હિંડનબર્ગ રિપોર્ટથી અદાણી ગ્રુપની સ્પીડ પર લાગી બ્રેક, આ રિપોર્ટમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-13 14:06:36

અમેરિકાની જાણીતી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપને હચમચાવી નાખ્યું છે. અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુને 120 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. સ્થિતીએ સર્જાઈ છે કે અદાણી ગ્રુપ પોતાનો રેવન્યુ ગ્રોથ ટારગેટ ઘટાડવા અને કેપેક્સમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે. બ્લુમબર્ગના એક રિપોર્ટના જણાવ્યા મુજબ અદાણી ગ્રુપએ આગામી વર્ષમાં 40 ટકા ગ્રોથનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું જે હવે ઘટાડીને 15થી 20 ટકા કરી શકાય છે. તે સાથે જ કેપિટલ એક્સપેંડિચર પ્લાનમાં ઘટાડો કરવાની પણ યોજના છે. રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપનું ફોકસ હવે કેશ બચાવવા, દેવાની ચૂકવણી અને ગીરો રાખેલા શેરોને છોડાવવા પર હશે. બ્લુમબર્ગની રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જો અદાણી ગ્રુપ ત્રણ મહિના માટે મૂડીરોકાણને રોકશે તો તે 3 અબજ ડોલરની બચત કરી શકે છે. આ રકમનો ઉપયોગ દેવાની ચૂકવણી કે કેશ વધારવામાં ઉપયોગ કરી શકે છે. 


3 કંપનીઓનાં વધુ શેર ગીરો મુક્યા


બ્લુમબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ હાલમાં આ યોજનાઓની સમીક્ષા કરી રહ્યું છે અને આગામી દિવસોમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. દરમિયાન અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓએ તેમના વધારાના શેર બેન્કો પાસે ગીરવે મૂક્યા છે. આ બેંકોએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝને લોન આપી છે. આ કંપનીઓએ તેમના શેર SBICAP ટ્રસ્ટી કંપની પાસે ગીરવે મૂક્યા છે. તેમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ),અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિ.નો સમાવેશ થાય છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.