અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તેજી, જાણો કયા શેરમાં કેટલા ટકાનો થયો વધારો


  • Published By :
  • Published Date : 2023-03-02 17:35:53

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કરોડોની સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું. પરંતુ આજે અદાણી ગ્રુપને ફાયદો થયો છે. અદાણી કંપનીના શેરોમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રુપની કંપનીના શેરમાં બ્લોકડીલ વિન્ડો સારી રહી હતી. એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌથી ધનવાનોની લિસ્ટમાં ટોપ થ્રીની શ્રેણીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા ક્રમે પહોંચી ગયા છે જ્યારે ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે... 


આ શેરોમાં જોવા મળી તેજી 

અદાણી શેરોની વાત કરીએ તો અદાણી એન્ટર પ્રાઈઝ આજે 4.36 ટકા મજબૂત જોવા મળ્યું હતું. જ્યારે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાંસમિશન,અદાણી વિલમાર, અને અદાણી પાવર શેરોમાં 5 ટકાની તેજીથી જોવા મળી હતી. આ શેરોમાં અપર સર્કિટ જોવા મળી હતી. તો બીજી તરફ અદાણી ટોટલ ગેસ 3.53 ટકા, અદાણી પોર્સ 1.48 ટકા, એનડીટીવી 3.23 ટકા, એસીસી 1.4 અને અંબુજા સિમેન્ટ 4.6 ટકા ચઢ્યા હતા.  


અદાણી-હિંડનબર્ગ કેસને લઈ સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરી  

અદાણીના શેરમાં ધીરે ધીરે તેજી જોવા મળી રહી છે. પરંતુ એ વાતને ન નકારી શકાય કે હિંડનબર્ગ રિપોર્ટને કારણે અદાણીને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાંત સમિતિની રચના કરી છે જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભય મનોહર સપ્રે કમિટીના અધ્યક્ષ હશે. તે સિવાય કમિટીમાં ઓપી ભટ, જસ્ટિસ જેપી દેવદત્ત, એમવી કામથ, નંદન નીલેકણી અને સોમશેખર સુંદરેશનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો સ્વીકાર ગૌતમ અદાણીએ કર્યો છે. ટ્વિટ કરી તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગતા કરે છે.સત્યની જીત થશે. મહત્વનું છે કે એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌતી ધનવાનોમાં ટોપ થ્રીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા અને ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે...




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.