અભિનેત્રી કંગના રનૌતની ઈન્ટા સ્ટોરી ઉભો કરી શકે વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:45:59

બોલિવુડ એક્ટર કે એક્ટ્રેશ કોઈને કોઈ કારણોસર વિવાદમાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે કંગના રનૌત અનેક વખત વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે. કંગના રનૌત પોતાના બોલ્ડ નેચર અને પોતાની ચોઈસને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. કોઈને કોઈ કારણોસર તે વિવાદમાં ઘેરાયેલી હોય છે. પોતાના આવા નેચરને કારણે તેમને ધાકડ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ હોય છે. પોતાની પોસ્ટને કારણે તેઓ હમેશા વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત તે વિવાદમાં ઘેરાઈ શકે છે.  

ઈન્ટા સ્ટોરીમાં શેર કરાયેલા ફોટો બન્યા ચર્ચાનો વિષય

કંગના હમેશા મહિલાઓની સશક્તિકરણની વાતો કરતી જોવા મળે છે. અનેક વખત ધર્મની તેમજ સ્ત્રી અધિકારની વાત પર તે ટિપ્પણી કરતી હોય છે. સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, સ્ત્રીની મર્યાદા શું છે તેમજ ધર્મને લઈ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. સ્ત્રીને શિખામણ આપતા પણ તે અનેક વખત જોવા મળે છે. ત્યારે કંગનાએ ઈન્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહ્યા છે. જે પોસ્ટ શેર કરી છે તેમાં ટ્રાન્સપરેન્ટ કપડા પહેર્યા છે. તેમના આ લુકને કારણે તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અનેક લોકો તેમની ઉપર કમેન્ટ કરી છે કંગનાએ પોતે પહેલા કેવા કપડા પહેરવા જોઈએ તે શીખવું જોઈએ. પોતાની સ્ટોરીમાં તેણે લખ્યું છે કે મહિલાએ શું પહેરવું જોઈએ એ તેની પોતાની ચોઈસ છે. તેણે આ વાત પર વધારે ધ્યાન આપ્યું છે. 


ચાહકો આવા ફોટા પર વ્યક્ત કરી રહ્યા છે નારાજગી  

આ પોસ્ટને કારણે ફરી એક વખત કંગના ચર્ચાનો વિષય બની છે. લોકોને હમેશા જ્ઞાન આપતી કંગનાને લોકો તરફથી જ્ઞાન મળી રહ્યું છે. એક ચાહકે કહ્યું કે કંગના પોતાને રાજસ્થાની કહે છે તો રાજસ્થાની મહિલા કેટલી મર્યાદામાં રહે છે ત્યારે આણે તમામ હદ વટાવી નાખી છે. આવી અનેક કમેન્ટ કંગનાની આ પોસ્ટ પર જોવા મળી રહ્યા છે. જો તમે લોકોને જ્ઞાન આપશો તો લોકો પણ તમને જ્ઞાન આપશે તે સ્વાભાવિક છે.                        



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?