પશ્ચિમ બંગાળમાં વધ્યો એડેનોવાયરસનો કહેર, 9 દિવસની અંદર થયા આટલા બાળકોના મોત! જાણો શું છે વાયરસના લક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-06 10:28:53

થોડા વર્ષે આવેલા કોરોના વાયરસે  હાહાકાર મચાવ્યો હતો. અનેક પરિવારે પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે એડેનોવાયરસનો ખતરો વધી રહ્યો છે. આ વાયરસને કારણે નવ દિવસમાં 40 બાળકોના મોત થઈ ગયા છે. વધી રહેલા વાયરસના સંકટને જોતા મમતાબેનર્જી સરકારે એડેનોવાયરસથી કેવી રીતે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારની તૈયારીઓને લઈને જાણકારી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રવિવારે પણ 6 જેટલા બાળકોના મોત થયા છે. 


શ્વાસ લેવામાં બાળકોને પડતી હતી મુશ્કેલી  

આ વાયરસને કારણે બાળકોના જીવને જોખમ વધારે રહેલું છે. આ વાયરસની ઝપેટમાં બાળકો જલ્દી આવી રહ્યા છે. મૃત્યુ પામેલા બાળકોની વાત કરીએ તો બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ઉપરાંત તાવ, ઉધરસ જેવા સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. સારવાર પણ બાળકોને આપવામાં આવી હતી પરંતુ બાળકો પર સારવારની અસર ન થઈ હતી. આ વાયરસ આંતરડાના ચેપનું કારણ બને છે. વાયરસ ત્વચાના સંપર્ક દ્વારા, ઉધરસ અને છીંક દ્વારા ફેલાઈ રહ્યો છે. 


નાના બાળકો વાયરસથી થઈ રહ્યા છે સંક્રમિત

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે બાળકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે જેમની ઉંમર બે વર્ષ કરતા નાની છે. તે ઉપરાંત દસ વર્ષના બાળકો પર આ ચેપી રોગનો શિકાર બની રહ્યા છે. વધતા સંક્રમણને જોતા રાજ્યના આરોગ્ય વિભાગે પહેલેથી જ ડોક્ટરો માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ વાયરસને કારણે અનેક બાળકોના મોત થયા છે. માત્ર નવ દિવસમાં 40 બાળકોના મોત આ વાયરસને કારણે થતાં ચિંતા વ્યાપી ઉઠી છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.