અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના 1 ટકા જેટલું: નિક્કી એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-02-09 20:30:53

જાપાનની જાણીતી નિક્કી એનાલિસીસે અદાણી ગ્રૂપના દેવાને લઈ મોટો ખુલાસો કર્યો છે. નિક્કી એનાલિસીસના રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના ઓછામાં ઓછા 1% જેટલું છે. આ રિપોર્ટ એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો વચ્ચે જૂથની નાણાકીય મુશ્કેલીઓના ધોરણને રેખાંકિત કરે છે.



10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા 


નિક્કીએ ક્વિક ફેક્ટસેટ (QUICK FactSet)ના ડેટાનો ઉપયોગ કરીને આ ગણતરી કરી હતી. નિક્કીની ગણતરી મુજબ, અદાણીની લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓમાંથી 10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા ($41.1 બિલિયન) સુધી છે. આ કંપનીઓમાં ગયા વર્ષે ખરીદેલી ત્રણ કંપનીઓ ACC,અંબુજા સિમેન્ટ્સ અને NDTVનો સમાવેશ થાય છે. જ્યારે અદાણી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અને ક્વિક ફેક્ટસેટ દ્વારા સંકલિત કરાયેલા આંકડાઓ વચ્ચે વિસંગતતાઓ હતી, જો  કે નિક્કીએ બીજા આંકડાનો ઉપયોગ કર્યો હતો.


10 કંપનીઓનો કુલ ઇક્વિટી રેશિયો 25%


ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ રિપોર્ટ આપ્યો છે કે ઓક્ટોબરના અંતે ભારતની GDPનો દર 273 ટ્રિલિયન રૂપિયા હતો. જ્યારે અદાણીનું દેવું અર્થતંત્રની ટકાવારીના લગભગ 1.2% જેટલું થાય છે. અદાણીની 10 ગ્રૂપ કંપનીઓ કુલ 4.8 ટ્રિલિયન રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવે છે, પરંતુ રોકાણકારોની મોટી ચિંતા અદાણી ગ્રુપના દેવાને લઈને લઈને છે.અદાણી ગ્રુપમાં ઘણી બધી ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે, એટલે કે તેના કુલ દેવાનું ભારણ વધારે હોઈ શકે છે. અદાણી જૂથની 10 કંપનીઓનો સામૂહિક ઇક્વિટી રેશિયો 25% હતો. તેમાંથી એક, અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ 2022 સુધીમાં માત્ર 2%નો ઇક્વિટી રેશિયો હતો.


અદાણી સામે MSCI એક્શન મોડમાં


ગ્લોબલ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ (MSCI)એ અદાણીને ઝટકો આપ્યો છે. MSCIએ તેના નિવેદનમાં કહ્યું કે તે MSCIના ફ્રી ફ્લોટની સમીક્ષા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના અદાણી ગ્રુપની કેટલીક સિક્યોરિટીઝને હવે ફ્રી ફ્લોટ તરીકે નિયુક્ત કરવામાં આવશે નહીં. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરની તેજી પર બ્રેક લાગી હતી. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ અદાણીના 10માંથી 9 શેર લાલ નિશાન સાથે ખુલ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.