અદાણી ગ્રુપના શેરોમાં આજે મોટો કડાકો, કેટલાકમાં લોઅર સર્કિટ લાગી, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:02:42

શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ ચાલુ જ છે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનના અંતે અદાણી ગ્રુપના તમામ શેરો ધરાશાઈ થયા હતા. અદાણી ગ્રુપે રેવન્યુ ટારગેટ ઘટાડવા અને નવા કેપેક્સ પર બ્રેક લગાવવાની યોજના બનાવ્યા બાદ આજે અદાણીના તમામ શેરોમાં સતત વેચલાલી જોવા મળી હતી. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ આ ચોથું સપ્તાહ છે જ્યારે અદાણીના શેરોમાં ભારે વેચાણ નોંધાયું છે. 


આજે અદાણી ગ્રુપના શેર કેટલા તુટ્યા?


અદાણી એન્ટરપ્રાઈઝ 


અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સોમવારે 7.60 ટકા તુટી ગયો, એટલે કે 140.35 રૂપિયા ઘટીને 1707 રૂપિયા પર બંધ થયો હતો.    


અદાણી પોર્ટમાં 5.25 ટકાનો ઘટાડો


અદાણી પોર્ટનો શેર સોમવારે 5.25 ટકા એટલે કે 30.65 રૂપિયા ઘટીને 553.20 રૂપિયા પર બંધ રહ્યો હતો. 


અદાણી પાવરમાં ફરી લોઅર સર્કિટ


અદાણી પાવરના શેરનામાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે. અદાણી પાવરના શેર 5 ટકા એટલે કે 8.20 રૂપિયા ઘટીને 156.10 બંધ રહ્યો હતો.  


અદાણી ટ્રાન્સમિશનમાં પણ લોઅર સર્કિટ


અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 59.30 રૂપિયા ઘટીને 1126.85 રૂપિયા પર બંધ થયો છે.


અદાણી ગ્રીનમાં લોઅર સર્કિટ


અદાણી ગ્રીનના શેરમાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 36.15 રૂપિયા તુટીને  687.75 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી ટોટલ


અદાણી ટોટલના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 62.90  રૂપિયા તુટીને 1195.35 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી વિલ્મર


અદાણી વિલ્મરના શેરમાં પણ સતત લોઅર સર્કિટ સાથે બંધ રહ્યો છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 21.80 રૂપિયા ઘટીને  414.30 રૂપિયા પર બંધ થયો છે.


NDTVમાં પણ લોઅર સર્કિટ


NDTVનો શેર સોમવારે 4.92 ટકા એટલે કે 10.40 રૂપિયા ઘટીને 198.25 રૂપિયા પર બંધ રહ્યો હતો. NDTVના શેરમાં પણ આજે સર્કિટ લાગી છે


ACC અને અંબુજા


અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની એસીસીનો શેર 3.06 ટકા ઘટીને એટલે કે 57.60 રૂપિયા ઘટીને 1823.40 પર બંધ રહ્યો છે, તે જ પ્રકારે અંબુજા સિમેન્ટનો શેર  5.17 ટકા એટલે કે 18.65 રૂપિયા ઘટીને 342.40 રૂપિયા પર બંધ રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.