હિંડનબર્ગ રિપોર્ટથી અદાણી ગ્રુપની સ્પીડ પર લાગી બ્રેક, આ રિપોર્ટમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-13 14:06:36

અમેરિકાની જાણીતી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપને હચમચાવી નાખ્યું છે. અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુને 120 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. સ્થિતીએ સર્જાઈ છે કે અદાણી ગ્રુપ પોતાનો રેવન્યુ ગ્રોથ ટારગેટ ઘટાડવા અને કેપેક્સમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે. બ્લુમબર્ગના એક રિપોર્ટના જણાવ્યા મુજબ અદાણી ગ્રુપએ આગામી વર્ષમાં 40 ટકા ગ્રોથનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું જે હવે ઘટાડીને 15થી 20 ટકા કરી શકાય છે. તે સાથે જ કેપિટલ એક્સપેંડિચર પ્લાનમાં ઘટાડો કરવાની પણ યોજના છે. રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપનું ફોકસ હવે કેશ બચાવવા, દેવાની ચૂકવણી અને ગીરો રાખેલા શેરોને છોડાવવા પર હશે. બ્લુમબર્ગની રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જો અદાણી ગ્રુપ ત્રણ મહિના માટે મૂડીરોકાણને રોકશે તો તે 3 અબજ ડોલરની બચત કરી શકે છે. આ રકમનો ઉપયોગ દેવાની ચૂકવણી કે કેશ વધારવામાં ઉપયોગ કરી શકે છે. 


3 કંપનીઓનાં વધુ શેર ગીરો મુક્યા


બ્લુમબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ હાલમાં આ યોજનાઓની સમીક્ષા કરી રહ્યું છે અને આગામી દિવસોમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. દરમિયાન અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓએ તેમના વધારાના શેર બેન્કો પાસે ગીરવે મૂક્યા છે. આ બેંકોએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝને લોન આપી છે. આ કંપનીઓએ તેમના શેર SBICAP ટ્રસ્ટી કંપની પાસે ગીરવે મૂક્યા છે. તેમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ),અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિ.નો સમાવેશ થાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.