અદાણી-હિંડનબર્ગ મામલે સેબીએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-14 16:35:31

શેર બજાર નિયામક સંસ્થા સેબીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલે જણાવ્યું કે તે આ મામલે નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થયું છે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. સેબીએ વધુમાં કહ્યું કે અદાણી ગ્રુપ સામે અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયો તે બાદ તરત જ તેણે શેર માર્કેટની ગતિવિધીઓની તપાસ શરૂ કરી હતી.


સેબીએ શું કહ્યું?


સેબીએ સર્વોચ્ચ અદાલતને તે પણ કહ્યું કે તેની પાસે બિઝનેશના સતત વિકાસ માટે અને શેર બજારમાં અસ્થિરતાનો સામનો કરવા માટે મજબુત માળખું છે. સેબીએ દાવો કર્યો કે વિકસીત સિક્યોરિટીઝ માર્કેટ દુનિયાભરમાં શોર્ટ સેલિંગને કાનુની મૂડીરોકાણ પ્રવૃતિ માને છે.  


સુપ્રીમ કોર્ટે માગ્યો હતો જવાબ


સેબીએ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડા બાદ દાખલ થયેલી અરજીઓ અંગે સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે સેબી નિયમો, શોર્ટ સેલિંગના નિયમોના ઉલ્લંઘનની તપાસ માટે હિંડનબર્ગના આરોપો અને રિપોર્ટ જાહેર થયા પહેલા અને ત્યાર બાદથી બજારની પ્રવૃતિ એમ બંનેની તપાસ કરી રહી છે. 


અદાણી ગ્રૂપના શેરથી માર્કેટ પર અસર નહીં


સેબીએ જણાવ્યું કે અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના તીવ્ર ઘટાડાથી શેરબજાર પર બહુ અસર થઈ નથી. સેબીએ જણાવ્યું હતું કે, “ભારતીય બજારમાં અગાઉ પણ ખરાબ વોલેટિલિટી જોવા મળી છે, ખાસ કરીને કોરોના રોગચાળાના સમયમાં, જ્યારે નિફ્ટી 2 માર્ચ, 2020 અને માર્ચ 19, 2020 (13 ટ્રેડિંગ દિવસો) વચ્ચે લગભગ 26 ટકા ઘટ્યો હતો. બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, SEBIએ 20 માર્ચ, 2020 ના રોજ તેની વર્તમાન બજાર પદ્ધતિની સમીક્ષા કરી હતી અને કેટલાક ફેરફારો કર્યા હતા.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.