હિંડનબર્ગ રિપોર્ટથી અદાણી ગ્રુપની સ્પીડ પર લાગી બ્રેક, આ રિપોર્ટમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-13 14:06:36

અમેરિકાની જાણીતી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપને હચમચાવી નાખ્યું છે. અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુને 120 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. સ્થિતીએ સર્જાઈ છે કે અદાણી ગ્રુપ પોતાનો રેવન્યુ ગ્રોથ ટારગેટ ઘટાડવા અને કેપેક્સમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે. બ્લુમબર્ગના એક રિપોર્ટના જણાવ્યા મુજબ અદાણી ગ્રુપએ આગામી વર્ષમાં 40 ટકા ગ્રોથનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું જે હવે ઘટાડીને 15થી 20 ટકા કરી શકાય છે. તે સાથે જ કેપિટલ એક્સપેંડિચર પ્લાનમાં ઘટાડો કરવાની પણ યોજના છે. રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપનું ફોકસ હવે કેશ બચાવવા, દેવાની ચૂકવણી અને ગીરો રાખેલા શેરોને છોડાવવા પર હશે. બ્લુમબર્ગની રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જો અદાણી ગ્રુપ ત્રણ મહિના માટે મૂડીરોકાણને રોકશે તો તે 3 અબજ ડોલરની બચત કરી શકે છે. આ રકમનો ઉપયોગ દેવાની ચૂકવણી કે કેશ વધારવામાં ઉપયોગ કરી શકે છે. 


3 કંપનીઓનાં વધુ શેર ગીરો મુક્યા


બ્લુમબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ હાલમાં આ યોજનાઓની સમીક્ષા કરી રહ્યું છે અને આગામી દિવસોમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. દરમિયાન અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓએ તેમના વધારાના શેર બેન્કો પાસે ગીરવે મૂક્યા છે. આ બેંકોએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝને લોન આપી છે. આ કંપનીઓએ તેમના શેર SBICAP ટ્રસ્ટી કંપની પાસે ગીરવે મૂક્યા છે. તેમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ),અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિ.નો સમાવેશ થાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.