મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં થયો વધારો, , ફીડબેક યુનિટ દ્વારા નેતાઓ અને અધિકારીઓની જાસૂસી કરવાના લાગ્યા હતા આરોપ


  • Published By :
  • Published Date : 2023-02-22 11:20:30

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે મનીષ સિસોદીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈને ગૃહમંત્રાલયે ડે. સીએમ પર કેસ ચલાવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફીડબેક યુનિટ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મનીષ સિસોદીયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને કારણે ડે. સીએમની મુશ્કેલીમાં વધારો થયો છે. તપાસ દરમિયાન સીબીઆઈને લાગેલા આરોપો સાચા જણાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયની પરવાનગી મળતા મનીષ સિસોદીયા વિરુદ્ધ કેસ દાખલ કરશે.  


કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી 

મનીષ સિસોદીયા તેમજ અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સીબીઆઈએ  લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પરમિશન માગી હતી. કથિત જાસૂસી કેસમાં વધુ તપાસ કરવા માટે આ મંજૂરી માગવામાં આવી હતી.  જે બાદ એલજીએ ફાઈલને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિને મોકવામાં આવી હતી. જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંજૂરી આપી છે.  


ફીડબેક યુનિટની કરાઈ હતી રચના 

સમગ્ર મામલાની વાત કરીએ તો સત્તામાં આવ્યા બાદ 2015માં આમ આદમી પાર્ટીએ એટલે કે દિલ્હી સરકારે ફીડબેક યુનિટની રચના કરી. જેનું કામ ભ્રષ્ટાચાર તેમજ દરેક વિભાગની કામગીરી પર નજર રાખવાની હતી. પરંતુ સરકાર પર આરોપ લગાવામાં આવ્યો હતો કે આ યુનિટ દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી નેતાઓ પર નજર રાખી રહી છે. 


યુનિટે કરી નેતાઓની જાસૂસી!!

દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  2016માં એજન્સી તરફથી કહેવામાં આવ્યું કે યુનિટને સોંપવામાં આવેલા કાર્ય સિવાય તે રાજનેતાઓની જાસૂસી પણ કરી હતી. આઠ મહિના દરમિયાન એટલે કે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન એફબીયૂએ 700થી વધારે મામલામાં કાર્યવાહી કરી છે. જેમાંથી 60 ટકા કેસોમાંથી રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી છે. આરોપ છે કે આ યુનિટે ન માત્ર ભાજપના નેતાઓની ગુપ્ત માહિતી ભેગી કરી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે એફબીયુ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ  મનીષ સિસોદીયા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પરમિશન આપી દીધી છે. 


મામલો કેવી રીતે પહોંચ્યો સીબીઆઈ પાસે 

રિપોર્ટ મુજબ એફબીયુની સ્થાપના માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હત, પરંતુ 2016માં વિજિલેન્સ વિભાગે મંજૂરી માટે ફાઈલને એલજી પાસે મોકલી હતી જે બે વખત રિઝેક્ટ કરવામાં આવી હતી. એલજીને એફબીયુમાં પ્રાથમિક દ્રષ્ટિએ અનિયમિતતા મળી આવી હતી અને આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં સીબીઆઈએ ઉલ્લેખ કર્યો જેમાં સરકારી તિજોરી પર થયેલા નુકસાનની વિગતો આપવામાં આવી હતી. ઉપરાંત ફીડબેક યુનિટની રચના ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી જેને કારણે સરકારી તિજોરીને 36 લાખ રુપિયાનું નુકસાન થયું છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.