પાકિસ્તાનના સિંધમાં પ્રશાસને હિંગળાજ માતાનું મંદિર તોડ્યું, ક્રિકેટર દાનિશ કનેરિયાએ વીડિયો કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-11-24 21:50:45

પાકિસ્તાનમાં હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા કોઈ નવી વાત નથી. જ્યારથી પાકિસ્તાન બન્યું છે ત્યારથી બિન-મુસ્લિમો વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ફરી એકવાર માનવ અધિકારોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. પાકિસ્તાનમાં સત્તાવાળાઓએ કથિત રીતે એક હિંદુ મંદિરને નિશાન બનાવ્યું છે. સિંધના હિંગળાજ માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આમાં પાકિસ્તાનનું સમગ્ર વહીવટીતંત્ર સામેલ છે. થરપારકર જિલ્લાના અધિકારીઓએ મીઠી શહેરમાં મંદિર તોડી પાડવાના કોર્ટના આદેશને ટાંક્યો હતો.


સુપ્રીમ કોર્ટના પ્રોટેક્શન ઓર્ડર છતાં આ મંદિર તોડી પડાયું


મિડીયા રિપોર્ટ મુજબ, મીરપુરખાસની અતિક્રમણ વિરોધી અદાલતના આદેશ બાદ પાકિસ્તાનના થરપારકરના મીઠીમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે.”હિંદુઓના ધાર્મિક સ્થળ, શારદા પીઠ મંદિરને LOC નજીક તોડી પાડવામાં આવ્યું હતું. મંદિરની નજીક એક કોફી હાઉસ બનાવવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે કરવામાં આવશે. પાકિસ્તાનમાં હિંદુઓ પર આ અત્યાચાર કોઈ નવી ઘટના નથી. અહીં રહેતા હિંદુઓએ સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ટાર્ગેટ કિલિંગ, હત્યાઓ અને  જમીનો પર કબજો જમાવી લેવા સહિતનો સમાવેશ થાય છે.


અગાઉ પણ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા


શારદા પીઠ યુનેસ્કોની સંરક્ષિત સાઇટ હોવા છતાં, શારદા પીઠને તોડી પાડવાથી બચાવી શકાઈ નથી. આ વિનાશ પાકિસ્તાનમાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના સંરક્ષણ પર સવાલો ઉભા કરે છે. અગાઉ જુલાઈમાં પણ એક મંદિર તોડવામાં આવ્યું હતું. કરાચીમાં મરીમાતાનું મંદિર જમીનદોસ્ત થઈ ગયું. સમગ્ર વિસ્તારમાં લાઈટ ન હોવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. બાહ્ય દિવાલ અને દરવાજા સિવાય સમગ્ર આંતરિક માળખું તોડી પાડવામાં આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે