આદિપુરૂષ ફિલ્મ આવી ચર્ચામાં! હનુમાનજી માટે રાખવામાં આવેલી સીટ ખાલી નહીં રખાય! જાણો સીટ પણ કોને અપાશે સ્થાન?


  • Published By :
  • Published Date : 2023-06-15 15:25:44

મહાગ્રંથ રામાયણ પર આધારિત આદિપૂરૂષ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભગવાન રામનો રોલ પ્રભાસ નિભાવી રહ્યા છે જ્યારે જાનકી એટલે કે માતા સીતાનો રોલ ક્રિતી સેનન અદા કરી રહ્યા છે. રાવણનું પાત્ર સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઈ થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે એક સીટ હનુમાનજી માટે રાખવામાં આવશે. ત્યારે આમાં અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોટા મોટા સિનેમાઘરોમાં હનુમાનજી માટે સીટ પર મૂર્તિ અથવા તો આસન રાખવામાં આવશે અને તેની પર પુષ્પ અર્પણ કરવામાં આવશે. 



હનુમાનજીની સીટ ખાલી નહીં રખાય!   

પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપુરૂષને કોઈને કોઈ વાતને લઈ હેડલાઈન્સમાં રહેતી હોય છે. વચ્ચે એવી જાહેરાત કરવામાં આવી હતી કે સિનેમાઘરોમાં એક સીટ હનુમાનજી માટે રિઝવ રાખવામાં આવશે. ફિલ્મ મેકર્સના કહેવા અનુસાર જ્યાં જ્યાં પણ ભગવાન રામની વાતો તેમના ગુણગાન ગવાય છે ત્યાં હનુમાનજીની હાજરી ચોક્કસ જોવા મળતી હોય છે. ત્યારે હવે આ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. પહેલા માત્ર સીટ ખાલી રાખવામાં આવી હતી પરંતુ હવે મળતી માહિતી અનુસાર સીટ પર હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવશે અને આસન પણ ભગવાન માટે રાખવામાં આવશે. તે ઉપરાંત ફૂલ પણ ભગવાનને અર્પણ કરવામાં આવશે. મૂર્તિ રાખવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે સીટ પર મૂર્તિ રાખવાથી કોઈ સીટ પર બેસી ન જાય અને કોઈ પાછળથી સીટને પગ પણ ન લગાવે.   


અનેક લોકોએ કરાવી લીધું છે એડવાન્સ બુકિંગ!

આદિપુરૂષ ફિલ્મના રિલીઝ થાય તે પહેલા જ અનેક વખત વિવાદોમાં આવી ગઈ છે. 100 કરોડથી વધુના ખર્ચે આ ફિલ્મ તૈયાર થઈ છે. ભવ્ય આયોજન કરી ફિલ્મના ટીઝરને રિલીઝ કરવામાં આવ્યું હતું. તે બાદ ફિલ્મમાં સીતાજીનો રોલ પ્લે કરનાર ક્રિતી સેનન હાલમાં જ ચર્ચામાં આવ્યા હતા એ મુદ્દો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તે પહેલા પણ વીએફએસને લઈ ફિલ્મ ચર્ચામાં આવી હતી. તે સિવાય ભગવાન રામને મૂછો વાળા દર્શાવવામાં આવ્યા હતા અને તે પહેલા એક સિનમાં ચપ્પલ પહેરેલા દેખાયા હતા. આ બધા સિનને લઈ વિવાદ છેડાયો હતો. વિવાદ વધતા સીનમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યું કે બોક્સઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન કેવું હશે?   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી