ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચાડાશે રાહુલ ગાંધીનો પત્ર


  • Published By :
  • Published Date : 2023-01-26 17:14:42

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સમાપ્ત થવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીથી દેશભરમાં કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત લોકોને રાહુલ ગાંધીનો પત્ર પણ આપવામાં આવશે.

 


લોકો સુધી પહોચવાનો કોંગ્રેસ દ્વારા કરાયો પ્રયત્ન 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાંથી ભારત જોડો યાત્રા પસાર થઈ છે. ત્યારે કોંગ્રેસે નવા અભિયાનની શરૂઆત કરી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા જનતા સુધી જોડાવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


રાહુલ ગાંધીનો એક પત્ર પણ લોકોને અપાશે 

રાહુલ ગાંધીએ જનતાને નામે એક પત્ર લખ્યો છે જે લોકો સુધી આ અભિયાન અંતર્ગત પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વમાં એક સ્વર્ણિમ ભારતનો વાયદો કરવામાં આવ્યો છે. આ પત્રને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેશભરમાં 6 લાખ ગામો અને 2.5 લાખ ગ્રામ પંચાયતોનાં 10 લાખ મતદાર કેન્દ્રો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.