અદાણીની 7 કંપનીઓમાં મૂડીરોકાણથી LICને રૂ.38,509 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-02-05 16:15:57

Hindenburg Researchનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની કંપનીઓની કંપનીઓ શેરબજારમાં સતત તુટી રહી છે. શેર બજારમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. અદાણીની કંપનીઓના રોકાણકારોની મૂડી પણ લાખની બાર હજાર થઈ ગઈ છે. જો કે શેર બજારમાં અદાણીના શેર તુટતા  LICનો જોરદાર ફટકો પડ્યો છે. LIC ઉપરાંત મ્યુચ્યુંઅલ ફંડો અને FIIને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. 


LICને રૂ.38,509 કરોડનું નુકસાન 


અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવાના કારણે LICને જોરદાર ફટકો પડ્યો છે. અદાણીની કંપનીઓના શેર ઘટવાને કારણે LICને 38,509 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં રોકાણ ધરાવે છે. જેમાં સૌથી વધુ રોકાણ અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝીસમાં છે. છેલ્લા સાત સત્રોમાં LICનું રોકાણ મૂલ્ય રૂ. 38,509 કરોડ ઘટીને રૂ. 42,759 કરોડ થયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટોટલ ગેસમાં LICના હિસ્સાનું મૂલ્ય રૂ. 25,484 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 10,664 કરોડ થયું છે. તેવી જ રીતે, અદાણી પોર્ટ્સમાં તે રૂ. 15,029 કરોડથી ઘટીને રૂ. 9,854 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં રૂ. 16,585 કરોડથી ઘટીને રૂ. 7,632 કરોડ પર આવી ગયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટ્રાન્સમિશનમાં LICના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 5,701 કરોડ થયું છે. એ જ રીતે, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને અદાણી ગ્રીન એનર્જીમાં LICના રોકાણને ઝટકો લાગ્યો છે.


મ્યુચ્યુઅલ ફંડને પણ ફટકો


LICની જેમ મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય પણ ઘટ્યું છે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય રૂ. 8,282 કરોડ ઘટીને રૂ. 16,280 કરોડ થયું છે. મ્યુચ્યુઅલ ફંડ પાસે અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ACC અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં હોલ્ડિંગ છે. મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા ચાર ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે.


FII પણ રાતા પાણીએ રોયા


અદાણી ગ્રૂપના શેર ઘટવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ને રૂ. 1,43,991 કરોડનું નુકસાન થયું છે અને હવે તેમના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 148,742 કરોડ રહી ગયું છે. છેલ્લા ચાર ક્વાર્ટરમાં, FII એ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હતો.




રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.