અદાણી ગ્રુપના શેરોમાં આજે મોટો કડાકો, કેટલાકમાં લોઅર સર્કિટ લાગી, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:02:42

શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ ચાલુ જ છે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનના અંતે અદાણી ગ્રુપના તમામ શેરો ધરાશાઈ થયા હતા. અદાણી ગ્રુપે રેવન્યુ ટારગેટ ઘટાડવા અને નવા કેપેક્સ પર બ્રેક લગાવવાની યોજના બનાવ્યા બાદ આજે અદાણીના તમામ શેરોમાં સતત વેચલાલી જોવા મળી હતી. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ આ ચોથું સપ્તાહ છે જ્યારે અદાણીના શેરોમાં ભારે વેચાણ નોંધાયું છે. 


આજે અદાણી ગ્રુપના શેર કેટલા તુટ્યા?


અદાણી એન્ટરપ્રાઈઝ 


અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સોમવારે 7.60 ટકા તુટી ગયો, એટલે કે 140.35 રૂપિયા ઘટીને 1707 રૂપિયા પર બંધ થયો હતો.    


અદાણી પોર્ટમાં 5.25 ટકાનો ઘટાડો


અદાણી પોર્ટનો શેર સોમવારે 5.25 ટકા એટલે કે 30.65 રૂપિયા ઘટીને 553.20 રૂપિયા પર બંધ રહ્યો હતો. 


અદાણી પાવરમાં ફરી લોઅર સર્કિટ


અદાણી પાવરના શેરનામાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે. અદાણી પાવરના શેર 5 ટકા એટલે કે 8.20 રૂપિયા ઘટીને 156.10 બંધ રહ્યો હતો.  


અદાણી ટ્રાન્સમિશનમાં પણ લોઅર સર્કિટ


અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 59.30 રૂપિયા ઘટીને 1126.85 રૂપિયા પર બંધ થયો છે.


અદાણી ગ્રીનમાં લોઅર સર્કિટ


અદાણી ગ્રીનના શેરમાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 36.15 રૂપિયા તુટીને  687.75 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી ટોટલ


અદાણી ટોટલના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 62.90  રૂપિયા તુટીને 1195.35 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી વિલ્મર


અદાણી વિલ્મરના શેરમાં પણ સતત લોઅર સર્કિટ સાથે બંધ રહ્યો છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 21.80 રૂપિયા ઘટીને  414.30 રૂપિયા પર બંધ થયો છે.


NDTVમાં પણ લોઅર સર્કિટ


NDTVનો શેર સોમવારે 4.92 ટકા એટલે કે 10.40 રૂપિયા ઘટીને 198.25 રૂપિયા પર બંધ રહ્યો હતો. NDTVના શેરમાં પણ આજે સર્કિટ લાગી છે


ACC અને અંબુજા


અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની એસીસીનો શેર 3.06 ટકા ઘટીને એટલે કે 57.60 રૂપિયા ઘટીને 1823.40 પર બંધ રહ્યો છે, તે જ પ્રકારે અંબુજા સિમેન્ટનો શેર  5.17 ટકા એટલે કે 18.65 રૂપિયા ઘટીને 342.40 રૂપિયા પર બંધ રહ્યો છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.