પાકિસ્તાનના સિંધમાં પ્રશાસને હિંગળાજ માતાનું મંદિર તોડ્યું, ક્રિકેટર દાનિશ કનેરિયાએ વીડિયો કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-11-24 21:50:45

પાકિસ્તાનમાં હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા કોઈ નવી વાત નથી. જ્યારથી પાકિસ્તાન બન્યું છે ત્યારથી બિન-મુસ્લિમો વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ફરી એકવાર માનવ અધિકારોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. પાકિસ્તાનમાં સત્તાવાળાઓએ કથિત રીતે એક હિંદુ મંદિરને નિશાન બનાવ્યું છે. સિંધના હિંગળાજ માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આમાં પાકિસ્તાનનું સમગ્ર વહીવટીતંત્ર સામેલ છે. થરપારકર જિલ્લાના અધિકારીઓએ મીઠી શહેરમાં મંદિર તોડી પાડવાના કોર્ટના આદેશને ટાંક્યો હતો.


સુપ્રીમ કોર્ટના પ્રોટેક્શન ઓર્ડર છતાં આ મંદિર તોડી પડાયું


મિડીયા રિપોર્ટ મુજબ, મીરપુરખાસની અતિક્રમણ વિરોધી અદાલતના આદેશ બાદ પાકિસ્તાનના થરપારકરના મીઠીમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે.”હિંદુઓના ધાર્મિક સ્થળ, શારદા પીઠ મંદિરને LOC નજીક તોડી પાડવામાં આવ્યું હતું. મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે કરવામાં આવશે. પાકિસ્તાનમાં હિંદુઓ પર આ અત્યાચાર કોઈ નવી ઘટના નથી. અહીં રહેતા હિંદુઓએ સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ટાર્ગેટ કિલિંગ, હત્યાઓ અને  જમીનો પર કબજો જમાવી લેવા સહિતનો સમાવેશ થાય છે.


અગાઉ પણ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા


શારદા પીઠ યુનેસ્કોની સંરક્ષિત સાઇટ હોવા છતાં, શારદા પીઠને તોડી પાડવાથી બચાવી શકાઈ નથી. આ વિનાશ પાકિસ્તાનમાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના સંરક્ષણ પર સવાલો ઉભા કરે છે. અગાઉ જુલાઈમાં પણ એક મંદિર તોડવામાં આવ્યું હતું. કરાચીમાં મરીમાતાનું મંદિર જમીનદોસ્ત થઈ ગયું. સમગ્ર વિસ્તારમાં લાઈટ ન હોવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. બાહ્ય દિવાલ અને દરવાજા સિવાય સમગ્ર આંતરિક માળખું તોડી પાડવામાં આવ્યું હતું.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?