અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં શિયા મુસ્લિમ સમુદાયની મસ્જિદમાં વિસ્ફોટ, 15થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-13 22:25:11

અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 15થી વધુ લોકોના મોત થયા છે. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલ-એ-ખોમરીની મસ્જિદ તકિયાખાના ઈમામ ઝમાનમાં બોમ્બ વિસ્ફોટને કારણે 15થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક અન્ય લોકો ઘાયલ થયા છે. આ મસ્જિદ શિયા મુસ્લિમ સમુદાયની હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.


મૃત્યુઆંક વધુ હોઈ શકે છે


શુક્રવારની નમાજને કારણે મસ્જિદમાં ખૂબ જ ભીડ હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. બગલાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના નિર્દેશક મુસ્તફા હાશ્મીએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે હાલ 15 લોકોના મૃત્યુની સંભાવના છે, કારણ કે મૃતદેહોની સંપૂર્ણ ગણતરી કરવામાં આવી નથી. જોકે, હાશમી એ કહી શક્યો ન હતો કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને કેટલા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ સંખ્યા મૃતદેહો અને ઘાયલોની નક્કર ગણતરી પછી જ કહી શકાશે.


અફઘાનિસ્તાનમાં વિસ્ફોટો વધી રહ્યા છે


અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠ અને તાલિબાન સત્તામાં પાછા ફર્યા તેમ છતાં બોમ્બ વિસ્ફોટો બંધ થયા નથી. વર્ષ 2021માં તાલિબાન ફરી સત્તા પર આવ્યા બાદ પણ સતત બોમ્બ વિસ્ફોટો જોવા મળી રહ્યા છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે. આ વર્ષે જૂનમાં થયેલા વિસ્ફોટમાં પણ ડઝનેક લોકો માર્યા ગયા હતા, જ્યારે માર્ચમાં તાલિબાન અધિકારીઓને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટમાં પણ ડઝનથી વધુ લોકો માર્યા ગયા હતા. તાલિબાને આ વિસ્ફોટો માટે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ને જવાબદાર ઠેરવ્યું છે.



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.