હિંડનબર્ગના રિપોર્ટનો જવાબ આપ્યો અદાણી ગ્રુપે, અદાણીએ રિપોર્ટને ગણાવ્યો ખોટો


  • Published By :
  • Published Date : 2023-01-30 11:36:47

થોડા સમય પહેલા અમેરિકન ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રૃપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં હિંદનબર્ગે અદાણી ગ્રૃપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફોર્ડના આરોપ લગાવ્યા હતા. આ રિપોર્ટ પર ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપી છે. જવાબમાં અંદાણી ગ્રુપે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં હિંડનબર્ગના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અને તમામ આરોપોને ભારત પર હુમલા ગણાવ્યા છે. સાથે સાથે જે 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ પણ આપ્યો છે.

  

413 પાનાનો જવાબ કંપનીએ રજૂ કર્યો 

24 જાન્યુઆરીના રોજ અમેરિકાની ફર્મ હિંડનબર્ગનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. 106 પાનાનાએ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અનેક ગંભીર આરોપો લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન સહિતના અનેક આરોપોઓ લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટને અદાણી ગ્રુપે પાયાવીહોણા ગણાવ્યા છે. અને કંપનીએ 88 પ્રશ્નોના જવાબ આપતો 413 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે.   



રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને થયું અબજોનું નુકસાન 

અદાણી ગ્રૃપના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસલે એક ન્યુઝ એજન્સીમાં ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હિંડનબર્ગને પ્રશ્ન થવો જોઈએ કે તેણે અદાણી ગ્રુપને પૂછેલા પ્રશ્નનોને કેમ રિપોર્ટમાં ખોટી રીતે રજૂ કર્યા. જવાબમાં અદાણી ગ્રુપે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. 413 પાનાના જવાબમાં કંપનીએ હિંડનબર્ગના પ્રશ્નોના જવાબ આપ્યા છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે આ રિપોર્ટ ખોટી જાણકારી અને ખોટા આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને લઈ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.