હિંડનબર્ગના રિપોર્ટનો જવાબ આપ્યો અદાણી ગ્રુપે, અદાણીએ રિપોર્ટને ગણાવ્યો ખોટો


  • Published By :
  • Published Date : 2023-01-30 11:36:47

થોડા સમય પહેલા અમેરિકન ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રૃપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં હિંદનબર્ગે અદાણી ગ્રૃપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફોર્ડના આરોપ લગાવ્યા હતા. આ રિપોર્ટ પર ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપી છે. જવાબમાં અંદાણી ગ્રુપે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં હિંડનબર્ગના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અને તમામ આરોપોને ભારત પર હુમલા ગણાવ્યા છે. સાથે સાથે જે 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ પણ આપ્યો છે.

  

413 પાનાનો જવાબ કંપનીએ રજૂ કર્યો 

24 જાન્યુઆરીના રોજ અમેરિકાની ફર્મ હિંડનબર્ગનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. 106 પાનાનાએ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અનેક ગંભીર આરોપો લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન સહિતના અનેક આરોપોઓ લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટને અદાણી ગ્રુપે પાયાવીહોણા ગણાવ્યા છે. અને કંપનીએ 88 પ્રશ્નોના જવાબ આપતો 413 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે.   



રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને થયું અબજોનું નુકસાન 

અદાણી ગ્રૃપના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસલે એક ન્યુઝ એજન્સીમાં ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હિંડનબર્ગને પ્રશ્ન થવો જોઈએ કે તેણે અદાણી ગ્રુપને પૂછેલા પ્રશ્નનોને કેમ રિપોર્ટમાં ખોટી રીતે રજૂ કર્યા. જવાબમાં અદાણી ગ્રુપે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. 413 પાનાના જવાબમાં કંપનીએ હિંડનબર્ગના પ્રશ્નોના જવાબ આપ્યા છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે આ રિપોર્ટ ખોટી જાણકારી અને ખોટા આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને લઈ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.