ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચાડાશે રાહુલ ગાંધીનો પત્ર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-26 17:14:42

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સમાપ્ત થવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીથી દેશભરમાં કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત લોકોને રાહુલ ગાંધીનો પત્ર પણ આપવામાં આવશે.

 


લોકો સુધી પહોચવાનો કોંગ્રેસ દ્વારા કરાયો પ્રયત્ન 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાંથી ભારત જોડો યાત્રા પસાર થઈ છે. ત્યારે કોંગ્રેસે નવા અભિયાનની શરૂઆત કરી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા જનતા સુધી જોડાવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


રાહુલ ગાંધીનો એક પત્ર પણ લોકોને અપાશે 

રાહુલ ગાંધીએ જનતાને નામે એક પત્ર લખ્યો છે જે લોકો સુધી આ અભિયાન અંતર્ગત પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વમાં એક સ્વર્ણિમ ભારતનો વાયદો કરવામાં આવ્યો છે. આ પત્રને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેશભરમાં 6 લાખ ગામો અને 2.5 લાખ ગ્રામ પંચાયતોનાં 10 લાખ મતદાર કેન્દ્રો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.  




સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...