અરિજીત સિંહનો શો કોલકાત્તામાં રદ્દ થતા ભાજપ અને મમતા બેનર્જીના નેતાઓ વચ્ચે શરૂ થયો શાબ્દિક જંગ


  • Published By :
  • Published Date : 2022-12-29 13:04:16

થોડા દિવસો બાદ ન્યુયર આવી રહ્યું છે. ન્યુયરને ધ્યાનમાં રાખી અનેક જગ્યાઓ પર પાર્ટી તેમજ કોન્સર્ટ રાખવામાં આવે છે. ત્યારે કોલકાતા ખાતે બોલિવુડના ફેમસ સિંગર અરિજીત સિંહનો શો રાખવામાં આવ્યો હતો પરંતુ શોને પરમિશન ન મળતા શોને કેન્સલ કરવામાં આવ્યો છે. શો કેન્સલ થવાને કારણે ભાજપ અને રાજ્યના મંત્રીઓ વચ્ચે તૂંતૂં-મેંમેં શરૂ થઈ ગઈ છે.

jagran


'રંગ દે તૂ મોહે' ગીત ગાતા મમતા સરકારે ન આપી પરવાનગી - ભાજપનો દાવો  

કોલકાત્તાના ઈકો પાર્કમાં ન્યુયર પાર્ટી રાખવામાં આવવાની હતી. આ પાર્ટીમાં બોલિવુડના મશહુર સિંગર અરિજીત સિંહ પરફોમ કરવાના હતા. પરંતુ અરિજીત સિંહના શોને પરવાનગી આપવામાં ન આવી. જેને કારણે ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ આરોપ લગાવતા ટ્વિટ કર્યું કે કોલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન મમતા બેનર્જીએ અરિજીત સિંહને પોતાનું મનપસંદ ગીત ગાવવાની ફરમાઈશ કરી હતી. અરિજીતે રંગ દે તૂ મોહે ગીત ગાયુ હતું. ભાજપના નેતાના અનુમાન પ્રમાણે આ કારણથી અરિજીત સિંહનો શો કેન્સલ કરવામાં આવ્યો છે. 


કોલકત્તા મેયરે બતાવ્યું કારણ 

આ શો કેન્સલ શા માટે કરવામાં આવ્યો તેની જાણકારી આપતા મેયરે કહ્યું કે જી-20ના નિર્ધારીત કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ ક્લેશ થતો હતો. જેને કારણે આ કાર્યક્રમને પરમિશાન આપવામાં નથી આવી. વધુમાં મેયરે એવું પણ જણાવ્યું કે સલમાન ખાનનો કાર્યક્રમ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જ્યાં અરિજીત સિંહનો શો થવાનો હતો તે પાર્ક ક્નવેક્શન હોલની સામે છે. જી-20માં વિદેશથી પણ મહેમાન સામેલ થવાના છે જેને ધ્યાનમાં રાખી પરવાનગી આપવામાં નથી આવી.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે