છ મહિનાની કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. 


શું હતો સમગ્ર મામલો?


તે ચેન્નાઈના રામ કુમાર અને રાજ બાબુ સાથે રાજ્યની રાજધાની ચેન્નાઈના અન્ના સલાઈમાં થિયેટર ચલાવતી હતી. મળતી માહિતી મુજબ આ થિયેટર હવે અસ્તિત્વમાં નથી. તે છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. આ કિસ્સામાં, ત્યાં કામ કરતા તેમના થિયેટર કર્મચારીઓ પાસેથી એકત્ર કરાયેલ ESI કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ને ચૂકવવામાં આવ્યું ન હતું. આ સંદર્ભે ESIC એ ચેન્નાઈની એગ્મોર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ સામે જયાપ્રદા અને અન્યો દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી 3 અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આ મામલો એગ્મોર કોર્ટના ન્યાયાધીશ સમક્ષ સુનાવણી માટે આવ્યો ત્યારે જયાપ્રદાએ કહ્યું કે તે મજૂરો પાસેથી મળેલી રકમ ચૂકવશે. પરંતુ ESICના વકીલે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.


કેવું રહ્યું સિનેમા અને રાજકીય કેરિયર? 


અભિનેત્રી જયાપ્રદા 80ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. કમલ હાસન અભિનીત સલંગાઈ ઓલી જયાપ્રદાની પ્રખ્યાત ફિલ્મ છે. તેણે કોલીવુડ, ટોલીવુડ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ પછી તે રાજકારણમાં આવી અને સાંસદનું પદ પણ સંભાળ્યું હતું.


જયાપ્રદા વર્ષ 2004 અને 2009માં બે વખત લોકસભામાં સમાજવાદી પાર્ટી તરફથી રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. રસપ્રદ બાબત એ છે કે રામપુરથી સાંસદ રહી ચુકી જયાપ્રદાનું રાજકીય કેરિયર 1994માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થયું હતું. જયા પ્રદા 1996માં આંધ્રપ્રદેશથી અગાઉ રાજ્યસભા માટે ચુંટાઈ હતી. ત્યાર બાદ વર્ષ 2004માં તેમણે સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો હતો. તેમણે રાષ્ટ્રિય લોકદળથી લોકસભાની ચૂંટણી લડી પણ હારી ગયા હતા.  



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.