અદાણી-હિંડનબર્ગ મામલે સેબીએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-14 16:35:31

શેર બજાર નિયામક સંસ્થા સેબીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલે જણાવ્યું કે તે આ મામલે નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થયું છે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. સેબીએ વધુમાં કહ્યું કે અદાણી ગ્રુપ સામે અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયો તે બાદ તરત જ તેણે શેર માર્કેટની ગતિવિધીઓની તપાસ શરૂ કરી હતી.


સેબીએ શું કહ્યું?


સેબીએ સર્વોચ્ચ અદાલતને તે પણ કહ્યું કે તેની પાસે બિઝનેશના સતત વિકાસ માટે અને શેર બજારમાં અસ્થિરતાનો સામનો કરવા માટે મજબુત માળખું છે. સેબીએ દાવો કર્યો કે વિકસીત સિક્યોરિટીઝ માર્કેટ દુનિયાભરમાં શોર્ટ સેલિંગને કાનુની મૂડીરોકાણ પ્રવૃતિ માને છે.  


સુપ્રીમ કોર્ટે માગ્યો હતો જવાબ


સેબીએ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડા બાદ દાખલ થયેલી અરજીઓ અંગે સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે સેબી નિયમો, શોર્ટ સેલિંગના નિયમોના ઉલ્લંઘનની તપાસ માટે હિંડનબર્ગના આરોપો અને રિપોર્ટ જાહેર થયા પહેલા અને ત્યાર બાદથી બજારની પ્રવૃતિ એમ બંનેની તપાસ કરી રહી છે. 


અદાણી ગ્રૂપના શેરથી માર્કેટ પર અસર નહીં


સેબીએ જણાવ્યું કે અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના તીવ્ર ઘટાડાથી શેરબજાર પર બહુ અસર થઈ નથી. સેબીએ જણાવ્યું હતું કે, “ભારતીય બજારમાં અગાઉ પણ ખરાબ વોલેટિલિટી જોવા મળી છે, ખાસ કરીને કોરોના રોગચાળાના સમયમાં, જ્યારે નિફ્ટી 2 માર્ચ, 2020 અને માર્ચ 19, 2020 (13 ટ્રેડિંગ દિવસો) વચ્ચે લગભગ 26 ટકા ઘટ્યો હતો. બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, SEBIએ 20 માર્ચ, 2020 ના રોજ તેની વર્તમાન બજાર પદ્ધતિની સમીક્ષા કરી હતી અને કેટલાક ફેરફારો કર્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.