5 વર્ષ બાદ હિમાચલ પ્રદેશમાં બની કોંગ્રેસની સરકાર, મુખ્યમંત્રી અંંગે થશે બેઠકમાં ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-12-09 10:37:26

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 40 સીટ મેળવી બહુમતી હાસલ કરી લીધી છે. જ્યારે ભાજપને માત્ર 25 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા અંગે વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રીને લઈ શિમલા ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય રાજીવ ભવન ખાતે 3 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Himachal Pradesh election result highlights: Congress wins 40 seats,  returns to power; BJP claims 25 | Hindustan Times

Himachal Pradesh election result: Battles that went down to the last vote -  Hindustan Times

મુખ્યમંત્રીને લઈ આજે કરાશે ચર્ચા

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. વિધઆનસભાની ચૂંટણીને લઈ પ્રિયંકા ગાંધી હિમાચલ ખાતે આવેલા તેમના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી છે. સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ બેઠકોનો દોર આજથી શરૂ થવાનો છે. શિમલા ખાતે આવેલા રાજીવ ભવન ખાતે આજે બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીને લઈ ચર્ચા થવાની છે.

Priyanka Gandhi promises 100,000 jobs, old pension scheme restoration in Himachal  Pradesh - The Economic Times

પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને સોંપી શકે છે રિપોર્ટ

થોડા સમય પહેલા એવી માહિતી મળી હતી કે મુખ્યમંત્રીને લઈ પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને પોતાનો એક રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટ સોંપાયા બાદ હાઈ કમાન્ડ મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેવાની છે. મુખ્યમંત્રીમાં જે નેતાઓના નામની ચર્ચા થઈ શકે છે તેમાં પ્રભિતા સિંહ, સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રી સહિતના નામો હોઈ શકે છે. પાંચ વર્ષ પછી કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવાનો મોકો મળ્યો છે.      




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.