ભૂલ ભુલૈયા 2' બાદ 'હેરાફેરી 3' પણ કાર્તિકનાં હાથમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 19:10:13


હિન્દી ફિલ્મજગતની આયકોનિક ફિલ્મ 'હેરાફેરી 3'  આવી રહી છે. ફેન્સ આ ખબર બાદ ઘણાં જ ઉત્સુક છે. વર્ષ 2023માં આ ફિલ્મની શૂટિંગ શરૂ થશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ ચાલી રહી છે. પરેશ રાવલે એક ફેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું તે કાર્તિક આર્યન પણ આ ફિલ્મમાં ભાગ ભજવવાનાં છે. એટલે કે કાર્તિક આર્યને ફરી એકવાર અક્ષય કુમારને રિપ્લેસ કરી દીધેલ છે. આ પહેલા એક્ટરે ' ભૂલ ભુલૈયા 2' ની ફ્રેન્ચાઇઝીમાંથી પણ અક્ષય કુમારને રિપ્લેસ કર્યું હતું. ફિરોજ નડિયાદવાલાએ 'રાજૂ'નાં કેરેક્ટર માટે કાર્તિક આર્યનને લોક કરી દીધેલ છે.


કાર્તિક આર્યનએ ફરી અક્ષય કુમારને રિપ્લેસ કર્યા !!


સૂત્રો અનુસાર ફિલ્મનું નામ 'હેરાફેરી 3' અથવા 'હેરાફેરી રિબૂટ' હશે. જો કે આ બાબત પર અત્યાર સુધી કોઇ કન્ફોર્મેશન આવ્યું નથી. સૂત્રો અનુસાર પેપરવર્ક અને હેન્ડશેક થઇ ચૂક્યાં છે. ફિરોજ નડિયાદવાલાની ઓફિસમાં કાર્તિક આર્યને આયકોનિક રોલ 'રાજૂ'નાં કેરેક્ટર માટે સહી કરી છે. 'હેરાફેરી' અને 'ફિર હેરાફેરી'માં આ કિરદાર અક્ષય કુમારે ભજવ્યો હતો. કાર્તિક આર્યન અને ફિરોજ નડિયાદવાલા બંને ડાયરેક્ટર અનીસ બઝ્મીને સાઇન કરવા તૈયાર છે. ફિલ્મમેકર તરફથી હા આવવાનું બાકી છે.


ફેન્સ નારાજ !

સોશિયલ મીડિયા પર આ ન્યૂઝને લઇને ચર્ચા ચાલી રહી છે. જેમાં ફેન્સનું કહેવું છે કે જો આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં દેખાય તો અમે ફિલ્મ જોશું નહીં. ટ્વિટર પર 'નો અક્ષય, નો હેરાફેરી'નો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જેના પર memes પણ બની રહ્યાં છે. અક્ષય કુમારને બીજી વાર રિપ્લેસ કરતાં ફેન્સ નારાજ થયાં છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.