અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ઘટીને 100 અબજ ડોલરથી નીચે આવ્યું, અમીરોની યાદીમાં હવે 26માં ક્રમે


  • Published By :
  • Published Date : 2023-02-21 17:34:52

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા હિંડનબર્ગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો થવાને કારણે અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ હવે 100 અબજ  ડોલરની નીચે આવી ગઈ છે. એટલું જ નહીં, ગૌતમ અદાણી પણ અબજોપતિઓની યાદીમાં સતત નીચે સરકી રહ્યા છે અને હવે 26માં નંબરે પહોંચી ગયા છે.


ક્યાંથી ક્યાં પહોંચ્યું કુલ MCap?


અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 8,20,915 કરોડ થઈ ગયું છે. ડોલરની તુલનામાં રૂપિયાનું તાજેતરનું મૂલ્ય જોઈએ તો 100 અબજ ડોલર (રૂ. 82,79,70 કરોડ)ની નીચે પહોંચી ગયું છે. 24 જાન્યુઆરીના રોજ અમેરિકા સ્થિત રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદથી, અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં 133 અબજ ડોલરનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપનીઓનું શેર માર્કેટમાં જબરદસ્ત ધોવાણ 


મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણ મોટી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ (રૂ. 2.08 લાખ કરોડ), અદાણી ટ્રાન્સમિશન (રૂ. 2.14 લાખ કરોડ) અને અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ મૂડી રૂ. 2.13 લાખ કરોડ નોંધાઈ હતી. હિંડનબર્ગના રિપોર્ટથી, આ ત્રણેય જૂથની દરેક કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. અન્ય કંપનીઓના મૂલ્ય પર નજર કરીએ તો, અદાણી પાવરના એમકેપમાં રૂ. 39,977 કરોડનો ઘટાડો થયો છે, અદાણી પોર્ટ્સ એન્ડ SEZનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 36,938 કરોડથી નીચે, આવી ગયું છે. તે જ પ્રકારે અંબુજા સિમેન્ટ્સનું માર્કેટ કેપ રૂ. 27,690 કરોડથી નીચે અને અદાણી વિલ્મર નું માર્કેટ કેપ રૂ. 17,942 કરોડથી નીચે પહોંચી ગયું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .