મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં થયો વધારો, , ફીડબેક યુનિટ દ્વારા નેતાઓ અને અધિકારીઓની જાસૂસી કરવાના લાગ્યા હતા આરોપ


  • Published By :
  • Published Date : 2023-02-22 11:20:30

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે મનીષ સિસોદીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈને ગૃહમંત્રાલયે ડે. સીએમ પર કેસ ચલાવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફીડબેક યુનિટ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મનીષ સિસોદીયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને કારણે ડે. સીએમની મુશ્કેલીમાં વધારો થયો છે. તપાસ દરમિયાન સીબીઆઈને લાગેલા આરોપો સાચા જણાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયની પરવાનગી મળતા મનીષ સિસોદીયા વિરુદ્ધ કેસ દાખલ કરશે.  


કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી 

મનીષ સિસોદીયા તેમજ અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સીબીઆઈએ  લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પરમિશન માગી હતી. કથિત જાસૂસી કેસમાં વધુ તપાસ કરવા માટે આ મંજૂરી માગવામાં આવી હતી.  જે બાદ એલજીએ ફાઈલને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિને મોકવામાં આવી હતી. જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંજૂરી આપી છે.  


ફીડબેક યુનિટની કરાઈ હતી રચના 

સમગ્ર મામલાની વાત કરીએ તો સત્તામાં આવ્યા બાદ 2015માં આમ આદમી પાર્ટીએ એટલે કે દિલ્હી સરકારે ફીડબેક યુનિટની રચના કરી. જેનું કામ ભ્રષ્ટાચાર તેમજ દરેક વિભાગની કામગીરી પર નજર રાખવાની હતી. પરંતુ સરકાર પર આરોપ લગાવામાં આવ્યો હતો કે આ યુનિટ દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી નેતાઓ પર નજર રાખી રહી છે. 


યુનિટે કરી નેતાઓની જાસૂસી!!

દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  2016માં એજન્સી તરફથી કહેવામાં આવ્યું કે યુનિટને સોંપવામાં આવેલા કાર્ય સિવાય તે રાજનેતાઓની જાસૂસી પણ કરી હતી. આઠ મહિના દરમિયાન એટલે કે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન એફબીયૂએ 700થી વધારે મામલામાં કાર્યવાહી કરી છે. જેમાંથી 60 ટકા કેસોમાંથી રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી છે. આરોપ છે કે આ યુનિટે ન માત્ર ભાજપના નેતાઓની ગુપ્ત માહિતી ભેગી કરી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે એફબીયુ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ  મનીષ સિસોદીયા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પરમિશન આપી દીધી છે. 


મામલો કેવી રીતે પહોંચ્યો સીબીઆઈ પાસે 

રિપોર્ટ મુજબ એફબીયુની સ્થાપના માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હત, પરંતુ 2016માં વિજિલેન્સ વિભાગે મંજૂરી માટે ફાઈલને એલજી પાસે મોકલી હતી જે બે વખત રિઝેક્ટ કરવામાં આવી હતી. એલજીને એફબીયુમાં પ્રાથમિક દ્રષ્ટિએ અનિયમિતતા મળી આવી હતી અને આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં સીબીઆઈએ ઉલ્લેખ કર્યો જેમાં સરકારી તિજોરી પર થયેલા નુકસાનની વિગતો આપવામાં આવી હતી. ઉપરાંત ફીડબેક યુનિટની રચના ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી જેને કારણે સરકારી તિજોરીને 36 લાખ રુપિયાનું નુકસાન થયું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.