5 વર્ષ બાદ હિમાચલ પ્રદેશમાં બની કોંગ્રેસની સરકાર, મુખ્યમંત્રી અંંગે થશે બેઠકમાં ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-12-09 10:37:26

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 40 સીટ મેળવી બહુમતી હાસલ કરી લીધી છે. જ્યારે ભાજપને માત્ર 25 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા અંગે વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રીને લઈ શિમલા ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય રાજીવ ભવન ખાતે 3 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Himachal Pradesh election result highlights: Congress wins 40 seats,  returns to power; BJP claims 25 | Hindustan Times

Himachal Pradesh election result: Battles that went down to the last vote -  Hindustan Times

મુખ્યમંત્રીને લઈ આજે કરાશે ચર્ચા

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. વિધઆનસભાની ચૂંટણીને લઈ પ્રિયંકા ગાંધી હિમાચલ ખાતે આવેલા તેમના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી છે. સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ બેઠકોનો દોર આજથી શરૂ થવાનો છે. શિમલા ખાતે આવેલા રાજીવ ભવન ખાતે આજે બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીને લઈ ચર્ચા થવાની છે.

Priyanka Gandhi promises 100,000 jobs, old pension scheme restoration in Himachal  Pradesh - The Economic Times

પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને સોંપી શકે છે રિપોર્ટ

થોડા સમય પહેલા એવી માહિતી મળી હતી કે મુખ્યમંત્રીને લઈ પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને પોતાનો એક રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટ સોંપાયા બાદ હાઈ કમાન્ડ મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેવાની છે. મુખ્યમંત્રીમાં જે નેતાઓના નામની ચર્ચા થઈ શકે છે તેમાં પ્રભિતા સિંહ, સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રી સહિતના નામો હોઈ શકે છે. પાંચ વર્ષ પછી કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવાનો મોકો મળ્યો છે.      




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.