અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ઘટીને 100 અબજ ડોલરથી નીચે આવ્યું, અમીરોની યાદીમાં હવે 26માં ક્રમે


  • Published By :
  • Published Date : 2023-02-21 17:34:52

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા હિંડનબર્ગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો થવાને કારણે અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ હવે 100 અબજ  ડોલરની નીચે આવી ગઈ છે. એટલું જ નહીં, ગૌતમ અદાણી પણ અબજોપતિઓની યાદીમાં સતત નીચે સરકી રહ્યા છે અને હવે 26માં નંબરે પહોંચી ગયા છે.


ક્યાંથી ક્યાં પહોંચ્યું કુલ MCap?


અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 8,20,915 કરોડ થઈ ગયું છે. ડોલરની તુલનામાં રૂપિયાનું તાજેતરનું મૂલ્ય જોઈએ તો 100 અબજ ડોલર (રૂ. 82,79,70 કરોડ)ની નીચે પહોંચી ગયું છે. 24 જાન્યુઆરીના રોજ અમેરિકા સ્થિત રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદથી, અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં 133 અબજ ડોલરનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપનીઓનું શેર માર્કેટમાં જબરદસ્ત ધોવાણ 


મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણ મોટી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ (રૂ. 2.08 લાખ કરોડ), અદાણી ટ્રાન્સમિશન (રૂ. 2.14 લાખ કરોડ) અને અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ મૂડી રૂ. 2.13 લાખ કરોડ નોંધાઈ હતી. હિંડનબર્ગના રિપોર્ટથી, આ ત્રણેય જૂથની દરેક કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. અન્ય કંપનીઓના મૂલ્ય પર નજર કરીએ તો, અદાણી પાવરના એમકેપમાં રૂ. 39,977 કરોડનો ઘટાડો થયો છે, અદાણી પોર્ટ્સ એન્ડ SEZનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 36,938 કરોડથી નીચે, આવી ગયું છે. તે જ પ્રકારે અંબુજા સિમેન્ટ્સનું માર્કેટ કેપ રૂ. 27,690 કરોડથી નીચે અને અદાણી વિલ્મર નું માર્કેટ કેપ રૂ. 17,942 કરોડથી નીચે પહોંચી ગયું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.