ભૂલ ભુલૈયા 2' બાદ 'હેરાફેરી 3' પણ કાર્તિકનાં હાથમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 19:10:13


હિન્દી ફિલ્મજગતની આયકોનિક ફિલ્મ 'હેરાફેરી 3'  આવી રહી છે. ફેન્સ આ ખબર બાદ ઘણાં જ ઉત્સુક છે. વર્ષ 2023માં આ ફિલ્મની શૂટિંગ શરૂ થશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ ચાલી રહી છે. પરેશ રાવલે એક ફેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું તે કાર્તિક આર્યન પણ આ ફિલ્મમાં ભાગ ભજવવાનાં છે. એટલે કે કાર્તિક આર્યને ફરી એકવાર અક્ષય કુમારને રિપ્લેસ કરી દીધેલ છે. આ પહેલા એક્ટરે ' ભૂલ ભુલૈયા 2' ની ફ્રેન્ચાઇઝીમાંથી પણ અક્ષય કુમારને રિપ્લેસ કર્યું હતું. ફિરોજ નડિયાદવાલાએ 'રાજૂ'નાં કેરેક્ટર માટે કાર્તિક આર્યનને લોક કરી દીધેલ છે.


કાર્તિક આર્યનએ ફરી અક્ષય કુમારને રિપ્લેસ કર્યા !!


સૂત્રો અનુસાર ફિલ્મનું નામ 'હેરાફેરી 3' અથવા 'હેરાફેરી રિબૂટ' હશે. જો કે આ બાબત પર અત્યાર સુધી કોઇ કન્ફોર્મેશન આવ્યું નથી. સૂત્રો અનુસાર પેપરવર્ક અને હેન્ડશેક થઇ ચૂક્યાં છે. ફિરોજ નડિયાદવાલાની ઓફિસમાં કાર્તિક આર્યને આયકોનિક રોલ 'રાજૂ'નાં કેરેક્ટર માટે સહી કરી છે. 'હેરાફેરી' અને 'ફિર હેરાફેરી'માં આ કિરદાર અક્ષય કુમારે ભજવ્યો હતો. કાર્તિક આર્યન અને ફિરોજ નડિયાદવાલા બંને ડાયરેક્ટર અનીસ બઝ્મીને સાઇન કરવા તૈયાર છે. ફિલ્મમેકર તરફથી હા આવવાનું બાકી છે.


ફેન્સ નારાજ !

સોશિયલ મીડિયા પર આ ન્યૂઝને લઇને ચર્ચા ચાલી રહી છે. જેમાં ફેન્સનું કહેવું છે કે જો આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં દેખાય તો અમે ફિલ્મ જોશું નહીં. ટ્વિટર પર 'નો અક્ષય, નો હેરાફેરી'નો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જેના પર memes પણ બની રહ્યાં છે. અક્ષય કુમારને બીજી વાર રિપ્લેસ કરતાં ફેન્સ નારાજ થયાં છે.




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.