અદાણીની 7 કંપનીઓમાં મૂડીરોકાણથી LICને રૂ.38,509 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-02-05 16:15:57

Hindenburg Researchનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની કંપનીઓની કંપનીઓ શેરબજારમાં સતત તુટી રહી છે. શેર બજારમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. અદાણીની કંપનીઓના રોકાણકારોની મૂડી પણ લાખની બાર હજાર થઈ ગઈ છે. જો કે શેર બજારમાં અદાણીના શેર તુટતા  LICનો જોરદાર ફટકો પડ્યો છે. LIC ઉપરાંત મ્યુચ્યુંઅલ ફંડો અને FIIને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. 


LICને રૂ.38,509 કરોડનું નુકસાન 


અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવાના કારણે LICને જોરદાર ફટકો પડ્યો છે. અદાણીની કંપનીઓના શેર ઘટવાને કારણે LICને 38,509 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં રોકાણ ધરાવે છે. જેમાં સૌથી વધુ રોકાણ અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝીસમાં છે. છેલ્લા સાત સત્રોમાં LICનું રોકાણ મૂલ્ય રૂ. 38,509 કરોડ ઘટીને રૂ. 42,759 કરોડ થયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટોટલ ગેસમાં LICના હિસ્સાનું મૂલ્ય રૂ. 25,484 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 10,664 કરોડ થયું છે. તેવી જ રીતે, અદાણી પોર્ટ્સમાં તે રૂ. 15,029 કરોડથી ઘટીને રૂ. 9,854 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં રૂ. 16,585 કરોડથી ઘટીને રૂ. 7,632 કરોડ પર આવી ગયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટ્રાન્સમિશનમાં LICના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 5,701 કરોડ થયું છે. એ જ રીતે, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને અદાણી ગ્રીન એનર્જીમાં LICના રોકાણને ઝટકો લાગ્યો છે.


મ્યુચ્યુઅલ ફંડને પણ ફટકો


LICની જેમ મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય પણ ઘટ્યું છે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય રૂ. 8,282 કરોડ ઘટીને રૂ. 16,280 કરોડ થયું છે. મ્યુચ્યુઅલ ફંડ પાસે અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ACC અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં હોલ્ડિંગ છે. મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા ચાર ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે.


FII પણ રાતા પાણીએ રોયા


અદાણી ગ્રૂપના શેર ઘટવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ને રૂ. 1,43,991 કરોડનું નુકસાન થયું છે અને હવે તેમના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 148,742 કરોડ રહી ગયું છે. છેલ્લા ચાર ક્વાર્ટરમાં, FII એ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હતો.




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.