ભૂલ ભુલૈયા 2' બાદ 'હેરાફેરી 3' પણ કાર્તિકનાં હાથમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 19:10:13


હિન્દી ફિલ્મજગતની આયકોનિક ફિલ્મ 'હેરાફેરી 3'  આવી રહી છે. ફેન્સ આ ખબર બાદ ઘણાં જ ઉત્સુક છે. વર્ષ 2023માં આ ફિલ્મની શૂટિંગ શરૂ થશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ ચાલી રહી છે. પરેશ રાવલે એક ફેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું તે કાર્તિક આર્યન પણ આ ફિલ્મમાં ભાગ ભજવવાનાં છે. એટલે કે કાર્તિક આર્યને ફરી એકવાર અક્ષય કુમારને રિપ્લેસ કરી દીધેલ છે. આ પહેલા એક્ટરે ' ભૂલ ભુલૈયા 2' ની ફ્રેન્ચાઇઝીમાંથી પણ અક્ષય કુમારને રિપ્લેસ કર્યું હતું. ફિરોજ નડિયાદવાલાએ 'રાજૂ'નાં કેરેક્ટર માટે કાર્તિક આર્યનને લોક કરી દીધેલ છે.


કાર્તિક આર્યનએ ફરી અક્ષય કુમારને રિપ્લેસ કર્યા !!


સૂત્રો અનુસાર ફિલ્મનું નામ 'હેરાફેરી 3' અથવા 'હેરાફેરી રિબૂટ' હશે. જો કે આ બાબત પર અત્યાર સુધી કોઇ કન્ફોર્મેશન આવ્યું નથી. સૂત્રો અનુસાર પેપરવર્ક અને હેન્ડશેક થઇ ચૂક્યાં છે. ફિરોજ નડિયાદવાલાની ઓફિસમાં કાર્તિક આર્યને આયકોનિક રોલ 'રાજૂ'નાં કેરેક્ટર માટે સહી કરી છે. 'હેરાફેરી' અને 'ફિર હેરાફેરી'માં આ કિરદાર અક્ષય કુમારે ભજવ્યો હતો. કાર્તિક આર્યન અને ફિરોજ નડિયાદવાલા બંને ડાયરેક્ટર અનીસ બઝ્મીને સાઇન કરવા તૈયાર છે. ફિલ્મમેકર તરફથી હા આવવાનું બાકી છે.


ફેન્સ નારાજ !

સોશિયલ મીડિયા પર આ ન્યૂઝને લઇને ચર્ચા ચાલી રહી છે. જેમાં ફેન્સનું કહેવું છે કે જો આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં દેખાય તો અમે ફિલ્મ જોશું નહીં. ટ્વિટર પર 'નો અક્ષય, નો હેરાફેરી'નો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જેના પર memes પણ બની રહ્યાં છે. અક્ષય કુમારને બીજી વાર રિપ્લેસ કરતાં ફેન્સ નારાજ થયાં છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી