અજીત પવારના બળવા બાદ શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન, સંબોધન કરતી વખતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-03 14:25:43

મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો છે. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજાએ પાર્ટીને અલવિદા કહી ભાજપમાં જોડાઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગઈકાલે તેમણે લઈ લીધા હતા. ત્યારે અજીત પવારના ગયા બાદ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું, કઈ રીતે પાર્ટી આગળ વધશે તે અંગે રણનીતિ ઘડવા બેઠક બોલાવી હતી. આ બધા વચ્ચે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું. અજીત પવારની એક્ઝિટ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન કરી રહેલા શરદ પવારે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે.


અજીત પવાર સાથે અનેક ધારાસભ્યોએ છોડી પાર્ટી

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારના દિવસે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી 53માંથી 40 ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા હતા. રાજ્યના સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત 9 મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. શરદ પવારના વફાદારો પણ તેમનો સાથ છોડીને જતા રહેતા તેમના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ છે. મહત્વનું છે કે શરદ પવારે પાર્ટીની બેઠક પાંચ તારીખે બોલાવી છે.     

શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન 

એક તરફ પાર્ટીમાં ખેંચતાણ ચાલી રહી છે તો બીજી તરફ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું.આજે સવારે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી યશવંત રાવ ચૌહાણને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે બાદ પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા હતા. સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે  'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. જાતિ અને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. અમે વડીલોના આશીર્વાદથી નવેસરથી શરૂઆત કરીશું. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ હંમેશા આ સરકારની રમત રમે છે.  


એનસીપીએ પાર્ટી છોડનારને ગેરલાયક કર્યા હતા જાહેર 

મહત્વનું છે કે ગઈકાલે અજીત પવાર 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા. અજીત પવારના બળવા બાદ એનસીપીએ તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. આ બધા વચ્ચે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી સમયમાં જે વિપક્ષી પાર્ટીની બેઠક થવાની હતી તેને રદ્દ કરવામાં આવી છે.

     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.