ગ્લોબલ પીસ ઇન્ડેક્સની યાદીમાં અફઘાનિસ્તાનનું રેન્કિંગ ગબડ્યું, સતત 5મા વર્ષે સૌથી અશાંત દેશ બન્યો


  • Published By :
  • Published Date : 2023-07-03 20:21:56

1. આ ગામમાં મહિનાઓ સુધી ઉંઘતા રહે છે લોકો

કઝાખસ્તાન ના કલાચી ગામના રહીશોમાં એક અનોખો રોગ જોવા મળે છે.. આ ગામના લોકોને ઉંઘની બિમારી છે.. જેને કારણે તેઓ મહિનાઓ સુધી ઉંઘતા રહે છે.. અત્યાર સુધી અનેક વૈજ્ઞાનિકો આ બિમારી અંગે સંશોધન કર્યું છે પરંતુ તેઓ પણ આ બીમારીનું કારણ જાણી શક્યા નથી.. આ ગામ સ્લીપી હોલો ના નામથી દુનિયામાં મશહૂર છે. આ ગામમાં આશરે 600 લોકોની વસ્તી છે જેમાં 14 ટકા લોકો આ બીમારીથી પીડાય છે.. આ સમસ્યા પહેલા વર્ષ 2010માં સામે આવી હતી.. ઉંઘ આવવા ઉપરાંત આ બિમારીમાં યાદશક્તિ પર પણ ગંભીર અસર પડે છે. મેમરી લોસ પણ થઇ શકે છે.. વર્ષ 2015માં આ બિમારીથી લોકોને બચાવવા તેમને અન્ય જગ્યાઓએ ખસેડવામાં પણ આવ્યા હતા અને સ્થાનિક તંત્રએ આ બિમારી ખતમ થઇ ગઇ હોવાનો દાવો પણ કર્યો હતો.. 


2. 73 વર્ષના રક્ષામંત્રી નહેરમાં કૂદ્યા

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેઓ શોર્ટ્સ પહેરેલા છે અને તેઓ પુલ પરથી નહેરમાં કૂદી સ્વિમીંગ કરી રહ્યા છે.. ખ્વાજા આસિફ 73 વર્ષના છે અને પાકિસ્તાનની સ્થિતિ પરના તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.. તેમણે થોડા મહિનાઓ પહેલા નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન પહેલેથી જ નાદાર છે.. આપણે બધા ડિફોલ્ટ દેશમાં રહીએ છીએ. હવે IMF પણ અમને મદદ કરી શકે તેમ નથી. પાકિસ્તાની સેનાના એક કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ તેમને શહબાઝ શરીફનો ઠપકો પણ સાંભળવો પડ્યો હતો.. 


3.પાકિસ્તાન પહોંચ્યા 'અલીબાબા'

અલીબાબા ડોટ કોમના કો ફાઉન્ડર જેક મા અચાનક પાકિસ્તાન પહોંચ્યા હતા.. જેક મા ની સાથે 7 બિઝનેસમેનનું એક જૂથ પણ પાકિસ્તાન ગયું હતું.. જેક મા ની આ યાત્રાનો હેતુ એ પાકિસ્તાનમાં બિઝનેસની તક શોધવા માટેનો હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા છે.. અલીબાબાના કો ફાઉન્ડર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તકરારને કારણે ચર્ચામાં આવ્યા હતા..  જેક માએ સરકારની કેટલીક નીતિઓની જાહેરમાં ટીકા કરી હતી.. જેને કારણે તેઓ શી જિનપિંગના નિશાના પર આવ્યા હતા.. તેમની એક કંપની એન્ટ ગૃપનો આઇપીઓ રોકી દેવામાં આવ્યો અને અબજો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.. તે પછી તેમણે ચીન છોડી દીધું હતું અને અને એવી અટકળો લગાવાઇ હતી કે શી જિનપિંગના કારણે તેમણે ચીન છોડ્યું


4. રમવાનું મેદાન મળે એ માટે સીએમને લખ્યો પત્ર

મલેશિયાના પેનાંગમાં રહેતી 10 વર્ષની બાળકી હાલ ચર્ચામાં છે.. આ બાળકીએ સીએમને પત્ર લખીને પોતાને રમવા માટે સારું મેદાન ન હોવાની ફરિયાદ કરી હતી અને સીએમ ને આ પત્ર મળ્યા બાદ તેમણે તરત પ્લેગ્રાઉન્ડની સુવિધા પૂરી પાડવા માટે તાત્કાલિક આદેશ આપ્યો હતો


5. બાલ્ટીમોરમાં ફાયરિંગ, 2 ના મોત

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે..રવિવારે બાલ્ટીમોર શહેરના બ્રુકલિન હોમ્સમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 30 લોકો પર ફાયરિંગ થયું. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો..ફાયરિંગની ઘટના બાદ શહેરના મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.. 


