અદાણી ગ્રુપના શેરોમાં આજે મોટો કડાકો, કેટલાકમાં લોઅર સર્કિટ લાગી, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:02:42

શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ ચાલુ જ છે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનના અંતે અદાણી ગ્રુપના તમામ શેરો ધરાશાઈ થયા હતા. અદાણી ગ્રુપે રેવન્યુ ટારગેટ ઘટાડવા અને નવા કેપેક્સ પર બ્રેક લગાવવાની યોજના બનાવ્યા બાદ આજે અદાણીના તમામ શેરોમાં સતત વેચલાલી જોવા મળી હતી. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ આ ચોથું સપ્તાહ છે જ્યારે અદાણીના શેરોમાં ભારે વેચાણ નોંધાયું છે. 


આજે અદાણી ગ્રુપના શેર કેટલા તુટ્યા?


અદાણી એન્ટરપ્રાઈઝ 


અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સોમવારે 7.60 ટકા તુટી ગયો, એટલે કે 140.35 રૂપિયા ઘટીને 1707 રૂપિયા પર બંધ થયો હતો.    


અદાણી પોર્ટમાં 5.25 ટકાનો ઘટાડો


અદાણી પોર્ટનો શેર સોમવારે 5.25 ટકા એટલે કે 30.65 રૂપિયા ઘટીને 553.20 રૂપિયા પર બંધ રહ્યો હતો. 


અદાણી પાવરમાં ફરી લોઅર સર્કિટ


અદાણી પાવરના શેરનામાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે. અદાણી પાવરના શેર 5 ટકા એટલે કે 8.20 રૂપિયા ઘટીને 156.10 બંધ રહ્યો હતો.  


અદાણી ટ્રાન્સમિશનમાં પણ લોઅર સર્કિટ


અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 59.30 રૂપિયા ઘટીને 1126.85 રૂપિયા પર બંધ થયો છે.


અદાણી ગ્રીનમાં લોઅર સર્કિટ


અદાણી ગ્રીનના શેરમાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 36.15 રૂપિયા તુટીને  687.75 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી ટોટલ


અદાણી ટોટલના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 62.90  રૂપિયા તુટીને 1195.35 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી વિલ્મર


અદાણી વિલ્મરના શેરમાં પણ સતત લોઅર સર્કિટ સાથે બંધ રહ્યો છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 21.80 રૂપિયા ઘટીને  414.30 રૂપિયા પર બંધ થયો છે.


NDTVમાં પણ લોઅર સર્કિટ


NDTVનો શેર સોમવારે 4.92 ટકા એટલે કે 10.40 રૂપિયા ઘટીને 198.25 રૂપિયા પર બંધ રહ્યો હતો. NDTVના શેરમાં પણ આજે સર્કિટ લાગી છે


ACC અને અંબુજા


અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની એસીસીનો શેર 3.06 ટકા ઘટીને એટલે કે 57.60 રૂપિયા ઘટીને 1823.40 પર બંધ રહ્યો છે, તે જ પ્રકારે અંબુજા સિમેન્ટનો શેર  5.17 ટકા એટલે કે 18.65 રૂપિયા ઘટીને 342.40 રૂપિયા પર બંધ રહ્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.