અદાણીની 7 કંપનીઓમાં મૂડીરોકાણથી LICને રૂ.38,509 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-02-05 16:15:57

Hindenburg Researchનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની કંપનીઓની કંપનીઓ શેરબજારમાં સતત તુટી રહી છે. શેર બજારમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. અદાણીની કંપનીઓના રોકાણકારોની મૂડી પણ લાખની બાર હજાર થઈ ગઈ છે. જો કે શેર બજારમાં અદાણીના શેર તુટતા  LICનો જોરદાર ફટકો પડ્યો છે. LIC ઉપરાંત મ્યુચ્યુંઅલ ફંડો અને FIIને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. 


LICને રૂ.38,509 કરોડનું નુકસાન 


અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવાના કારણે LICને જોરદાર ફટકો પડ્યો છે. અદાણીની કંપનીઓના શેર ઘટવાને કારણે LICને 38,509 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં રોકાણ ધરાવે છે. જેમાં સૌથી વધુ રોકાણ અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝીસમાં છે. છેલ્લા સાત સત્રોમાં LICનું રોકાણ મૂલ્ય રૂ. 38,509 કરોડ ઘટીને રૂ. 42,759 કરોડ થયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટોટલ ગેસમાં LICના હિસ્સાનું મૂલ્ય રૂ. 25,484 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 10,664 કરોડ થયું છે. તેવી જ રીતે, અદાણી પોર્ટ્સમાં તે રૂ. 15,029 કરોડથી ઘટીને રૂ. 9,854 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં રૂ. 16,585 કરોડથી ઘટીને રૂ. 7,632 કરોડ પર આવી ગયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટ્રાન્સમિશનમાં LICના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 5,701 કરોડ થયું છે. એ જ રીતે, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને અદાણી ગ્રીન એનર્જીમાં LICના રોકાણને ઝટકો લાગ્યો છે.


મ્યુચ્યુઅલ ફંડને પણ ફટકો


LICની જેમ મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય પણ ઘટ્યું છે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય રૂ. 8,282 કરોડ ઘટીને રૂ. 16,280 કરોડ થયું છે. મ્યુચ્યુઅલ ફંડ પાસે અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ACC અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં હોલ્ડિંગ છે. મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા ચાર ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે.


FII પણ રાતા પાણીએ રોયા


અદાણી ગ્રૂપના શેર ઘટવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ને રૂ. 1,43,991 કરોડનું નુકસાન થયું છે અને હવે તેમના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 148,742 કરોડ રહી ગયું છે. છેલ્લા ચાર ક્વાર્ટરમાં, FII એ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હતો.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.