'સારાભાઈ Vs સારાભાઈ' સિરિયલમાં અભિનય કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં થયું નિધન! મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર!


  • Published By :
  • Published Date : 2023-05-24 08:54:47

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતમાં લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે કે તે જીવનભર ચાલી પણ નથી શકતા. ત્યારે લોકપ્રિય શો સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મિનની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. હિમાચલ પ્રદેશમાં આ દુર્ઘટના સર્જાઈ હતી અને મળતી માહિતી અનુસાર મુંબઈ ખાતે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Vaibhavi Upadhyay Hot Legs : r/HotIndianActresses

ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત!

રોડ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. અકસ્માતમાં અનેક વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. ઝડપની મજા કોઈને માટે મોતની સજા પણ બનતી હોય છે. ત્યારે ટીવી ઈન્ડસ્ટ્રીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મોત રોડ એક્સિડન્ટમાં થયું છે. સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મીનનું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. હિમાચલ પ્રદેશમાં આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પોતાના મંગેતર સાથે અભિનેત્રી કારમાં મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન એક તીવ્ર વળાંક પર ગાડી પરથી કાબુ હટતા ગાડી નિયંત્રણની બહાર જતી રહી હતી. અભિનેત્રીના મંગેતરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.


રૂપાલી ગાંગુલીએ શોક કર્યો વ્યક્ત! 

અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. અભિનેત્રીના નિધનની પુષ્ટિ અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ Vs સારાભાઈની જાસ્મિન તરીકે જાણીતી છે તેનું અવસાન થયું. તેનો ઉત્તર ભારતમાં અકસ્માત થયો છે. વૈભવીની આત્માને શાંતિ મળે. તે સિવાય રુપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રૂપાલી ગાંગુલી અને વૈભવી ઉપાધ્યાયે સારાભાઈ વર્સીસ સારાભાઈમાં સ્ક્રીન શેર કરી હતી.              



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.