અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ઘટીને 100 અબજ ડોલરથી નીચે આવ્યું, અમીરોની યાદીમાં હવે 26માં ક્રમે


  • Published By :
  • Published Date : 2023-02-21 17:34:52

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા હિંડનબર્ગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો થવાને કારણે અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ હવે 100 અબજ  ડોલરની નીચે આવી ગઈ છે. એટલું જ નહીં, ગૌતમ અદાણી પણ અબજોપતિઓની યાદીમાં સતત નીચે સરકી રહ્યા છે અને હવે 26માં નંબરે પહોંચી ગયા છે.


ક્યાંથી ક્યાં પહોંચ્યું કુલ MCap?


અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 8,20,915 કરોડ થઈ ગયું છે. ડોલરની તુલનામાં રૂપિયાનું તાજેતરનું મૂલ્ય જોઈએ તો 100 અબજ ડોલર (રૂ. 82,79,70 કરોડ)ની નીચે પહોંચી ગયું છે. 24 જાન્યુઆરીના રોજ અમેરિકા સ્થિત રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદથી, અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં 133 અબજ ડોલરનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપનીઓનું શેર માર્કેટમાં જબરદસ્ત ધોવાણ 


મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણ મોટી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ (રૂ. 2.08 લાખ કરોડ), અદાણી ટ્રાન્સમિશન (રૂ. 2.14 લાખ કરોડ) અને અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ મૂડી રૂ. 2.13 લાખ કરોડ નોંધાઈ હતી. હિંડનબર્ગના રિપોર્ટથી, આ ત્રણેય જૂથની દરેક કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. અન્ય કંપનીઓના મૂલ્ય પર નજર કરીએ તો, અદાણી પાવરના એમકેપમાં રૂ. 39,977 કરોડનો ઘટાડો થયો છે, અદાણી પોર્ટ્સ એન્ડ SEZનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 36,938 કરોડથી નીચે, આવી ગયું છે. તે જ પ્રકારે અંબુજા સિમેન્ટ્સનું માર્કેટ કેપ રૂ. 27,690 કરોડથી નીચે અને અદાણી વિલ્મર નું માર્કેટ કેપ રૂ. 17,942 કરોડથી નીચે પહોંચી ગયું છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .