અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના 1 ટકા જેટલું: નિક્કી એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-02-09 20:30:53

જાપાનની જાણીતી નિક્કી એનાલિસીસે અદાણી ગ્રૂપના દેવાને લઈ મોટો ખુલાસો કર્યો છે. નિક્કી એનાલિસીસના રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના ઓછામાં ઓછા 1% જેટલું છે. આ રિપોર્ટ એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો વચ્ચે જૂથની નાણાકીય મુશ્કેલીઓના ધોરણને રેખાંકિત કરે છે.



10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા 


નિક્કીએ ક્વિક ફેક્ટસેટ (QUICK FactSet)ના ડેટાનો ઉપયોગ કરીને આ ગણતરી કરી હતી. નિક્કીની ગણતરી મુજબ, અદાણીની લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓમાંથી 10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા ($41.1 બિલિયન) સુધી છે. આ કંપનીઓમાં ગયા વર્ષે ખરીદેલી ત્રણ કંપનીઓ ACC,અંબુજા સિમેન્ટ્સ અને NDTVનો સમાવેશ થાય છે. જ્યારે અદાણી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અને ક્વિક ફેક્ટસેટ દ્વારા સંકલિત કરાયેલા આંકડાઓ વચ્ચે વિસંગતતાઓ હતી, જો  કે નિક્કીએ બીજા આંકડાનો ઉપયોગ કર્યો હતો.


10 કંપનીઓનો કુલ ઇક્વિટી રેશિયો 25%


ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ રિપોર્ટ આપ્યો છે કે ઓક્ટોબરના અંતે ભારતની GDPનો દર 273 ટ્રિલિયન રૂપિયા હતો. જ્યારે અદાણીનું દેવું અર્થતંત્રની ટકાવારીના લગભગ 1.2% જેટલું થાય છે. અદાણીની 10 ગ્રૂપ કંપનીઓ કુલ 4.8 ટ્રિલિયન રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવે છે, પરંતુ રોકાણકારોની મોટી ચિંતા અદાણી ગ્રુપના દેવાને લઈને લઈને છે.અદાણી ગ્રુપમાં ઘણી બધી ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે, એટલે કે તેના કુલ દેવાનું ભારણ વધારે હોઈ શકે છે. અદાણી જૂથની 10 કંપનીઓનો સામૂહિક ઇક્વિટી રેશિયો 25% હતો. તેમાંથી એક, અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ 2022 સુધીમાં માત્ર 2%નો ઇક્વિટી રેશિયો હતો.


અદાણી સામે MSCI એક્શન મોડમાં


ગ્લોબલ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ (MSCI)એ અદાણીને ઝટકો આપ્યો છે. MSCIએ તેના નિવેદનમાં કહ્યું કે તે MSCIના ફ્રી ફ્લોટની સમીક્ષા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના અદાણી ગ્રુપની કેટલીક સિક્યોરિટીઝને હવે ફ્રી ફ્લોટ તરીકે નિયુક્ત કરવામાં આવશે નહીં. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરની તેજી પર બ્રેક લાગી હતી. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ અદાણીના 10માંથી 9 શેર લાલ નિશાન સાથે ખુલ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.