ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનાર બે મોરેશિયસ કંપનીઓ ઈન્કમ ટેક્સના રડારમાં


  • Published By :
  • Published Date : 2023-05-30 22:45:46

ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓમાં ઓછામાં ઓછી બે મોરેશિયસ કંપનીઓએ રોકાણ કર્યુ હતું અને હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ વિશેના રિપોર્ટમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. આ મોરેશિયસ કંપનીઓ છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી ભારતના આવકવેરા વિભાગના રડારમાં હતી.


મોરેશિયસ સ્થિત આ કંપનીઓ પર નજર


વર્ષ 2017ના પેરેડાઈઝ પેપર્સની તપાસ દરમિયાન મળેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે માવી ઈન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડ (હવે APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડ)ને મોરેશિયસ રેવન્યુ ઓથોરિટી (MRA) તરફથી સપ્ટેમ્બર 2012માં નોટિસ મળી હતી. આ નોટિસ માહિતીની જાણ કરવા અને ડાયરેક્ટ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટ હેઠળ ભારતના આવકવેરાના અધિકારીઓને આગળ મોકલવા માટે હતી. આઇટી વિભાગના રડારમાં આવેલી બીજી વિદેશી કંપની લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ છે, જેણે 2005માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેને મોરેશિયસ રેવન્યૂ ઓથોરિટી તરફથી જુલાઈ 2014માં ઉપરોક્ત કંપની જેવી જ સમાન નોટિસ મળી હતી. આ દસ્તાવેજો ઓફશોર લીગલ ફર્મ Applebyના ખાનગી રેકોર્ડ છે.


હિંડનબર્ગ રિસર્ચે પણ કર્યો હતો ખુલાસો


હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અંગેના તેના રિપોર્ટમાં મોરેશિયસની પાંચ સંસ્થાઓ – APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ (અગાઉની માવી ઇન્વેસ્ટમેન્ટ્સ), અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડને એક કથિત “સ્ટોક પાર્કિંગ એન્ટિટી” મોન્ટેરોસા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સના નિયંત્રણ હેઠળ રાખ્યા છે, (BVI) – જે સામૂહિક રીતે દોઢ દાયકામાં અદાણી જૂથની કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.


13 વિદેશી એન્ટિટીની માલિકી પણ અસ્પષ્ટ


સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી એક્સપર્ટ્સ કમિટીના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2020થી માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તપાસ કરવામાં આવી રહેલી 13 વિદેશી કંપનીઓમાં આ ચાર કંપનીઓ હતી. “સેબીની શંકાનો આધાર જે વિદેશી કંપનીઓની માલિકીની તપાસ તરફ દોરી ગયો હતો તે એ છે કે તેમની પાસે ‘અપારદર્શક’ માળખું છે કારણ કે 13 વિદેશી એન્ટિટીની માલિકી પણ સ્પષ્ટ ન હતી,” સમિતિએ ધ્યાન દોર્યું હતું. ઑગસ્ટ 2010ના રેકોર્ડ્સ દર્શાવે છે કે, Applebyએ મોન્ટેરોસાને લોટસ, માવી, ક્રેસ્ટા, અન્યો સાથે સંબંધિત ફંડ ડોક્યુમેન્ટોમાં સુધારો કરવા અને રેકોર્ડ કરવા માટે બિલ મોકલામાં આવ્યુ હતું.


માવીએ 2006માં અદાણી ગ્રુપમાં કર્યું હતું રોકાણ


સેબીએ મે 2010માં સેબીના નિયમોનું ઉલ્લંઘન કરવાના બદલામાં સેટલમેન્ પેટે માવી તરફથી 10 લાખ રૂપિયાના પેમેન્ટનો સ્વીકાર કર્યો હતો. માવી (APMS તરીકે) અદાણી ટ્રાન્સમિશનમાં 1.86 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 2.72 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021સુધીમાં તેનો અદાણી ગ્રીન એનર્જીમાં 1.19 ટકા હિસ્સો હતો. માવીએ વર્ષ 2006માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)માં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે તે બહાર નીકળી ગઇ હતી. તેણે અદાણી પાવર લિમિટેડ (APL)નો સંપૂર્ણ હિસ્સો વર્ષ 2013માં ત્રણ બ્લોક ડીલમાં ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીને વેચી દીધો હતો.


લોટસ ગ્લોબલનું  2009માં અદાણી પાવરમાં રોકાણ


લોટસ ગ્લોબલે ડિસેમ્બર 2009માં અદાણી પાવર લિમિટેડમાં તેનો હિસ્સો મોન્ટેરોસા હસ્તકની અલબુલા (મોરિશિયસ)ને વેચ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇસિસમાં તેનો વર્ષ 2008માં 4.51 ટકા હતો જે ધીમે ધીમે ઘટાડીને વર્ષ 2010ના બીજા ક્વાર્ટર સુધીમાં એક્ઝિટ કરવામાં આવી હતી. જુલાઈ 2014માં મોરેશિયલ રેવન્યૂ ઓથોરિટીએ લોટસ ગ્લોબલને વર્ષ 2006 થી 2012 માટે ઓડિટેડ ફાઇનાન્સિયલ સ્ટેટમે્નટ્સ આપવા જણાવ્યુ હતુ લગભગ તે સમયગાળામાં લોટસ ગ્લોબલ અદાણી કંપનીઓમાં હિસ્સો ધરાવતુ હતું.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.