મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં થયો વધારો, , ફીડબેક યુનિટ દ્વારા નેતાઓ અને અધિકારીઓની જાસૂસી કરવાના લાગ્યા હતા આરોપ


  • Published By :
  • Published Date : 2023-02-22 11:20:30

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે મનીષ સિસોદીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈને ગૃહમંત્રાલયે ડે. સીએમ પર કેસ ચલાવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફીડબેક યુનિટ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મનીષ સિસોદીયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને કારણે ડે. સીએમની મુશ્કેલીમાં વધારો થયો છે. તપાસ દરમિયાન સીબીઆઈને લાગેલા આરોપો સાચા જણાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયની પરવાનગી મળતા મનીષ સિસોદીયા વિરુદ્ધ કેસ દાખલ કરશે.  


કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી 

મનીષ સિસોદીયા તેમજ અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સીબીઆઈએ  લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પરમિશન માગી હતી. કથિત જાસૂસી કેસમાં વધુ તપાસ કરવા માટે આ મંજૂરી માગવામાં આવી હતી.  જે બાદ એલજીએ ફાઈલને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિને મોકવામાં આવી હતી. જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંજૂરી આપી છે.  


ફીડબેક યુનિટની કરાઈ હતી રચના 

સમગ્ર મામલાની વાત કરીએ તો સત્તામાં આવ્યા બાદ 2015માં આમ આદમી પાર્ટીએ એટલે કે દિલ્હી સરકારે ફીડબેક યુનિટની રચના કરી. જેનું કામ ભ્રષ્ટાચાર તેમજ દરેક વિભાગની કામગીરી પર નજર રાખવાની હતી. પરંતુ સરકાર પર આરોપ લગાવામાં આવ્યો હતો કે આ યુનિટ દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી નેતાઓ પર નજર રાખી રહી છે. 


યુનિટે કરી નેતાઓની જાસૂસી!!

દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  2016માં એજન્સી તરફથી કહેવામાં આવ્યું કે યુનિટને સોંપવામાં આવેલા કાર્ય સિવાય તે રાજનેતાઓની જાસૂસી પણ કરી હતી. આઠ મહિના દરમિયાન એટલે કે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન એફબીયૂએ 700થી વધારે મામલામાં કાર્યવાહી કરી છે. જેમાંથી 60 ટકા કેસોમાંથી રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી છે. આરોપ છે કે આ યુનિટે ન માત્ર ભાજપના નેતાઓની ગુપ્ત માહિતી ભેગી કરી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે એફબીયુ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ  મનીષ સિસોદીયા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પરમિશન આપી દીધી છે. 


મામલો કેવી રીતે પહોંચ્યો સીબીઆઈ પાસે 

રિપોર્ટ મુજબ એફબીયુની સ્થાપના માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હત, પરંતુ 2016માં વિજિલેન્સ વિભાગે મંજૂરી માટે ફાઈલને એલજી પાસે મોકલી હતી જે બે વખત રિઝેક્ટ કરવામાં આવી હતી. એલજીને એફબીયુમાં પ્રાથમિક દ્રષ્ટિએ અનિયમિતતા મળી આવી હતી અને આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં સીબીઆઈએ ઉલ્લેખ કર્યો જેમાં સરકારી તિજોરી પર થયેલા નુકસાનની વિગતો આપવામાં આવી હતી. ઉપરાંત ફીડબેક યુનિટની રચના ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી જેને કારણે સરકારી તિજોરીને 36 લાખ રુપિયાનું નુકસાન થયું છે.   



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.