એક્ટ્રેસ વૈશાલી ઠક્કર આપઘાત કેસ:આરોપી રાહુલ નવલાનીના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 17:02:26

વૈશાલી ઠક્કરના નિધનના બે દિવસ બાદ પોલીસે રાહુલ નવલાનીને પકડી પાડ્યો
રાહુલને ઓનલાઈન કોર્ટ સમક્ષ હાજર કરવાનું પ્લાનિંગ કરી રહેલી પોલીસને કોર્ટનો ઠપકો
રાહુલ નવલાની અને તેની પત્ની દિશા છેલ્લા અઢી વર્ષથી વૈશાલી ઠક્કરને ધમકાવતા હતા

Rahul Navlani: जानिए कहां छुपा बैठा था वैशाली ठक्कर की मौत का गुनहगार  राहुल, पुलिस ने दबोचा तो बन रहा है मासूम - Navbharat Times

16 ઓક્ટોબરે વૈશાલી ઠક્કરે જીવન ટૂંકાવ્યા બાદ 19 ઓક્ટોબરે આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલને હાલમાં જ પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને ત્યાં તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અઢી વર્ષથી રાહુલ અને પત્ની દિશા વૈશાલીને પરેશાન કરતો હોવાનો આરોપ છે

Showbiz: Indian actress Vaishali Thakkar found dead at home

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરનો મૃતદેહ ગત રવિવારે તેના ઈન્દોર સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. તેણે અવળું પગલું ભરવા માટે પરિણીત પાડોશી રાહુલ નવલાની અને પત્ની દિશાને જવાબદાર ગણાવ્યા હતા. ઘટના વિશે જાણ થતાં જ બંને ઘર છોડીને ભાગી ગયા હતા. જો કે, પોલીસે બે દિવસ પહેલા રાહુલને પકડી પાડ્યો હતો, જે હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસ રાહુલને ઓનલાઈન કોર્ટ સમક્ષ હાજર કરવાના પ્લાનિંગમાં હતી, જેના પર તેમણે ઠપકો સાંભળવો પડ્યો હતો. ત્યારબાદ તેને 10 મિનિટની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ વિરુદ્ધ પુરાવા મેળવવા માટે 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે માત્ર 4 દિવસના રિમાન્ડની જ મંજૂરી આપી હતી.


કોર્ટે મંજૂર કર્યા રાહુલ નવલાનીના 4 દિવસના રિમાન્ડ

રાહુલ નવલાની અને દિશા અઢી વર્ષથી વૈશાલી ઠક્કરને પરેશાન કરી રહ્યા છે. બંને ભેગા મળીને દિવંગત એક્ટ્રેસના લગ્ન તોડવા માગચા હતા. તેઓ તેને ધમકી આપતા હતા અને નવેમ્બરમાં જે છોકરા સાથે લગ્ન થવાના હતા તેને તેના ફોટો પણ મોકલ્યા હતા. વૈશાલીના ભાઈ નિરજે પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'રાહુલ તેને ઘણીવાર ધમકાવતો હતો કે તારું ઘર નહીં વસવા દઉં...લગ્ન નહીં થવા દઉં. ડાયરીમાં વૈશાલીએ બધા સંબંધો વિશે લખ્યું છે'. તો વૈશાલીના માતાએ કહ્યું હતું કે, જ્યારે આરોપીને સજા મળશે ત્યારે જ તેમની દીકરીની આત્માને શાંતિ મળશે.


પોલીસને મદદ કરવાની નિશાંતે દર્શાવી તૈયારી

સીરિયલ 'રક્ષાબંધન'ના કો-એક્ટર નિશાંત સિંહ મલ્ખાનીએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં વૈશાલી ઠક્કરના જીવનમાં શું ચાલી રહ્યું હતું તે વિશે જાણતો હોવાનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે 'રાહુલ વિશે હું બધું જાણું છું, જે તેની પજવણી કરતો હતો, મને ઊંડાણમાં બધી ખબર છે. મારા પર વિશ્વાસ રાખીને તે બધું મને જણાવતી હતી તેથી તેના અંગત જીવનની વાતો લીક ન કરવી તે મારી ડ્યૂટી હતી. પરંતુ જ્યારે તે વ્યક્તિના લીધે વૈશાલીએ આ નિર્ણય લીધો છે, ત્યારે હું મારું શ્રેષ્ઠ આપીશ અને તે વ્યક્તિ સામે લડીશ તેમજ મારી મિત્ર સાથે ઉભો રહીશ. જો મને કોઈ પૂછશે તો હું વિગતવાર માહિતી આપીશ અને તપાસમાં મદદ કરીશ'.



સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે