અરિજીત સિંહનો શો કોલકાત્તામાં રદ્દ થતા ભાજપ અને મમતા બેનર્જીના નેતાઓ વચ્ચે શરૂ થયો શાબ્દિક જંગ


  • Published By :
  • Published Date : 2022-12-29 13:04:16

થોડા દિવસો બાદ ન્યુયર આવી રહ્યું છે. ન્યુયરને ધ્યાનમાં રાખી અનેક જગ્યાઓ પર પાર્ટી તેમજ કોન્સર્ટ રાખવામાં આવે છે. ત્યારે કોલકાતા ખાતે બોલિવુડના ફેમસ સિંગર અરિજીત સિંહનો શો રાખવામાં આવ્યો હતો પરંતુ શોને પરમિશન ન મળતા શોને કેન્સલ કરવામાં આવ્યો છે. શો કેન્સલ થવાને કારણે ભાજપ અને રાજ્યના મંત્રીઓ વચ્ચે તૂંતૂં-મેંમેં શરૂ થઈ ગઈ છે.

jagran


'રંગ દે તૂ મોહે' ગીત ગાતા મમતા સરકારે ન આપી પરવાનગી - ભાજપનો દાવો  

કોલકાત્તાના ઈકો પાર્કમાં ન્યુયર પાર્ટી રાખવામાં આવવાની હતી. આ પાર્ટીમાં બોલિવુડના મશહુર સિંગર અરિજીત સિંહ પરફોમ કરવાના હતા. પરંતુ અરિજીત સિંહના શોને પરવાનગી આપવામાં ન આવી. જેને કારણે ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ આરોપ લગાવતા ટ્વિટ કર્યું કે કોલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન મમતા બેનર્જીએ અરિજીત સિંહને પોતાનું મનપસંદ ગીત ગાવવાની ફરમાઈશ કરી હતી. અરિજીતે રંગ દે તૂ મોહે ગીત ગાયુ હતું. ભાજપના નેતાના અનુમાન પ્રમાણે આ કારણથી અરિજીત સિંહનો શો કેન્સલ કરવામાં આવ્યો છે. 


કોલકત્તા મેયરે બતાવ્યું કારણ 

આ શો કેન્સલ શા માટે કરવામાં આવ્યો તેની જાણકારી આપતા મેયરે કહ્યું કે જી-20ના નિર્ધારીત કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ ક્લેશ થતો હતો. જેને કારણે આ કાર્યક્રમને પરમિશાન આપવામાં નથી આવી. વધુમાં મેયરે એવું પણ જણાવ્યું કે સલમાન ખાનનો કાર્યક્રમ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જ્યાં અરિજીત સિંહનો શો થવાનો હતો તે પાર્ક ક્નવેક્શન હોલની સામે છે. જી-20માં વિદેશથી પણ મહેમાન સામેલ થવાના છે જેને ધ્યાનમાં રાખી પરવાનગી આપવામાં નથી આવી.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.