હિંડનબર્ગ રિપોર્ટે આપ્યો ઝટકો, અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે પણ કડાકો બોલાયો


  • Published By :
  • Published Date : 2023-02-01 19:42:10

નાણામંત્રી નિર્મલા સીતારમણના ભવ્ય બજેટને શેરબજારે આવકાર્યું છે, ત્યારે ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે ફરી ભારે વેચવાલી જોવા મળી હતી. ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીની તમામ કંપનીઓનું શેરબજારમાં જોરદાર ધોવાણ થયું છે. 


અદાણીની કંઈ કંપનીના શેર તુટ્યા? 


જો ગૌતમ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ વિશે વાત કરીએ તો તેના શેરમાં લગભગ 28 ટકાની નબળાઈ જોવા મળી હતી અને તે 838 ઘટીને રૂ. 2135 જેટલો રહ્યો હતો.


અદાણી જૂથની અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 117ની નબળાઈ જોવા મળી હતી અને તે લગભગ 19 ટકાના ઘટાડા સાથે 495ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


અદાણી વિલ્મરમાં 23 રૂપિયાના ઘટાડા સાથે 5 ટકા તુટીને રૂ.443, અંબુજા સિમેન્ટ રૂ 67  કડાકાના કડાકા સાથે 16.72 ટકા તુટીને 334 રૂપિયાએ બંધ રહ્યો હતો.


બુધવારના ટ્રેડિંગમાં, ગૌતમ અદાણી ગ્રૂપના અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેર લગભગ 2.85 ટકાની નબળાઈ નોંધાવી રહ્યા હતા અને 50 ઘટીને રૂ. 1,723 પર ટ્રેડ કરી રહ્યા હતા.


અદાણી પાવરના શેરમાં પાંચ ટકાની નબળાઈ હતી અને તે રૂ.11 ઘટીને રૂ.212 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 


અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 63 ના ઘટાડા સાથે રૂ. 1160 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસના શેરમાં 10 ટકાની નબળાઈ હતી અને તે રૂ.210 ઘટીને રૂ.1893 પર ટ્રેડ થઈ રહ્યો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.