સીલબંધ કવરમાં સુચનો સ્વિકારવાનો સુપ્રીમનો ઈન્કાર, "પક્ષપાતનો આરોપ નથી ઈચ્છતા"


  • Published By :
  • Published Date : 2023-02-17 19:42:06

અમેરિકાના જાણીતા શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગની એક રિપોર્ટથી અદાણી ગ્રુપના શેર ધરાશાઈ થતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરાવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસ કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામના સૂચન અંગે ન્યાયાધીશોને સીલબંધ કવરસોંપ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચનને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે તમારી તરફથી સીલબંધ કવર સ્વીકારીશું નહીં. કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતે જ સમિતિનું નામ સૂચવીશું. 


રોકાણકારોનું હિત સર્વોપરી


આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે તે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનને સ્વીકારશે નહીં. આ કેસમાં, SCએ 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને અદાણી જૂથના સ્ટોક રૂટ અંગે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે. 


સમિતિમાં સુપ્રીમના સિટિંગ જજ નહીં


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેચે તેમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને સમિતિનો ભાગ બનાવવામાં આવશે નહીં. SCએ કહ્યું કે અમે સમિતિની નિમણૂકમાં સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. એ પણ કહ્યું કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. 


સુપ્રીમ કોર્ટમાં ચાર PIL દાખલ


વકીલ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમારે અદાણી-હિંડનબર્ગ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ચારPIL દાખલ કરી છે. સુનાવણી દરમિયાન એમએલ શર્માએ કહ્યું કે હું કોઈ કંપની સાથે જોડાયેલો નથી, પણ હું શોર્ટ સેલિંગથી રોકાણકારોને થતાં આર્થિક નુકસાનથી ચિંતિત છું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.