અદાણી-હિંડનબર્ગ મામલે સેબીએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-14 16:35:31

શેર બજાર નિયામક સંસ્થા સેબીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલે જણાવ્યું કે તે આ મામલે નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થયું છે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. સેબીએ વધુમાં કહ્યું કે અદાણી ગ્રુપ સામે અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયો તે બાદ તરત જ તેણે શેર માર્કેટની ગતિવિધીઓની તપાસ શરૂ કરી હતી.


સેબીએ શું કહ્યું?


સેબીએ સર્વોચ્ચ અદાલતને તે પણ કહ્યું કે તેની પાસે બિઝનેશના સતત વિકાસ માટે અને શેર બજારમાં અસ્થિરતાનો સામનો કરવા માટે મજબુત માળખું છે. સેબીએ દાવો કર્યો કે વિકસીત સિક્યોરિટીઝ માર્કેટ દુનિયાભરમાં શોર્ટ સેલિંગને કાનુની મૂડીરોકાણ પ્રવૃતિ માને છે.  


સુપ્રીમ કોર્ટે માગ્યો હતો જવાબ


સેબીએ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડા બાદ દાખલ થયેલી અરજીઓ અંગે સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે સેબી નિયમો, શોર્ટ સેલિંગના નિયમોના ઉલ્લંઘનની તપાસ માટે હિંડનબર્ગના આરોપો અને રિપોર્ટ જાહેર થયા પહેલા અને ત્યાર બાદથી બજારની પ્રવૃતિ એમ બંનેની તપાસ કરી રહી છે. 


અદાણી ગ્રૂપના શેરથી માર્કેટ પર અસર નહીં


સેબીએ જણાવ્યું કે અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના તીવ્ર ઘટાડાથી શેરબજાર પર બહુ અસર થઈ નથી. સેબીએ જણાવ્યું હતું કે, “ભારતીય બજારમાં અગાઉ પણ ખરાબ વોલેટિલિટી જોવા મળી છે, ખાસ કરીને કોરોના રોગચાળાના સમયમાં, જ્યારે નિફ્ટી 2 માર્ચ, 2020 અને માર્ચ 19, 2020 (13 ટ્રેડિંગ દિવસો) વચ્ચે લગભગ 26 ટકા ઘટ્યો હતો. બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, SEBIએ 20 માર્ચ, 2020 ના રોજ તેની વર્તમાન બજાર પદ્ધતિની સમીક્ષા કરી હતી અને કેટલાક ફેરફારો કર્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.