અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ બાદ બીએસપીએ નોટ પર આંબેડકરના ફોટાને છાપવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2022-10-27 11:25:36

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો મૂકવાની વાત કરી હતી. જે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક નેતાઓ આની પર નિવેદન આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે નોટો પર ખુદાનો ફોટો પણ હોવો જોઈએ તો કોઈએ કહ્યું કે નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ.

નોટ પર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાની કરાઈ માગ

જી હા, નોટો પર બાબા સાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ તેવી માગ બહુજન સમાજ પાર્ટીએ કરી છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે ટ્વિટ કરી અને કહ્યું કે હિલ્ટન યંગ કમિશનની સમક્ષ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્ધારિત અને પ્રસ્તૃત દિશાનિર્દેશો અનુસાર એક એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના થઈ હતી. એટલે જો કરન્સી નોટ પર કોઈનો ફોટો છપાવો જોઈએ તો એ બાબા સાહેબનો ફોટો છે. 

નીતેશ રાણેએ કર્યું ટ્વિટ

વાત માત્ર અહિંયા પૂરતી સિમીત નથી રહી. ત્યારે ભાજપના નેતા નીતેશ રાણેએ એક ફોટો ટ્વિટ કર્યો છે જેમાં નોટ પર શિવાજી મહારાજનો ફોટો લગાવવામાં આવ્યો છે. અને કેપ્શન લખ્યું છે કે ye perfect hein!!!!

શા માટે અરવિંદ કેજરીવાલને આવ્યો આવો વિચાર? 

અરવિંદ કેજરીવાલે આ વાત એવા સમયે કહી છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ થયો હતો. એ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલના આવા નિવેદનને ગુજરાતની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અર્થતંત્રને સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી છે. જો નોટ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો રાખવામાં આવશે તો ભગવાનના આશીર્વાદ મળશે અને ભારતનું અર્થતંત્ર સુધરી શકે છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે