અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તેજી, જાણો કયા શેરમાં કેટલા ટકાનો થયો વધારો


  • Published By :
  • Published Date : 2023-03-02 17:35:53

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કરોડોની સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું. પરંતુ આજે અદાણી ગ્રુપને ફાયદો થયો છે. અદાણી કંપનીના શેરોમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રુપની કંપનીના શેરમાં બ્લોકડીલ વિન્ડો સારી રહી હતી. એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌથી ધનવાનોની લિસ્ટમાં ટોપ થ્રીની શ્રેણીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા ક્રમે પહોંચી ગયા છે જ્યારે ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે... 


આ શેરોમાં જોવા મળી તેજી 

અદાણી શેરોની વાત કરીએ તો અદાણી એન્ટર પ્રાઈઝ આજે 4.36 ટકા મજબૂત જોવા મળ્યું હતું. જ્યારે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાંસમિશન,અદાણી વિલમાર, અને અદાણી પાવર શેરોમાં 5 ટકાની તેજીથી જોવા મળી હતી. આ શેરોમાં અપર સર્કિટ જોવા મળી હતી. તો બીજી તરફ અદાણી ટોટલ ગેસ 3.53 ટકા, અદાણી પોર્સ 1.48 ટકા, એનડીટીવી 3.23 ટકા, એસીસી 1.4 અને અંબુજા સિમેન્ટ 4.6 ટકા ચઢ્યા હતા.  


અદાણી-હિંડનબર્ગ કેસને લઈ સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરી  

અદાણીના શેરમાં ધીરે ધીરે તેજી જોવા મળી રહી છે. પરંતુ એ વાતને ન નકારી શકાય કે હિંડનબર્ગ રિપોર્ટને કારણે અદાણીને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાંત સમિતિની રચના કરી છે જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભય મનોહર સપ્રે કમિટીના અધ્યક્ષ હશે. તે સિવાય કમિટીમાં ઓપી ભટ, જસ્ટિસ જેપી દેવદત્ત, એમવી કામથ, નંદન નીલેકણી અને સોમશેખર સુંદરેશનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો સ્વીકાર ગૌતમ અદાણીએ કર્યો છે. ટ્વિટ કરી તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગતા કરે છે.સત્યની જીત થશે. મહત્વનું છે કે એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌતી ધનવાનોમાં ટોપ થ્રીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા અને ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે...




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.