સીલબંધ કવરમાં સુચનો સ્વિકારવાનો સુપ્રીમનો ઈન્કાર, "પક્ષપાતનો આરોપ નથી ઈચ્છતા"


  • Published By :
  • Published Date : 2023-02-17 19:42:06

અમેરિકાના જાણીતા શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગની એક રિપોર્ટથી અદાણી ગ્રુપના શેર ધરાશાઈ થતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરાવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસ કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામના સૂચન અંગે ન્યાયાધીશોને સીલબંધ કવરસોંપ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચનને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે તમારી તરફથી સીલબંધ કવર સ્વીકારીશું નહીં. કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતે જ સમિતિનું નામ સૂચવીશું. 


રોકાણકારોનું હિત સર્વોપરી


આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે તે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનને સ્વીકારશે નહીં. આ કેસમાં, SCએ 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને અદાણી જૂથના સ્ટોક રૂટ અંગે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે. 


સમિતિમાં સુપ્રીમના સિટિંગ જજ નહીં


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેચે તેમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને સમિતિનો ભાગ બનાવવામાં આવશે નહીં. SCએ કહ્યું કે અમે સમિતિની નિમણૂકમાં સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. એ પણ કહ્યું કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. 


સુપ્રીમ કોર્ટમાં ચાર PIL દાખલ


વકીલ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમારે અદાણી-હિંડનબર્ગ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ચારPIL દાખલ કરી છે. સુનાવણી દરમિયાન એમએલ શર્માએ કહ્યું કે હું કોઈ કંપની સાથે જોડાયેલો નથી, પણ હું શોર્ટ સેલિંગથી રોકાણકારોને થતાં આર્થિક નુકસાનથી ચિંતિત છું.



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.