અદાણી ગ્રુપને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની પેનલે આપી ક્લીન ચીટ, શેરોમાં આવી તેજી


  • Published By :
  • Published Date : 2023-05-19 17:03:50

અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થઈ ગયો છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. હજુ સુધી આ રિપોર્ટ સાર્વજનિક થવા અંગે નિષ્ણાત સમિતિ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ એક ખુલાસાને ગૌતમ અદાણી માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની પેનલે અદાણી ગ્રુપને આપેલી ક્લીન ચીટ બાદ ગ્રુપની કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે.


હિંડનબર્ગ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જારી કર્યો હતો. રિપોર્ટના નિષ્કર્ષમાં 88 પ્રશ્નોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. આ એક રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીના શેરમાં મોટો ઘટાડો નોંઘાયો અને થોડા દિવસોમાં જ ગૌતમ અદાણીને કરોડોનું નુકસાન થયું હતું. મોટી વાત એ છે કે આ મુદ્દાએ વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન આકર્ષિત કર્યું અને તેને લઈને બહુ જલ્દી રાજનીતિ શરૂ થઈ હતી.


આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?


અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. PILમાં હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તે પછી જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ હવે જણાવે છે કે પ્રથમ દૃષ્ટિએ કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.