અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ બાદ બીએસપીએ નોટ પર આંબેડકરના ફોટાને છાપવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-10-27 11:25:36

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો મૂકવાની વાત કરી હતી. જે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક નેતાઓ આની પર નિવેદન આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે નોટો પર ખુદાનો ફોટો પણ હોવો જોઈએ તો કોઈએ કહ્યું કે નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ.

નોટ પર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાની કરાઈ માગ

જી હા, નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ તેવી માગ બહુજન સમાજ પાર્ટીએ કરી છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે ટ્વિટ કરી અને કહ્યું કે હિલ્ટન યંગ કમિશનની સમક્ષ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને પ્રસ્તૃત દિશાનિર્દેશો અનુસાર એક એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના થઈ હતી. એટલે જો કરન્સી નોટ પર કોઈનો ફોટો છપાવો જોઈએ તો એ બાબા સાહેબનો ફોટો છે. 

નીતેશ રાણેએ કર્યું ટ્વિટ

વાત માત્ર અહિંયા પૂરતી સિમીત નથી રહી. ત્યારે ભાજપના નેતા નીતેશ રાણેએ એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં નોટ પર શિવાજી મહારાજનો ફોટો લગાવવામાં આવ્યો છે. અને કેપ્શન લખ્યું છે કે ye perfect hein!!!!

શા માટે અરવિંદ કેજરીવાલને આવ્યો આવો વિચાર? 

અરવિંદ કેજરીવાલે આ વાત એવા સમયે કહી છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ થયો હતો. એ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલના આવા નિવેદનને ગુજરાતની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અર્થતંત્રને સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી છે. જો નોટ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો રાખવામાં આવશે તો ભગવાનના આશીર્વાદ મળશે અને ભારતનું અર્થતંત્ર સુધરી શકે છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.