અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તેજી, જાણો કયા શેરમાં કેટલા ટકાનો થયો વધારો


  • Published By :
  • Published Date : 2023-03-02 17:35:53

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કરોડોની સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું. પરંતુ આજે અદાણી ગ્રુપને ફાયદો થયો છે. અદાણી કંપનીના શેરોમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રુપની કંપનીના શેરમાં બ્લોકડીલ વિન્ડો સારી રહી હતી. એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌથી ધનવાનોની લિસ્ટમાં ટોપ થ્રીની શ્રેણીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા ક્રમે પહોંચી ગયા છે જ્યારે ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે... 


આ શેરોમાં જોવા મળી તેજી 

અદાણી શેરોની વાત કરીએ તો અદાણી એન્ટર પ્રાઈઝ આજે 4.36 ટકા મજબૂત જોવા મળ્યું હતું. જ્યારે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાંસમિશન,અદાણી વિલમાર, અને અદાણી પાવર શેરોમાં 5 ટકાની તેજીથી જોવા મળી હતી. આ શેરોમાં અપર સર્કિટ જોવા મળી હતી. તો બીજી તરફ અદાણી ટોટલ ગેસ 3.53 ટકા, અદાણી પોર્સ 1.48 ટકા, એનડીટીવી 3.23 ટકા, એસીસી 1.4 અને અંબુજા સિમેન્ટ 4.6 ટકા ચઢ્યા હતા.  


અદાણી-હિંડનબર્ગ કેસને લઈ સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરી  

અદાણીના શેરમાં ધીરે ધીરે તેજી જોવા મળી રહી છે. પરંતુ એ વાતને ન નકારી શકાય કે હિંડનબર્ગ રિપોર્ટને કારણે અદાણીને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાંત સમિતિની રચના કરી છે જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભય મનોહર સપ્રે કમિટીના અધ્યક્ષ હશે. તે સિવાય કમિટીમાં ઓપી ભટ, જસ્ટિસ જેપી દેવદત્ત, એમવી કામથ, નંદન નીલેકણી અને સોમશેખર સુંદરેશનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો સ્વીકાર ગૌતમ અદાણીએ કર્યો છે. ટ્વિટ કરી તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગતા કરે છે.સત્યની જીત થશે. મહત્વનું છે કે એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌતી ધનવાનોમાં ટોપ થ્રીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા અને ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે...




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.