પશ્ચિમ બંગાળમાં વધ્યો એડેનોવાયરસનો કહેર, 9 દિવસની અંદર થયા આટલા બાળકોના મોત! જાણો શું છે વાયરસના લક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-06 10:28:53

થોડા વર્ષે આવેલા કોરોના વાયરસે  હાહાકાર મચાવ્યો હતો. અનેક પરિવારે પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે એડેનોવાયરસનો ખતરો વધી રહ્યો છે. આ વાયરસને કારણે નવ દિવસમાં 40 બાળકોના મોત થઈ ગયા છે. વધી રહેલા વાયરસના સંકટને જોતા મમતાબેનર્જી સરકારે એડેનોવાયરસથી કેવી રીતે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારની તૈયારીઓને લઈને જાણકારી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રવિવારે પણ 6 જેટલા બાળકોના મોત થયા છે. 


શ્વાસ લેવામાં બાળકોને પડતી હતી મુશ્કેલી  

આ વાયરસને કારણે બાળકોના જીવને જોખમ વધારે રહેલું છે. આ વાયરસની ઝપેટમાં બાળકો જલ્દી આવી રહ્યા છે. મૃત્યુ પામેલા બાળકોની વાત કરીએ તો બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ઉપરાંત તાવ, ઉધરસ જેવા સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. સારવાર પણ બાળકોને આપવામાં આવી હતી પરંતુ બાળકો પર સારવારની અસર ન થઈ હતી. આ વાયરસ આંતરડાના ચેપનું કારણ બને છે. વાયરસ ત્વચાના સંપર્ક દ્વારા, ઉધરસ અને છીંક દ્વારા ફેલાઈ રહ્યો છે. 


નાના બાળકો વાયરસથી થઈ રહ્યા છે સંક્રમિત

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે બાળકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે જેમની ઉંમર બે વર્ષ કરતા નાની છે. તે ઉપરાંત દસ વર્ષના બાળકો પર આ ચેપી રોગનો શિકાર બની રહ્યા છે. વધતા સંક્રમણને જોતા રાજ્યના આરોગ્ય વિભાગે પહેલેથી જ ડોક્ટરો માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ વાયરસને કારણે અનેક બાળકોના મોત થયા છે. માત્ર નવ દિવસમાં 40 બાળકોના મોત આ વાયરસને કારણે થતાં ચિંતા વ્યાપી ઉઠી છે.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.