6. અફઘાનિસ્તાન સૌથી અશાંત દેશ

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે વિશ્વના સૌથી શાંત દેશોની એક યાદી બહાર પડી છે જેમાં અફઘાનિસ્તાન સતત પાંચમાં વર્ષે નીચે ધકેલાયું છે એટલે કે સૌથી અશાંત દેશ બન્યો છે.. યાદીમાં અફઘાનિસ્તાનનું નામ જોઇને તાલિબાને નારાજગી વ્યક્ત કરી છે અફઘાનિસ્તાન સિવાય યમન, સીરિયા, સુદાન અને રશિયા પણ આ યાદીમાં છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડ બીજા નંબરે છે જ્યારે આયર્લેન્ડ ત્રીજા નંબરે અને ડેનમાર્ક ચોથા નંબરે છે.


7. પાકિસ્તાનમાં શીખો પર અત્યાચાર

પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. તાજેતરમાં પેશાવરમાં 2 સિખોની હત્યા કરવામાં આવી હતી અને હવે પાકિસ્તાનના ગુરુદ્વારામાં કટ્ટરવાદીઓએ ઘુસી જઇને ગુરબાનીનો પાઠ રોકાવી દીધો અને શીખ લોકો સાથે અપમાનજનક વર્તન કરી ગુરુદ્વારામાં રખાયેલા ગુરુ ગ્રંથ સાહેબનુ પણ અપમાન કર્યુ હતું.  સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આરોપીઓે પકડીને પોલીસના હવાલે પણ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નહોતી અને તેમને છોડી મુકયા હતા. 


8. બ્રિટિશ પીએમ ઋષિ સુનકની મોટી જાહેરાત

બ્રિટનની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સોની ભરતી માટે પીએમ ઋષિ સુનક એક મોટી જાહેરાત કરી છે. બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ ટ્રેનિંગનો પ્રોગ્રામ લોન્ચ કરવા જઇ રહી છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય ડોક્ટરો અને નર્સોની ભરતી થશે.. દુનિયાના બીજા દેશોમાંથી પણ ભરતી કરવામાં આવશે


9. પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત લેશે

પીએમ મોદી 2 દિવસીય ફ્રાન્સની મુલાકાતે જશે.. ફ્રાન્સે ભારતને તેના ફાઈટર જેટ્સના એન્જિનની ડિઝાઇન, ડેવલપમેન્ટ, પરીક્ષણ માટે પ્રસ્તાવ મુક્યો છે.. આ ઓફર ભારતને અમેરિકા તરફથી પણ મળેલી છે પરંતુ ભારતને ફ્રાંસ સાથેની ડીલમાં વધુ ફાયદો મળશે તેવા અહેવાલો છે ફ્રાંસ જે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માંગે છે તેને ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન આર્મ્સ રેગ્યુલેશન (ITAR)માંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ફ્રાંસ 110  કિલોનું ફાઈટર જેટ્સ માટેનુ ન્યૂટન એન્જિનનુ ઉત્પાદન સંપૂર્ણપણે ભારતમાં કરવા તૈયાર છે. સરકાર ફ્રાન્સના આ પ્રસ્તાવ પર વિચાર કરી રહે છે


10. મેં ઇમરાનને પ્રધાનમંત્રી બનાવ્યો હતો: મિયાંદાદ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાદાદે એક મોટું નિવેદન આપ્યું છે.. તેમણે ઇમરાન ખાન પર આક્ષેપ કર્યો છે કે ઇમરાન ખાન પ્રધાનમંત્રી તેમના કારણે બન્યા પરંતુ ઇમરાન ખાને ક્યારેય તેમનો આભાર માન્યો નથી, ઇમરાન ખાન સત્તા મેળવ્યા બાદ ઉપકાર ભૂલી જાય છે.. તેવો જાવેદ મિયાદાદ આક્ષેપ કરી રહ્યા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.