અરિજીત સિંહનો શો કોલકાત્તામાં રદ્દ થતા ભાજપ અને મમતા બેનર્જીના નેતાઓ વચ્ચે શરૂ થયો શાબ્દિક જંગ


  • Published By :
  • Published Date : 2022-12-29 13:04:16

થોડા દિવસો બાદ ન્યુયર આવી રહ્યું છે. ન્યુયરને ધ્યાનમાં રાખી અનેક જગ્યાઓ પર પાર્ટી તેમજ કોન્સર્ટ રાખવામાં આવે છે. ત્યારે કોલકાતા ખાતે બોલિવુડના ફેમસ સિંગર અરિજીત સિંહનો શો રાખવામાં આવ્યો હતો પરંતુ શોને પરમિશન ન મળતા શોને કેન્સલ કરવામાં આવ્યો છે. શો કેન્સલ થવાને કારણે ભાજપ અને રાજ્યના મંત્રીઓ વચ્ચે તૂંતૂં-મેંમેં શરૂ થઈ ગઈ છે.

jagran


'રંગ દે તૂ મોહે' ગીત ગાતા મમતા સરકારે ન આપી પરવાનગી - ભાજપનો દાવો  

કોલકાત્તાના ઈકો પાર્કમાં ન્યુયર પાર્ટી રાખવામાં આવવાની હતી. આ પાર્ટીમાં બોલિવુડના મશહુર સિંગર અરિજીત સિંહ પરફોમ કરવાના હતા. પરંતુ અરિજીત સિંહના શોને પરવાનગી આપવામાં ન આવી. જેને કારણે ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ આરોપ લગાવતા ટ્વિટ કર્યું કે કોલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન મમતા બેનર્જીએ અરિજીત સિંહને પોતાનું મનપસંદ ગીત ગાવવાની ફરમાઈશ કરી હતી. અરિજીતે રંગ દે તૂ મોહે ગીત ગાયુ હતું. ભાજપના નેતાના અનુમાન પ્રમાણે આ કારણથી અરિજીત સિંહનો શો કેન્સલ કરવામાં આવ્યો છે. 


કોલકત્તા મેયરે બતાવ્યું કારણ 

આ શો કેન્સલ શા માટે કરવામાં આવ્યો તેની જાણકારી આપતા મેયરે કહ્યું કે જી-20ના નિર્ધારીત કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ ક્લેશ થતો હતો. જેને કારણે આ કાર્યક્રમને પરમિશાન આપવામાં નથી આવી. વધુમાં મેયરે એવું પણ જણાવ્યું કે સલમાન ખાનનો કાર્યક્રમ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જ્યાં અરિજીત સિંહનો શો થવાનો હતો તે પાર્ક ક્નવેક્શન હોલની સામે છે. જી-20માં વિદેશથી પણ મહેમાન સામેલ થવાના છે જેને ધ્યાનમાં રાખી પરવાનગી આપવામાં નથી આવી.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.