અદાણી ગ્રુપના શેરોમાં આજે મોટો કડાકો, કેટલાકમાં લોઅર સર્કિટ લાગી, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:02:42

શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ ચાલુ જ છે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનના અંતે અદાણી ગ્રુપના તમામ શેરો ધરાશાઈ થયા હતા. અદાણી ગ્રુપે રેવન્યુ ટારગેટ ઘટાડવા અને નવા કેપેક્સ પર બ્રેક લગાવવાની યોજના બનાવ્યા બાદ આજે અદાણીના તમામ શેરોમાં સતત વેચલાલી જોવા મળી હતી. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ આ ચોથું સપ્તાહ છે જ્યારે અદાણીના શેરોમાં ભારે વેચાણ નોંધાયું છે. 


આજે અદાણી ગ્રુપના શેર કેટલા તુટ્યા?


અદાણી એન્ટરપ્રાઈઝ 


અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સોમવારે 7.60 ટકા તુટી ગયો, એટલે કે 140.35 રૂપિયા ઘટીને 1707 રૂપિયા પર બંધ થયો હતો.    


અદાણી પોર્ટમાં 5.25 ટકાનો ઘટાડો


અદાણી પોર્ટનો શેર સોમવારે 5.25 ટકા એટલે કે 30.65 રૂપિયા ઘટીને 553.20 રૂપિયા પર બંધ રહ્યો હતો. 


અદાણી પાવરમાં ફરી લોઅર સર્કિટ


અદાણી પાવરના શેરનામાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે. અદાણી પાવરના શેર 5 ટકા એટલે કે 8.20 રૂપિયા ઘટીને 156.10 બંધ રહ્યો હતો.  


અદાણી ટ્રાન્સમિશનમાં પણ લોઅર સર્કિટ


અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 59.30 રૂપિયા ઘટીને 1126.85 રૂપિયા પર બંધ થયો છે.


અદાણી ગ્રીનમાં લોઅર સર્કિટ


અદાણી ગ્રીનના શેરમાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 36.15 રૂપિયા તુટીને  687.75 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી ટોટલ


અદાણી ટોટલના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 62.90  રૂપિયા તુટીને 1195.35 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી વિલ્મર


અદાણી વિલ્મરના શેરમાં પણ સતત લોઅર સર્કિટ સાથે બંધ રહ્યો છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 21.80 રૂપિયા ઘટીને  414.30 રૂપિયા પર બંધ થયો છે.


NDTVમાં પણ લોઅર સર્કિટ


NDTVનો શેર સોમવારે 4.92 ટકા એટલે કે 10.40 રૂપિયા ઘટીને 198.25 રૂપિયા પર બંધ રહ્યો હતો. NDTVના શેરમાં પણ આજે સર્કિટ લાગી છે


ACC અને અંબુજા


અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની એસીસીનો શેર 3.06 ટકા ઘટીને એટલે કે 57.60 રૂપિયા ઘટીને 1823.40 પર બંધ રહ્યો છે, તે જ પ્રકારે અંબુજા સિમેન્ટનો શેર  5.17 ટકા એટલે કે 18.65 રૂપિયા ઘટીને 342.40 રૂપિયા પર બંધ રહ્યો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.