અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ બાદ બીએસપીએ નોટ પર આંબેડકરના ફોટાને છાપવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-10-27 11:25:36

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો મૂકવાની વાત કરી હતી. જે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક નેતાઓ આની પર નિવેદન આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે નોટો પર ખુદાનો ફોટો પણ હોવો જોઈએ તો કોઈએ કહ્યું કે નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ.

નોટ પર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાની કરાઈ માગ

જી હા, નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ તેવી માગ બહુજન સમાજ પાર્ટીએ કરી છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે ટ્વિટ કરી અને કહ્યું કે હિલ્ટન યંગ કમિશનની સમક્ષ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને પ્રસ્તૃત દિશાનિર્દેશો અનુસાર એક એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના થઈ હતી. એટલે જો કરન્સી નોટ પર કોઈનો ફોટો છપાવો જોઈએ તો એ બાબા સાહેબનો ફોટો છે. 

નીતેશ રાણેએ કર્યું ટ્વિટ

વાત માત્ર અહિંયા પૂરતી સિમીત નથી રહી. ત્યારે ભાજપના નેતા નીતેશ રાણેએ એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં નોટ પર શિવાજી મહારાજનો ફોટો લગાવવામાં આવ્યો છે. અને કેપ્શન લખ્યું છે કે ye perfect hein!!!!

શા માટે અરવિંદ કેજરીવાલને આવ્યો આવો વિચાર? 

અરવિંદ કેજરીવાલે આ વાત એવા સમયે કહી છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ થયો હતો. એ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલના આવા નિવેદનને ગુજરાતની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અર્થતંત્રને સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી છે. જો નોટ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો રાખવામાં આવશે તો ભગવાનના આશીર્વાદ મળશે અને ભારતનું અર્થતંત્ર સુધરી શકે છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .