અજીત પવારના બળવા બાદ શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન, સંબોધન કરતી વખતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-03 14:25:43

મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો છે. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજાએ પાર્ટીને અલવિદા કહી ભાજપમાં જોડાઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગઈકાલે તેમણે લઈ લીધા હતા. ત્યારે અજીત પવારના ગયા બાદ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું, કઈ રીતે પાર્ટી આગળ વધશે તે અંગે રણનીતિ ઘડવા બેઠક બોલાવી હતી. આ બધા વચ્ચે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું. અજીત પવારની એક્ઝિટ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન કરી રહેલા શરદ પવારે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે.


અજીત પવાર સાથે અનેક ધારાસભ્યોએ છોડી પાર્ટી

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારના દિવસે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી 53માંથી 40 ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા હતા. રાજ્યના સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત 9 મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. શરદ પવારના વફાદારો પણ તેમનો સાથ છોડીને જતા રહેતા તેમના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ છે. મહત્વનું છે કે શરદ પવારે પાર્ટીની બેઠક પાંચ તારીખે બોલાવી છે.     

શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન 

એક તરફ પાર્ટીમાં ખેંચતાણ ચાલી રહી છે તો બીજી તરફ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું.આજે સવારે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી યશવંત રાવ ચૌહાણને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે બાદ પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા હતા. સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે  'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. જાતિ અને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. અમે વડીલોના આશીર્વાદથી નવેસરથી શરૂઆત કરીશું. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ હંમેશા આ સરકારની રમત રમે છે.  


એનસીપીએ પાર્ટી છોડનારને ગેરલાયક કર્યા હતા જાહેર 

મહત્વનું છે કે ગઈકાલે અજીત પવાર 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા. અજીત પવારના બળવા બાદ એનસીપીએ તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. આ બધા વચ્ચે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી સમયમાં જે વિપક્ષી પાર્ટીની બેઠક થવાની હતી તેને રદ્દ કરવામાં આવી છે.

     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.