અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં શિયા મુસ્લિમ સમુદાયની મસ્જિદમાં વિસ્ફોટ, 15થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-13 22:25:11

અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 15થી વધુ લોકોના મોત થયા છે. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલ-એ-ખોમરીની મસ્જિદ તકિયાખાના ઈમામ ઝમાનમાં બોમ્બ વિસ્ફોટને કારણે 15થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક અન્ય લોકો ઘાયલ થયા છે. આ મસ્જિદ શિયા મુસ્લિમ સમુદાયની હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.


મૃત્યુઆંક વધુ હોઈ શકે છે


શુક્રવારની નમાજને કારણે મસ્જિદમાં ખૂબ જ ભીડ હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. બગલાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના નિર્દેશક મુસ્તફા હાશ્મીએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે હાલ 15 લોકોના મૃત્યુની સંભાવના છે, કારણ કે મૃતદેહોની સંપૂર્ણ ગણતરી કરવામાં આવી નથી. જોકે, હાશમી એ કહી શક્યો ન હતો કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને કેટલા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ સંખ્યા મૃતદેહો અને ઘાયલોની નક્કર ગણતરી પછી જ કહી શકાશે.


અફઘાનિસ્તાનમાં વિસ્ફોટો વધી રહ્યા છે


અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠ અને તાલિબાન સત્તામાં પાછા ફર્યા તેમ છતાં બોમ્બ વિસ્ફોટો બંધ થયા નથી. વર્ષ 2021માં તાલિબાન ફરી સત્તા પર આવ્યા બાદ પણ સતત બોમ્બ વિસ્ફોટો જોવા મળી રહ્યા છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે. આ વર્ષે જૂનમાં થયેલા વિસ્ફોટમાં પણ ડઝનેક લોકો માર્યા ગયા હતા, જ્યારે માર્ચમાં તાલિબાન અધિકારીઓને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટમાં પણ ડઝનથી વધુ લોકો માર્યા ગયા હતા. તાલિબાને આ વિસ્ફોટો માટે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ને જવાબદાર ઠેરવ્યું છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.