5 વર્ષ બાદ હિમાચલ પ્રદેશમાં બની કોંગ્રેસની સરકાર, મુખ્યમંત્રી અંંગે થશે બેઠકમાં ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-12-09 10:37:26

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 40 સીટ મેળવી બહુમતી હાસલ કરી લીધી છે. જ્યારે ભાજપને માત્ર 25 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા અંગે વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રીને લઈ શિમલા ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય રાજીવ ભવન ખાતે 3 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Himachal Pradesh election result highlights: Congress wins 40 seats,  returns to power; BJP claims 25 | Hindustan Times

Himachal Pradesh election result: Battles that went down to the last vote -  Hindustan Times

મુખ્યમંત્રીને લઈ આજે કરાશે ચર્ચા

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. વિધઆનસભાની ચૂંટણીને લઈ પ્રિયંકા ગાંધી હિમાચલ ખાતે આવેલા તેમના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી છે. સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ બેઠકોનો દોર આજથી શરૂ થવાનો છે. શિમલા ખાતે આવેલા રાજીવ ભવન ખાતે આજે બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીને લઈ ચર્ચા થવાની છે.

Priyanka Gandhi promises 100,000 jobs, old pension scheme restoration in Himachal  Pradesh - The Economic Times

પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને સોંપી શકે છે રિપોર્ટ

થોડા સમય પહેલા એવી માહિતી મળી હતી કે મુખ્યમંત્રીને લઈ પ્રિયંકા ગાંધી હાઈ કમાન્ડને પોતાનો એક રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટ સોંપાયા બાદ હાઈ કમાન્ડ મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેવાની છે. મુખ્યમંત્રીમાં જે નેતાઓના નામની ચર્ચા થઈ શકે છે તેમાં પ્રભિતા સિંહ, સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રી સહિતના નામો હોઈ શકે છે. પાંચ વર્ષ પછી કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવાનો મોકો મળ્યો છે.      




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.