અદાણી ગ્રુપને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની પેનલે આપી ક્લીન ચીટ, શેરોમાં આવી તેજી


  • Published By :
  • Published Date : 2023-05-19 17:03:50

અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થઈ ગયો છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. હજુ સુધી આ રિપોર્ટ સાર્વજનિક થવા અંગે નિષ્ણાત સમિતિ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ એક ખુલાસાને ગૌતમ અદાણી માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની પેનલે અદાણી ગ્રુપને આપેલી ક્લીન ચીટ બાદ ગ્રુપની કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે.


હિંડનબર્ગ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જારી કર્યો હતો. રિપોર્ટના નિષ્કર્ષમાં 88 પ્રશ્નોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. આ એક રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીના શેરમાં મોટો ઘટાડો નોંઘાયો અને થોડા દિવસોમાં જ ગૌતમ અદાણીને કરોડોનું નુકસાન થયું હતું. મોટી વાત એ છે કે આ મુદ્દાએ વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન આકર્ષિત કર્યું અને તેને લઈને બહુ જલ્દી રાજનીતિ શરૂ થઈ હતી.


આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?


અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. PILમાં હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તે પછી જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ હવે જણાવે છે કે પ્રથમ દૃષ્ટિએ કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.