'સારાભાઈ Vs સારાભાઈ' સિરિયલમાં અભિનય કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં થયું નિધન! મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-24 08:54:47

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતમાં લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે કે તે જીવનભર ચાલી પણ નથી શકતા. ત્યારે લોકપ્રિય શો સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મિનની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. હિમાચલ પ્રદેશમાં આ દુર્ઘટના સર્જાઈ હતી અને મળતી માહિતી અનુસાર મુંબઈ ખાતે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Vaibhavi Upadhyay Hot Legs : r/HotIndianActresses

ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત!

રોડ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. અકસ્માતમાં અનેક વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. ઝડપની મજા કોઈને માટે મોતની સજા પણ બનતી હોય છે. ત્યારે ટીવી ઈન્ડસ્ટ્રીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મોત રોડ એક્સિડન્ટમાં થયું છે. સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મીનનું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. હિમાચલ પ્રદેશમાં આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પોતાના મંગેતર સાથે અભિનેત્રી કારમાં મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન એક તીવ્ર વળાંક પર ગાડી પરથી કાબુ હટતા ગાડી નિયંત્રણની બહાર જતી રહી હતી. અભિનેત્રીના મંગેતરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.


રૂપાલી ગાંગુલીએ શોક કર્યો વ્યક્ત! 

અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. અભિનેત્રીના નિધનની પુષ્ટિ અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ Vs સારાભાઈની જાસ્મિન તરીકે જાણીતી છે તેનું અવસાન થયું. તેનો ઉત્તર ભારતમાં અકસ્માત થયો છે. વૈભવીની આત્માને શાંતિ મળે. તે સિવાય રુપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રૂપાલી ગાંગુલી અને વૈભવી ઉપાધ્યાયે સારાભાઈ વર્સીસ સારાભાઈમાં સ્ક્રીન શેર કરી હતી.              



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.