અજીત પવારના બળવા બાદ શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન, સંબોધન કરતી વખતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-03 14:25:43

મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો છે. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજાએ પાર્ટીને અલવિદા કહી ભાજપમાં જોડાઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગઈકાલે તેમણે લઈ લીધા હતા. ત્યારે અજીત પવારના ગયા બાદ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું, કઈ રીતે પાર્ટી આગળ વધશે તે અંગે રણનીતિ ઘડવા બેઠક બોલાવી હતી. આ બધા વચ્ચે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું. અજીત પવારની એક્ઝિટ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. શક્તિ પ્રદર્શન કરી રહેલા શરદ પવારે કહ્યું કે 'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે.


અજીત પવાર સાથે અનેક ધારાસભ્યોએ છોડી પાર્ટી

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારના દિવસે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી 53માંથી 40 ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા હતા. રાજ્યના સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત 9 મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. શરદ પવારના વફાદારો પણ તેમનો સાથ છોડીને જતા રહેતા તેમના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ છે. મહત્વનું છે કે શરદ પવારે પાર્ટીની બેઠક પાંચ તારીખે બોલાવી છે.     

શરદ પવારે કર્યું શક્તિ પ્રદર્શન 

એક તરફ પાર્ટીમાં ખેંચતાણ ચાલી રહી છે તો બીજી તરફ શરદ પવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું.આજે સવારે શરદ પવાર સતારાના કરાડ પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી યશવંત રાવ ચૌહાણને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે બાદ પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા હતા. સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે  'મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રે પોતાની એકતા બતાવવી પડશે. જાતિ અને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. અમે વડીલોના આશીર્વાદથી નવેસરથી શરૂઆત કરીશું. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ હંમેશા આ સરકારની રમત રમે છે.  


એનસીપીએ પાર્ટી છોડનારને ગેરલાયક કર્યા હતા જાહેર 

મહત્વનું છે કે ગઈકાલે અજીત પવાર 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા. અજીત પવારના બળવા બાદ એનસીપીએ તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. આ બધા વચ્ચે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી સમયમાં જે વિપક્ષી પાર્ટીની બેઠક થવાની હતી તેને રદ્દ કરવામાં આવી છે.

     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.