5 વર્ષ બાદ હિમાચલ પ્રદેશમાં બની કોંગ્રેસની સરકાર, મુખ્યમંત્રી અંંગે થશે બેઠકમાં ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-12-09 10:37:26

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 40 સીટ મેળવી બહુમતી હાસલ કરી લીધી છે. જ્યારે ભાજપને માત્ર 25 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા અંગે વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રીને લઈ શિમલા ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય રાજીવ ભવન ખાતે 3 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Himachal Pradesh election result highlights: Congress wins 40 seats,  returns to power; BJP claims 25 | Hindustan Times

Himachal Pradesh election result: Battles that went down to the last vote -  Hindustan Times

મુખ્યમંત્રીને લઈ આજે કરાશે ચર્ચા

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. વિધઆનસભાની ચૂંટણીને લઈ પ્રિયંકા ગાંધી હિમાચલ ખાતે આવેલા તેમના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી છે. સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ બેઠકોનો દોર આજથી શરૂ થવાનો છે. શિમલા ખાતે આવેલા રાજીવ ભવન ખાતે આજે બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીને લઈ ચર્ચા થવાની છે.

Priyanka Gandhi promises 100,000 jobs, old pension scheme restoration in Himachal  Pradesh - The Economic Times

પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને સોંપી શકે છે રિપોર્ટ

થોડા સમય પહેલા એવી માહિતી મળી હતી કે મુખ્યમંત્રીને લઈ પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને પોતાનો એક રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટ સોંપાયા બાદ હાઈ કમાન્ડ મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેવાની છે. મુખ્યમંત્રીમાં જે નેતાઓના નામની ચર્ચા થઈ શકે છે તેમાં પ્રભિતા સિંહ, સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રી સહિતના નામો હોઈ શકે છે. પાંચ વર્ષ પછી કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવાનો મોકો મળ્યો છે.      




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.