પશ્ચિમ બંગાળમાં વધ્યો એડેનોવાયરસનો કહેર, 9 દિવસની અંદર થયા આટલા બાળકોના મોત! જાણો શું છે વાયરસના લક્ષણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-06 10:28:53

થોડા વર્ષે આવેલા કોરોના વાયરસે  હાહાકાર મચાવ્યો હતો. અનેક પરિવારે પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે એડેનોવાયરસનો ખતરો વધી રહ્યો છે. આ વાયરસને કારણે નવ દિવસમાં 40 બાળકોના મોત થઈ ગયા છે. વધી રહેલા વાયરસના સંકટને જોતા મમતાબેનર્જી સરકારે એડેનોવાયરસથી કેવી રીતે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારની તૈયારીઓને લઈને જાણકારી આપી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રવિવારે પણ 6 જેટલા બાળકોના મોત થયા છે. 


શ્વાસ લેવામાં બાળકોને પડતી હતી મુશ્કેલી  

આ વાયરસને કારણે બાળકોના જીવને જોખમ વધારે રહેલું છે. આ વાયરસની ઝપેટમાં બાળકો જલ્દી આવી રહ્યા છે. મૃત્યુ પામેલા બાળકોની વાત કરીએ તો બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ઉપરાંત તાવ, ઉધરસ જેવા સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. સારવાર પણ બાળકોને આપવામાં આવી હતી પરંતુ બાળકો પર સારવારની અસર ન થઈ હતી. આ વાયરસ આંતરડાના ચેપનું કારણ બને છે. વાયરસ ત્વચાના સંપર્ક દ્વારા, ઉધરસ અને છીંક દ્વારા ફેલાઈ રહ્યો છે. 


નાના બાળકો વાયરસથી થઈ રહ્યા છે સંક્રમિત

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે બાળકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે જેમની ઉંમર બે વર્ષ કરતા નાની છે. તે ઉપરાંત દસ વર્ષના બાળકો પર આ ચેપી રોગનો શિકાર બની રહ્યા છે. વધતા સંક્રમણને જોતા રાજ્યના આરોગ્ય વિભાગે પહેલેથી જ ડોક્ટરો માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ વાયરસને કારણે અનેક બાળકોના મોત થયા છે. માત્ર નવ દિવસમાં 40 બાળકોના મોત આ વાયરસને કારણે થતાં ચિંતા વ્યાપી ઉઠી છે.     




પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમ ભાવનગરના એવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વધારે રહેતા હતા.

થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..

જમાવટની ઈલેક્શન યાત્રા નવસારી પહોંચી હતી. ભાજપે સી.આર.પાટીલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. નવસારીના યુવાનો ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પીએમ મોદીએ ગુજરાતમાં અનેક જનસભાઓ કરી. જનસભા દરમિયાન ઉમેદવારો હાજર હતા પરંતુ પરષોત્તમ રૂપાલા હાજર ના હતા. સભામાંથી તે ગાયબ હતા. પીએમ મોદીએ રાજકોટનો ઉલ્લેખ કર્યો પરંતુ તેમણે પરષોત્તમ રૂપાલાને યાદ ના કર્યા.. !