ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચાડાશે રાહુલ ગાંધીનો પત્ર


  • Published By :
  • Published Date : 2023-01-26 17:14:42

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સમાપ્ત થવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીથી દેશભરમાં કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત લોકોને રાહુલ ગાંધીનો પત્ર પણ આપવામાં આવશે.

 


લોકો સુધી પહોચવાનો કોંગ્રેસ દ્વારા કરાયો પ્રયત્ન 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાંથી ભારત જોડો યાત્રા પસાર થઈ છે. ત્યારે કોંગ્રેસે નવા અભિયાનની શરૂઆત કરી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા જનતા સુધી જોડાવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


રાહુલ ગાંધીનો એક પત્ર પણ લોકોને અપાશે 

રાહુલ ગાંધીએ જનતાને નામે એક પત્ર લખ્યો છે જે લોકો સુધી આ અભિયાન અંતર્ગત પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વમાં એક સ્વર્ણિમ ભારતનો વાયદો કરવામાં આવ્યો છે. આ પત્રને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેશભરમાં 6 લાખ ગામો અને 2.5 લાખ ગ્રામ પંચાયતોનાં 10 લાખ મતદાર કેન્દ્રો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.