અભિનેત્રી કંગના રનૌતની ઈન્ટા સ્ટોરી ઉભો કરી શકે વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:45:59

બોલિવુડ એક્ટર કે એક્ટ્રેશ કોઈને કોઈ કારણોસર વિવાદમાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે કંગના રનૌત અનેક વખત વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે. કંગના રનૌત પોતાના બોલ્ડ નેચર અને પોતાની ચોઈસને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. કોઈને કોઈ કારણોસર તે વિવાદમાં ઘેરાયેલી હોય છે. પોતાના આવા નેચરને કારણે તેમને ધાકડ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ હોય છે. પોતાની પોસ્ટને કારણે તેઓ હમેશા વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત તે વિવાદમાં ઘેરાઈ શકે છે.  

ઈન્ટા સ્ટોરીમાં શેર કરાયેલા ફોટો બન્યા ચર્ચાનો વિષય

કંગના હમેશા મહિલાઓની સશક્તિકરણની વાતો કરતી જોવા મળે છે. અનેક વખત ધર્મની તેમજ સ્ત્રી અધિકારની વાત પર તે ટિપ્પણી કરતી હોય છે. સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, સ્ત્રીની મર્યાદા શું છે તેમજ ધર્મને લઈ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. સ્ત્રીને શિખામણ આપતા પણ તે અનેક વખત જોવા મળે છે. ત્યારે કંગનાએ ઈન્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહ્યા છે. જે પોસ્ટ શેર કરી છે તેમાં ટ્રાન્સપરેન્ટ કપડા પહેર્યા છે. તેમના આ લુકને કારણે તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અનેક લોકો તેમની ઉપર કમેન્ટ કરી છે કંગનાએ પોતે પહેલા કેવા કપડા પહેરવા જોઈએ તે શીખવું જોઈએ. પોતાની સ્ટોરીમાં તેણે લખ્યું છે કે મહિલાએ શું પહેરવું જોઈએ એ તેની પોતાની ચોઈસ છે. તેણે આ વાત પર વધારે ધ્યાન આપ્યું છે. 


ચાહકો આવા ફોટા પર વ્યક્ત કરી રહ્યા છે નારાજગી  

આ પોસ્ટને કારણે ફરી એક વખત કંગના ચર્ચાનો વિષય બની છે. લોકોને હમેશા જ્ઞાન આપતી કંગનાને લોકો તરફથી જ્ઞાન મળી રહ્યું છે. એક ચાહકે કહ્યું કે કંગના પોતાને રાજસ્થાની કહે છે તો રાજસ્થાની મહિલા કેટલી મર્યાદામાં રહે છે ત્યારે આણે તમામ હદ વટાવી નાખી છે. આવી અનેક કમેન્ટ કંગનાની આ પોસ્ટ પર જોવા મળી રહ્યા છે. જો તમે લોકોને જ્ઞાન આપશો તો લોકો પણ તમને જ્ઞાન આપશે તે સ્વાભાવિક છે.                        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.