'સારાભાઈ Vs સારાભાઈ' સિરિયલમાં અભિનય કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં થયું નિધન! મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર!


  • Published By :
  • Published Date : 2023-05-24 08:54:47

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતમાં લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે કે તે જીવનભર ચાલી પણ નથી શકતા. ત્યારે લોકપ્રિય શો સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મિનની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. હિમાચલ પ્રદેશમાં આ દુર્ઘટના સર્જાઈ હતી અને મળતી માહિતી અનુસાર મુંબઈ ખાતે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Vaibhavi Upadhyay Hot Legs : r/HotIndianActresses

ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત!

રોડ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. અકસ્માતમાં અનેક વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. ઝડપની મજા કોઈને માટે મોતની સજા પણ બનતી હોય છે. ત્યારે ટીવી ઈન્ડસ્ટ્રીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મોત રોડ એક્સિડન્ટમાં થયું છે. સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મીનનું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. હિમાચલ પ્રદેશમાં આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પોતાના મંગેતર સાથે અભિનેત્રી કારમાં મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન એક તીવ્ર વળાંક પર ગાડી પરથી કાબુ હટતા ગાડી નિયંત્રણની બહાર જતી રહી હતી. અભિનેત્રીના મંગેતરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.


રૂપાલી ગાંગુલીએ શોક કર્યો વ્યક્ત! 

અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. અભિનેત્રીના નિધનની પુષ્ટિ અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ Vs સારાભાઈની જાસ્મિન તરીકે જાણીતી છે તેનું અવસાન થયું. તેનો ઉત્તર ભારતમાં અકસ્માત થયો છે. વૈભવીની આત્માને શાંતિ મળે. તે સિવાય રુપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રૂપાલી ગાંગુલી અને વૈભવી ઉપાધ્યાયે સારાભાઈ વર્સીસ સારાભાઈમાં સ્ક્રીન શેર કરી હતી.              



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .