ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચાડાશે રાહુલ ગાંધીનો પત્ર


  • Published By :
  • Published Date : 2023-01-26 17:14:42

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સમાપ્ત થવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીથી દેશભરમાં કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત લોકોને રાહુલ ગાંધીનો પત્ર પણ આપવામાં આવશે.

 


લોકો સુધી પહોચવાનો કોંગ્રેસ દ્વારા કરાયો પ્રયત્ન 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાંથી ભારત જોડો યાત્રા પસાર થઈ છે. ત્યારે કોંગ્રેસે નવા અભિયાનની શરૂઆત કરી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા જનતા સુધી જોડાવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


રાહુલ ગાંધીનો એક પત્ર પણ લોકોને અપાશે 

રાહુલ ગાંધીએ જનતાને નામે એક પત્ર લખ્યો છે જે લોકો સુધી આ અભિયાન અંતર્ગત પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વમાં એક સ્વર્ણિમ ભારતનો વાયદો કરવામાં આવ્યો છે. આ પત્રને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેશભરમાં 6 લાખ ગામો અને 2.5 લાખ ગ્રામ પંચાયતોનાં 10 લાખ મતદાર કેન્દ્રો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.  




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .