અભિનેત્રી કંગના રનૌતની ઈન્ટા સ્ટોરી ઉભો કરી શકે વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:45:59

બોલિવુડ એક્ટર કે એક્ટ્રેશ કોઈને કોઈ કારણોસર વિવાદમાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે કંગના રનૌત અનેક વખત વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે. કંગના રનૌત પોતાના બોલ્ડ નેચર અને પોતાની ચોઈસને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. કોઈને કોઈ કારણોસર તે વિવાદમાં ઘેરાયેલી હોય છે. પોતાના આવા નેચરને કારણે તેમને ધાકડ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ હોય છે. પોતાની પોસ્ટને કારણે તેઓ હમેશા વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત તે વિવાદમાં ઘેરાઈ શકે છે.  

ઈન્ટા સ્ટોરીમાં શેર કરાયેલા ફોટો બન્યા ચર્ચાનો વિષય

કંગના હમેશા મહિલાઓની સશક્તિકરણની વાતો કરતી જોવા મળે છે. અનેક વખત ધર્મની તેમજ સ્ત્રી અધિકારની વાત પર તે ટિપ્પણી કરતી હોય છે. સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, સ્ત્રીની મર્યાદા શું છે તેમજ ધર્મને લઈ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. સ્ત્રીને શિખામણ આપતા પણ તે અનેક વખત જોવા મળે છે. ત્યારે કંગનાએ ઈન્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહ્યા છે. જે પોસ્ટ શેર કરી છે તેમાં ટ્રાન્સપરેન્ટ કપડા પહેર્યા છે. તેમના આ લુકને કારણે તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અનેક લોકો તેમની ઉપર કમેન્ટ કરી છે કંગનાએ પોતે પહેલા કેવા કપડા પહેરવા જોઈએ તે શીખવું જોઈએ. પોતાની સ્ટોરીમાં તેણે લખ્યું છે કે મહિલાએ શું પહેરવું જોઈએ એ તેની પોતાની ચોઈસ છે. તેણે આ વાત પર વધારે ધ્યાન આપ્યું છે. 


ચાહકો આવા ફોટા પર વ્યક્ત કરી રહ્યા છે નારાજગી  

આ પોસ્ટને કારણે ફરી એક વખત કંગના ચર્ચાનો વિષય બની છે. લોકોને હમેશા જ્ઞાન આપતી કંગનાને લોકો તરફથી જ્ઞાન મળી રહ્યું છે. એક ચાહકે કહ્યું કે કંગના પોતાને રાજસ્થાની કહે છે તો રાજસ્થાની મહિલા કેટલી મર્યાદામાં રહે છે ત્યારે આણે તમામ હદ વટાવી નાખી છે. આવી અનેક કમેન્ટ કંગનાની આ પોસ્ટ પર જોવા મળી રહ્યા છે. જો તમે લોકોને જ્ઞાન આપશો તો લોકો પણ તમને જ્ઞાન આપશે તે સ્વાભાવિક છે.                        



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.