હિંડનબર્ગ રિપોર્ટે આપ્યો ઝટકો, અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે પણ કડાકો બોલાયો


  • Published By :
  • Published Date : 2023-02-01 19:42:10

નાણામંત્રી નિર્મલા સીતારમણના ભવ્ય બજેટને શેરબજારે આવકાર્યું છે, ત્યારે ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે ફરી ભારે વેચવાલી જોવા મળી હતી. ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીની તમામ કંપનીઓનું શેરબજારમાં જોરદાર ધોવાણ થયું છે. 


અદાણીની કંઈ કંપનીના શેર તુટ્યા? 


જો ગૌતમ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ વિશે વાત કરીએ તો તેના શેરમાં લગભગ 28 ટકાની નબળાઈ જોવા મળી હતી અને તે 838 ઘટીને રૂ. 2135 જેટલો રહ્યો હતો.


અદાણી જૂથની અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 117ની નબળાઈ જોવા મળી હતી અને તે લગભગ 19 ટકાના ઘટાડા સાથે 495ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


અદાણી વિલ્મરમાં 23 રૂપિયાના ઘટાડા સાથે 5 ટકા તુટીને રૂ.443, અંબુજા સિમેન્ટ રૂ 67  કડાકાના કડાકા સાથે 16.72 ટકા તુટીને 334 રૂપિયાએ બંધ રહ્યો હતો.


બુધવારના ટ્રેડિંગમાં, ગૌતમ અદાણી ગ્રૂપના અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેર લગભગ 2.85 ટકાની નબળાઈ નોંધાવી રહ્યા હતા અને 50 ઘટીને રૂ. 1,723 પર ટ્રેડ કરી રહ્યા હતા.


અદાણી પાવરના શેરમાં પાંચ ટકાની નબળાઈ હતી અને તે રૂ.11 ઘટીને રૂ.212 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 


અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 63 ના ઘટાડા સાથે રૂ. 1160 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસના શેરમાં 10 ટકાની નબળાઈ હતી અને તે રૂ.210 ઘટીને રૂ.1893 પર ટ્રેડ થઈ રહ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.