અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના 1 ટકા જેટલું: નિક્કી એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-02-09 20:30:53

જાપાનની જાણીતી નિક્કી એનાલિસીસે અદાણી ગ્રૂપના દેવાને લઈ મોટો ખુલાસો કર્યો છે. નિક્કી એનાલિસીસના રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના ઓછામાં ઓછા 1% જેટલું છે. આ રિપોર્ટ એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો વચ્ચે જૂથની નાણાકીય મુશ્કેલીઓના ધોરણને રેખાંકિત કરે છે.



10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા 


નિક્કીએ ક્વિક ફેક્ટસેટ (QUICK FactSet)ના ડેટાનો ઉપયોગ કરીને આ ગણતરી કરી હતી. નિક્કીની ગણતરી મુજબ, અદાણીની લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓમાંથી 10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા ($41.1 બિલિયન) સુધી છે. આ કંપનીઓમાં ગયા વર્ષે ખરીદેલી ત્રણ કંપનીઓ ACC,અંબુજા સિમેન્ટ્સ અને NDTVનો સમાવેશ થાય છે. જ્યારે અદાણી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અને ક્વિક ફેક્ટસેટ દ્વારા સંકલિત કરાયેલા આંકડાઓ વચ્ચે વિસંગતતાઓ હતી, જો  કે નિક્કીએ બીજા આંકડાનો ઉપયોગ કર્યો હતો.


10 કંપનીઓનો કુલ ઇક્વિટી રેશિયો 25%


ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ રિપોર્ટ આપ્યો છે કે ઓક્ટોબરના અંતે ભારતની GDPનો દર 273 ટ્રિલિયન રૂપિયા હતો. જ્યારે અદાણીનું દેવું અર્થતંત્રની ટકાવારીના લગભગ 1.2% જેટલું થાય છે. અદાણીની 10 ગ્રૂપ કંપનીઓ કુલ 4.8 ટ્રિલિયન રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવે છે, પરંતુ રોકાણકારોની મોટી ચિંતા અદાણી ગ્રુપના દેવાને લઈને લઈને છે.અદાણી ગ્રુપમાં ઘણી બધી ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે, એટલે કે તેના કુલ દેવાનું ભારણ વધારે હોઈ શકે છે. અદાણી જૂથની 10 કંપનીઓનો સામૂહિક ઇક્વિટી રેશિયો 25% હતો. તેમાંથી એક, અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ 2022 સુધીમાં માત્ર 2%નો ઇક્વિટી રેશિયો હતો.


અદાણી સામે MSCI એક્શન મોડમાં


ગ્લોબલ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ (MSCI)એ અદાણીને ઝટકો આપ્યો છે. MSCIએ તેના નિવેદનમાં કહ્યું કે તે MSCIના ફ્રી ફ્લોટની સમીક્ષા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના અદાણી ગ્રુપની કેટલીક સિક્યોરિટીઝને હવે ફ્રી ફ્લોટ તરીકે નિયુક્ત કરવામાં આવશે નહીં. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરની તેજી પર બ્રેક લાગી હતી. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ અદાણીના 10માંથી 9 શેર લાલ નિશાન સાથે ખુલ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.