સીલબંધ કવરમાં સુચનો સ્વિકારવાનો સુપ્રીમનો ઈન્કાર, "પક્ષપાતનો આરોપ નથી ઈચ્છતા"


  • Published By :
  • Published Date : 2023-02-17 19:42:06

અમેરિકાના જાણીતા શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગની એક રિપોર્ટથી અદાણી ગ્રુપના શેર ધરાશાઈ થતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરાવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસ કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામના સૂચન અંગે ન્યાયાધીશોને સીલબંધ કવરસોંપ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચનને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે તમારી તરફથી સીલબંધ કવર સ્વીકારીશું નહીં. કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતે જ સમિતિનું નામ સૂચવીશું. 


રોકાણકારોનું હિત સર્વોપરી


આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે તે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનને સ્વીકારશે નહીં. આ કેસમાં, SCએ 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને અદાણી જૂથના સ્ટોક રૂટ અંગે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે. 


સમિતિમાં સુપ્રીમના સિટિંગ જજ નહીં


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેચે તેમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને સમિતિનો ભાગ બનાવવામાં આવશે નહીં. SCએ કહ્યું કે અમે સમિતિની નિમણૂકમાં સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. એ પણ કહ્યું કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. 


સુપ્રીમ કોર્ટમાં ચાર PIL દાખલ


વકીલ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમારે અદાણી-હિંડનબર્ગ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ચારPIL દાખલ કરી છે. સુનાવણી દરમિયાન એમએલ શર્માએ કહ્યું કે હું કોઈ કંપની સાથે જોડાયેલો નથી, પણ હું શોર્ટ સેલિંગથી રોકાણકારોને થતાં આર્થિક નુકસાનથી ચિંતિત છું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.